Sunday, September 14, 2008

Kshma Magvathi Shanti Male

ક્ષમા માગવાથી શાંતિ મળે


ઓશો
Saturday, July 19, 2008 09:00 [IST]

એક ફકીરને મળવા કોઈ જર્મન યાત્રી ગયો હતો. યાત્રી કંઈક ગુસ્સામાં હશે. એણે જોડા કાઢીને જોરથી બારણા પર પટકયા, બારણાને ધક્કો મારીને તે અંદર ગયો, અને ફકીરને નમસ્કાર કર્યા.

ફકીરે કહ્યું, ‘તમે પહેલાં જોડાની ને દરવાજાની માફી માગો.’

એ માણસે કહ્યું, ‘ગાંડા થયા છો કંઈ? જોડાની ને બારણાની માફી? એમને તો કંઈ વ્યકિતત્વ છે?’

ફકીરે કહ્યું, ‘ક્રોધ કરતી વખતે એમને વ્યકિતત્વ નથી એવો વિચાર તમને નથી આવ્યો. તમે જોડા એવી રીતે કાઢયા જાણે જોડાનો કંઈ વાંક હોય, જોડામાં પ્રાણ હોય. બારણું એવી રીતે ખોલ્યું જાણે એ તમારું દુશ્મન હોય. ના ભાઈ, ક્રોધ કરતી વખતે જો તમે એમનું વ્યકિતત્વ માની લીધું તો પહેલાં જાઓ, ક્ષમા માગી આવો. પછી હું તમારી સાથે વાત કરીશ, ત્યાં સુધી વાત કરવા હું રાજી નથી.’

દૂર દૂરથી મળવા આવે ને આટલી વાત પર મુલાકાત ન થઈ શકે? લાચાર થઈને તેને દરવાજા પાસે જઈને હાથ જોડીને ક્ષમા માગવી પડી અને કહેવું પડયું, ‘ભાઈ, માફ કર. ભૂલ થઈ ગઈ. મેં તમારી સાથે ગુસ્સો કર્યો.’

એ યાત્રીએ લખ્યું છે કે, ‘જયારે હું ક્ષમા માગતો હતો ત્યારે પહેલાં તો મને હસવું આવ્યું કે આ કેવું ગાંડપણ? પણ મેં જયારે ક્ષમા માગી ત્યારે ચકિત થઈ ગયો. મને એક એવી શાંતિનો અનુભવ થયો કે જેની મેં કલ્પના સરખી કરી નહોતી કે બારણાની ને જોડાની ક્ષમા માગવાથી શાંતિ મળી શકે. હું જઈને ફકીર પાસે બેઠો. એ હસવા લાગ્યો ને બોલ્યો, હવે કંઈક વાત કરી શકાય. તમે થોડો પ્રેમ પ્રગટ કર્યો, હવે તમારી સાથે સંબંધ બાંધી શકાય. કારણ કે તમે હવે આનંદમાં છો.’

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી , સંકલન : એક ઓશો સંન્યાસી

Friday, September 5, 2008

પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ

પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ

Osho
Saturday, July 05, 2008 14:10 [IST]

oshoબીજી વાત એ કે, બાળકોને ઘ્યાનની દીક્ષા મળવી જોઇએ. મૌન કેમ થવાય, શાંત કેમ થવાય, નિર્વિકાર કેમ થવાય એ શીખવવું જોઇએ. બાળક તો તત્ક્ષણ નિર્વિચાર થઇ શકે છે, મૌન થઇ શકે છે, શાંત થઇ શકે છે. ચોવીસ કલાકમાંથી એક કલાક ઘરમાં બાળકોને મૌનમાં લઇ જવાની વ્યવસ્થા હોવી ઘટે. પ્રત્યેક ઘરમાં એક કલાક મૌનનું હોવું અનિવાર્ય થવું જૉઇએ. એક દિવસ ખાવાનું ન મળે તો ચાલે પરંતુ એક કલાક મૌન વિના ઘર ન ચાલી શકે.

એ ઘર નથી, એ ઘરને પરિવાર કહેવો તે અસત્ય છે. એક કલાકનું આ મૌન ચૌદ વર્ષમાં તો એ દરવાજાને ખોલી નાખશે જે દરવાજાનું નામ ઘ્યાન છે. જે ઘ્યાન દ્વારા માણસને સમયહીનતાનો, અહંકારશૂન્યતાનો અનુભવ થાય છે, આત્માની ઝાંખી થાય છે, એ ઝાંખી સેકસના અનુભવ પહેલાં મળી જવી જૉઇએ. જૉ આમ થાય તો સેકસ ભણીની દોટ થંભી જાય. શકિત એ માર્ગે વહેવા લાગશે.

આ પ્રથમ ચરણ છે. બીજું ચરણ છે પ્રેમ. બાળકોને બચપણથી જ પ્રેમની દીક્ષા આપવી જોઇએ. અત્યાર સુધી આપણે એવી ભ્રમણામાં હતાં કે પ્રેમનું શિક્ષણ માનવીને સેકસ તરફ લઇ જશે. પ્રેમનું શિક્ષણ કંઇ સેકસ ભણી ન લઇ જાય. સાચી વાત તો જુદી જ છે. પ્રેમ જેટલો વિકસિત થાય છે તેટલી કામશકિત પ્રેમમાં રૂપાંતરિત થઇને વહંેચાવી શરૂ થઇ જાય છે. માણસ પ્રેમથી જેટલો ઓછો ભરેલો તેટલો વધારે કામુક, સેકસગ્રસ્ત હોવાનો.

જેના જીવનમાં પ્રેમ જેટલો ઓછો એના જીવનમાં વિદ્વેષ એટલો જ વધારે હોવાનો. જીવનમાં પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ, પ્રતિસ્પર્ધા વિશેષ. જીવનમાં પ્રેમ જેમ ઓછો તેમ ચિંતા ને દુ:ખ વિશેષ. દુ:ખ, ચિંતા, ઇર્ષા, ધૃણા, દ્વેષ, આદિથી માણસ જેમ વધારે ધેરાયેલા રહે છે તેમ એની સમગ્ર શકિત વિકòત થઇ જાય છે. એ શકિત તાણ અનુભવે છે, એની નિકાસ માટે કોઇ માર્ગ નથી રહેતો, સિવાય કે સેકસ. પ્રેમ શકિતઓની નિકાસ બને છે.‘‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી , સંકલન : એક ઓશો સંન્યાસી

Originally Posted By:- Divya Bhaskar


Saturday, August 30, 2008

નિર્વિકાર થવાની દીક્ષા બાળકને આપવી

ઓશો

શાંત થવાની, નિર્વિકાર થવાની, મૌન થવાની ઘ્યાન-દીક્ષા બાળકને આપવી એ કામના રૂપાંતરનું પ્રથમ ચરણ છે. બાળક આમ તો સ્વભાવથી જ મૌન છે, શાંત છે. જો એને થોડીઘણી તાલીમ અપવામાં આવે, મૌન, શાંત રહેવાની થોડી જ કેળવણી આપવામાં આવે તો જયારે તેઓ ૧૪ વર્ષનાં થશે, કામ જયારે જાગૃત થશે, ત્યારે એમનું એક દ્વાર ખૂલી ચૂકયું હશે. શકિત એકઠી થશે અને દ્વાર ખુલ્યું થયું છે તે દ્વારથી વહેવી શરૂ થઈ જશે. એમને શાંતિનો, આનંદનો, કાલહીનતાનો, નિરહંકાર ભાવનો અનુભવ સેકસના અનુભવ કરતાં ઘણો વહેલો ઉપલબ્ધ થઈ જશે.

એ અનુભવ એમની શકિતને અવળા માર્ગે જતી અટકાવી યોગ્ય માર્ગે વાળશે. પરંતુ આપણે નાનાં બાળકોને ધ્યાન તો નથી શીખવતાં, લટાનો, કામનો વિરોધ શીખવીએ છીએ. કામ પાપ છે, ગંદકી છે, કુરૂપતા છે, બૂરાઈ છે, નરક છે એ બધું આપણે શીખવીએ છીએ. એને આ બધું કહી દેવાથી કોઈ ફરક પડતો નથી, ઉલટાનું આપણા કહેવાથી જ બાળકો એ તરફ વધારે આકર્ષિત થાય છે અને નરક કેવું છે એની શોધ કરવા માંડે છે કે જેનાથી મોટા મોટા વૃદ્ધો ભયભીત છે, બેચેન છે એ વસ્તુ છે શી?

એમને અલ્પ સમયમાં જ જાણ થઈ જાય છે કે મોટેરાં જે વાતથી આપણને રોકવાના પ્રયત્નો કરે છે તેઓ પોતે જ એમાં રાત-દિવસ લીન છે. આ વાતની ખબર પડતાં જ મા-બાપમાં રહેલી એમની શ્રદ્ધા નાશ પામે છે. મા-બાપ તરફની શ્રદ્ધાનું વિનાશક કારણ નવી તાલીમ નથી, પણ મા-બાપ પોતે જ છે. તમે બાળકોને જે વસ્તુ ગંદી હોવાનું કહો છે તે જ વસ્તુમાં તમે સારી પેઠે ડૂબ્યા છો એની એમને જાણ થઈ જાય છે. તમારી દિવસની જિંદગી જુદી છે ને રાતની જુદી છે. તમે કહો છો કંઈક ને કરો છો કંઈક.

નાનાં બાળકો ભારે સૂક્ષ્મ નિરીક્ષક હોય છે. ઘરમાં શું થાય છે એનું તેઓ બારીક નિરીક્ષણ કરે છે. તેઓ જુઓ છે કે જે વાતને મા ગંદી કહે છે, બાપ ગંદી કહે છે એ જ વાત ઘરમાં રાત-દિવસ ચાલે છે. એનું જ્ઞાન એમને ઘણી જલદીથી થઈ જાય છે. એમની તમામ શ્રદ્ધા તૂટી પડે છે. એમને લાગે છે કે આ મા-બાપ પાખંડી છે, દગાબાજ છે, દંભી છે. તેઓ વાત કંઈક કરે છે પણ વર્તન એમનું જુદું જ છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

Monday, August 25, 2008

અહંકારશૂન્ય આત્મા પરમાત્માની ઝલક પામે

સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે.

સમાધિ માટે ઇસુ ખિ્રસ્તે કહ્યું છે : વ્ત્ર્ફૂશ્વફૂ સ્ન્ર્ત્ર્ીશ્રશ્ર ણુફૂ દ્દiૃફૂ ઁં શ્રંઁિંફૂશ્વ. સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે. સેકસના અનુભવમાં બીજી બીના આ બને છે. ધાર્મિક અનુભૂતિ માટે સર્વાધિક તત્ત્વ છે : અહંશૂન્યતા ને સમયવિહીનતા. મનુષ્ય કામાતુર થાય છે, એનું બીજું કારણ આ છે. એ આતુરતા શરીર માટે લગીર પણ નથી. એ આતુરતા છે અહંકારશૂન્યતાની, સમયશૂન્યતાના અનુભવ માટેની. પરંતુ અહંકારશૂન્યતા ને સમયશૂન્યતા માટે આતુરતા થાય છે શા માટે? એટલા માટે કે અંહકાર શૂન્ય થતાં જ આત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. સમય નાશ પામતાં જ પરમાત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. એ ઘટના માત્ર ક્ષણભરની છે. પરંતુ એ ક્ષણ માટે મનુષ્ય ગમે તેટલી શકિત ગુમાવવા તૈયાર થાય છે. શકિતનો અપવ્યય થવા બદલ-શકિત ક્ષીણ થવા બદલ એ પસ્તાય છે. પછી એને તરત સમજાય છે કે શકિત જેટલી ક્ષીણ થાય છે મૃત્યુ એટલું નજીક આવે છે. કેટલાંક પશુમાં તો એક જ સંભોગ પછી નર મરણ પામે છે. કેટલાંક જંતુઓ તો એક જ સંભોગ કરવા પામે છે અને સંભોગ દરમિયાન ખલાસ થઇ જાય છે.

આફ્રિકામાં એક કરોળિયો થાય છે. એ એક જ સંભોગ કરી શકે છે અને સંભોગ દરમિયાન જ મૃત્યુ પામે છે એટલી શકિત ક્ષીણ થઇ જાય છે. મનુષ્યના અનુભવમાં આ વાત બહુ વહેલી આવી ગઇ છે કે સેકસનો અનુભવ શકિતને ક્ષીણ કરે છે અને ધીરે ધીરે મૃત્યુ નજીક આવે છે. માણસ ઘણો પસ્તાય છે, પરંતુ પસ્તાયા પછી થોડી ક્ષણો વીતતાં જ આતુરતા પાછી સંભવે છે. એ આતુરતામાં નક્કી કોઇ અર્થ હોવો જોઇએ અને એ સમજી લેવો જરૂરી છે. સેકસની આતુરતામાં કોઇ ધાર્મિક અનુભવ છે, કોઇ આત્મિક અનુભવ. એ અનુભવને જો આપણે નિહાળી શકીએ તો સેકસથી પર થઇ શકીએ. જો એમ ન થયું તો આપણે સેકસમાં જીવવાના અને મરવાના પણ સેકસમાં જ. એ અનુભવને પિછાણી શકીએ. રાત અંધારી છે અને વીજળી ચમકે છે. વીજળીની ચમક જો આપણને દેખાઇ જાય અને તેને બરાબર સમજી લઇએ કે રાતને કારણે વીજળી ચમકે છે, તો રાતને વધુ અંધારી કરવાની કોશિશ કરીશું, કે જેથી વીજળી ચમકે.એ અનુભૂતિ કામમાં ચળકે છે પરંતુ એ અનુભૂતિ સ્વયં કામ નથી. એ અનુભૂતિ તો કામાતીત છે. પરંતુ એ કામ દ્વારા ઉપલબ્ધ થાય છે. એટલે કામની સાથે એનું સાહચર્ય, સહયોગ થયો છે. એની ભિન્નતા અને સ્વરૂપભેદ સમજી લીધા પછી એને એના અસલ સ્વરૂપમાં શોધી શકાય છે. તે સેકસની પારથી આવે છે. એ પારના અનુભવને આપણે ગ્રહણ કરી શકીએ તો આપણે સેકસથી પર થઇ શકીએ, અન્યથા નહીં.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી (સંકલન : એક ઓશો સંન્યાસી)

Tuesday, August 12, 2008

ગંગા રોજ નવો માર્ગ નહીં શોધે

Oshovani
Saturday, June 07, 2008 09:40 [IST]


એક વાર દ્વાર ઉઘડી ગયા પછી બીજું દ્વાર ખોલવું અઘરું છે. કારણ કે સમસ્ત શકિતઓનો નિયમ એ છે કે એક વાર એ વહેવા માટે માર્ગ શોધી લે પછી એ જ માર્ગે વહેવાનું પસંદ કરશે. ગંગા સાગર તરફ વહી નીકળી. એક વાર એણે રસ્તો કરી લીધો પછી તો એ જ રસ્તે એ વહેતી જશે. રોજ નવું પાણી આવશે અને એ જ રસ્તેથી વહેતું ચાલ્યું જશે. ગંગા રોજ નવો માર્ગ નહીં શોધે. જીવનશકિત પણ એક માર્ગ શોધી લે છે પછી એ જ માર્ગે વહી જાય છે.

જીવનને જો કામુકતાથી મુકત કરવું હોય તો કામુકતાનો માર્ગ ખૂલે તે પહેલાં એ નવો માર્ગ, ઘ્યાનનો માર્ગ ખોલી લેવો જરૂરી છે. એકેએક નાના બાળકને ઘ્યાનનું અનિવાર્ય શિક્ષણ અને દીક્ષા મળવાં જૉઈએ. પરંતુ આપણે તો કામના વિરોધની દીક્ષા આપીએ છીએ, જે અત્યંત મૂર્ખતાપૂર્ણ છે. કામના વિરોધની દીક્ષા આપવાની નથી. શિક્ષણ તો આપવાનું છે ઘ્યાનનું વિધેયાત્મક-કે તે કેવી રીતે ઘ્યાનમાં તરે. અને બાળકો સહેલાઈથી ઘ્યાનમાં ઉતરી શકે છે. કારણ કે તેની ર્જાનું કોઈ દ્વાર ખૂલ્યું નથી. હજુ દ્વાર બંધ છે. હજુ ઉર્જા સુરક્ષિત છે. અત્યારે નવા દ્વાર પર કોઈ જગ્યાએ ધક્કો મારીને દ્વાર ખોલી શકાય છે. પછી તો એ વૃદ્ધ થઈ જશે અને ઘ્યાનમાં તરવું તેને માટે અત્યંત દુષ્કર થઈ જશે.

જેમ એક નવો છોડ ઉગે ત્યારે એની શાખાઓને જેમ નમાવવી હોય તેમ નમાવી શકાશે. પછી તે છોડ વૃક્ષ થાય છે-વૃદ્ધ થાય છે, ત્યારે તેની ડાળીઓ તૂટી જશે પણ નમશે નહીં. દુનિયામાં વૃદ્ધ લોકો ઘ્યાનની ચેષ્ટા કરે છે, પણ તે બિલકુલ ખોટા છે.

ઘ્યાનના તમામ પ્રયત્નો નાનાં બાળકો પર કરવા જોઈએ, પરંતુ મરણોન્મુખ માણસ ઘ્યાનોત્સુક થાય છે. એ ઉત્સુક બને છે કે ઘ્યાન શું છે? શાંત કેમ થવાય? જીવનની તમામ શકિત જયારે ખલાસ થઈ જાય, જયારે ઝૂકવાનું કે બદલવાનું મુશ્કેલ થઈ જાય ત્યારે તે ‘પોતે કેમ બદલાય’ એની પૂછપરછ કરે છે.

એક પગ કબરમાં ને બીજો બહાર રાખીને માણસ પૂછે છે, ઘ્યાનનો કોઈ માર્ગ છે? કેવી અજબ વાત છે! તદ્દન ગાંડપણભરી વાત છે. ઘ્યાનનો સંબંધ એક જ દિવસના જન્મેલ બાળક સાથે જયાં સુધી જોડાશે નહીં ત્યાં સુધી પૃથ્વી કદી શાંત નહીં થાય. ઘ્યાનસ્થ નહીં થાય. અંતિમ દિવસ સુધી પહોંચેલા વૃદ્ધથી એ સંબંધ બાંધી નહીં શકાય. કદાચ બાંધી શકાય તો નિરર્થક અતિ શ્રમ વ્યય કરવો પડે છે. ઉત્તરાવસ્થામાં શાંત થવા માટે પૂર્વાવસ્થામાં એ એકદમ થવો શકય હતો.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

Source From:- Divya Bhaskar


Wednesday, August 6, 2008

Bhagawan Rajneesh Osho-મારે કોલસાને હીરો બનાવવો છે

ઓશો
Saturday, May 31, 2008 08:44 [IST]

૧૯૩૦ ની આસપાસ ગાંધીજી શ્રીલંકા ગયા હતા. એમની સાથે કસ્તૂરબા હતાં. સંયોજકોએ માન્યું કે ગાંધીજીનાં બા સાથે આવ્યાં છે. લોકો પણ એવું જ સમજયા. સંયોજકોએ પરિચય આપતાં કહ્યું કે ગાંધીજી પધાર્યા છે અને મોટું સદભાગ્ય તો એ વાતનું છે કે એમનાં માતાજી પણ સાથે પધાર્યા છે, એમની બાજુમાં જ બિરાજયાં છે. ગાંધીજીના સેક્રેટરી ગભરાયા કે ભારે થઈ. આ તો આપણી જ ભૂલ. પહેલેથી સ્પષ્ટતા કરી લેવી જરૂરી હતી... પરંતુ હવે તો ઘણું મોડું થયું હતું.

ગાંધીજી તો મંચ પર બેસી ગયા હતા ને એમણે બોલાવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી પાછળથી શું કહેશે એનો સેક્રેટરીને ભય હતો. ગાંધીજી નારાજ નહીં થાય, એની તો એમને કલ્પનાય નહોતી કારણ કે પત્નીને માતા બનાવવા સમર્થ થાય એવા પુરુષ બહુ ઓછા હોય છે. ગાંધીજીએ કહ્યું, ‘સૌભાગ્યની વાત છે કે જે મિત્રે મારો પરિચય આપ્યો એમણે ભૂલમાં એક સત્ય કહી નાખ્યું છે. કસ્તૂરબા કેટલાંક વર્ષોથી મારી મા થઈ રહી છે. એક વાર એ મારી પત્ની હતી પરંતુ હવે એ મારી મા છે.’

પતિપત્ની કામને-સંભોગને સમજવાનો પ્રયત્ન કરે તો એકબીજાંના મિત્ર બનવાની, એકબીજાંના કામનું રૂપાંતર કરવામાં સહયોગી બનવાની, સાથી બનવાની સંભાવના છે. જયારે કોઈ પતિપત્ની પોતાના સંભોગ સંબંધોને રૂપાંતરિત કરવામાં સફળ થાય છે ત્યારે એમના જીવનમાં પહેલી વાર એકબીજાં માટે અનુગ્રહની ભાવના જન્મ છે, એ પહેલાં નહીં. એ પહેલાં તો તેઓ એકબીજાં તરફ ક્રોધથી ભરાયેલ રહે છે, બુનિયાદી શત્રુ બની રહે છે. એમની વરચે સંઘર્ષ હોય છે, મૈત્રી નહીં.

મૈત્રી ત્યારે જ શરૂ થાય છે, જયારે બંને એકબીજાંનાં સાથી બને અને તેમની કામર્જાના રૂપાંતરનું માઘ્યમ બને. તે દિવસે પુરુષ સ્ત્રી પ્રત્યે આદરથી ભરાઈ જાય છે. કારણ કે કામવાસનામાંથી મુકત થવામાં સ્ત્રીએ સહાય કરી છે. તે દિવસે સ્ત્રી પુરુષ પ્રત્યે અનુગ્રહિત બને છે, કે પતિએ કામવાસનામાં મુકિત અપાવવામાં સાથ આપ્યો, એ દિવસથી સાચી મૈત્રી બંધાય છે. જે મૈત્રી કામની નથી પ્રેમની છે. તે દિવસથી તેમનું જીવન સાચી દિશા ભણી જાય છે.

એનો અર્થ નથી કે હું કામને ગાળો દઉં, એની નિંદા કરું. કામ સાથેની મારી દુશ્મનાવટનો અર્થ એટલો કે કામને રૂપાંતરિત કરવાની બાબતમાં હું દિશાસૂચન કરું, એ રૂપાંતર કેમ થાય તે હું તમને કહું. હું કોલસાનો દુશ્મન છું. કારણ કે મારે કોલસાને હીરો બનાવવો છે. સેકસનું રૂપાંતર કરવા હું ચાહું છું. કેવી રીતે? મેં તમને કહ્યું છે - એક નવું દ્વાર ખોલવું જરૂરી છે. બાળક જન્મતાં જ એના જીવનમાં સેકસનો પ્રવેશ નથી થતો. શકિત એકત્રિત થશે અને જે દ્વાર ૧૪ વર્ષ સુધી બંધ રહ્યું તે એ શકિતના એક જ ધક્કાથી ખૂલી જશે અને સેકસની દુનિયા શરૂ થઈ જશે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

Wednesday, July 30, 2008

જે પ્રેમનો કૂવો હતો તે ઝેરી બની ગયો

ઓશો
Wednesday, May 14, 2008 14:59 [IST]

ભારતીય વિધાભવનમાં જયારે મેં પ્રથમ પ્રવચન કર્યું ત્યારે એક બહેને આવીને મને કહ્યું : ‘હું ઘણી ગુસ્સામાં છું. સેકસ તો ભારે ધૃણિત વસ્તુ છે, પાપ છે. તે આટલી બધી વાત શા માટે કરી? હું તો સેકસ પ્રત્યે ધૃણા કરું છું.’ એ બહેન કોઈની પત્ની છે, એને પતિ છે, બાળકો છે. એ સેકસની ધૃણા કરે છે. એને સેકસમાં ખેંચનાર પતિને એ કેવી રીતે ચાહી શકે? એ સેકસથી ઉત્પન્ન થતાં બાળકોને શી રીતે ચાહી શકે? એનો પ્રેમ ઝેરી રહેશે. એની ને એના પતિની વરચે એક બુનિયાદી દીવાલ રહેશે. કારણ કે સેકસ પ્રત્યેની ધૃણા વરચે આવી છે. એ બાળકો પાપમાંથી પેદા થયાં છે. પતિ ને એની વરચે પાપનો સંબંધ છે.

જેની સાથે પાપનો સંબંધ હોય તેવી સાથે મિત્રતા હોઈ શકે ખરી? સેકસની નિંદા કરનાર, સેકસને ગાળો ભાંડનાર લોકોએ આખી દુનિયાના ગૃહસ્થજીવનનો નાશ નોતર્યો છે અને વિનાશ કરીને દુષ્પરિણામ લાવ્યા છે, નહીં કે લોકો સેકસથી મુકત થઈ ગયા છે. જે પતિ પોતાની ને પત્નીની વરચે અંતરાય અનુભવે છે તે પત્નીથી કદી પણ તૃપ્તિનો અનુભવ કરી નથી શકતો. તે પછી આસપાસની સ્ત્રીઓ શોધે છે, વેશ્યાઓ શોધે છે. શોધવાનો જ.

પત્નીથી એણે જો તૃપ્તિ લીધી હોત તો તો કદાચ જગતભરની સ્ત્રીઓ એની મા અને બહેન થઈ રહેત, પરંતુ પત્નીથી તૃપ્તિ ન મળતાં તમામ સ્ત્રીઓ એને પોટેન્શિયલ પત્ની જેવી જણાય છે, પત્નીમાં ફેરવી શકાય તેવી લાગે છે. એ સ્વાભાવિક છે. એમ થવાનું હતું જ. કારણ કે જયાં તૃપ્તિ મળી શકત ત્યાં તો ઝેર છે, પાપ છે. તૃપ્તિ નથી... અને પછી એ ચારેકોર ભટકે છે, શોધે છે. અને શોધમાં માણસ શું નથી કરતો? કામનાં, યૌનનાં કેવાં કેવાં વિકૃત રૂપો એણે ઊભાં કર્યા છે એનો વિચાર કરશું તો ય ગભરાઈ જવાશે. માણસે બધું કર્યું છે. માત્ર વિચાર નથી કર્યો કે જે પ્રેમનો કૂવો હતો, જે કામનો કૂવો હતો તે ઝેરી બની ગયો છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Sunday, July 20, 2008

બે વ્યકિતના પ્રાણ સંયુકત થાય તેનું નામ પ્રેમ

બે વ્યકિતના પ્રાણ સંયુકત થાય તેનું નામ પ્રેમ

oshovani બે વ્યકિત વરચેની દીવાલ ખસી જાય અને બેયના પ્રાણ સંયુકત થઈ જાય એનું નામ પ્રેમ. જયારે આવો અનુભવ એક વ્યકિતનો સમૂહ સાથે થાય ત્યારે એ અનુભવને હું પરમાત્મા કહું છું. વ્યકિત વ્યકિત વરચે થાય એ પ્રેમ. મારી અને અન્ય કોઈ વ્યકિત વરચે આ અનુભવ થાય, અમારી વરચેની દીવાલ ખસી જાય, અને આંતરિક સ્તરે એક થઈ જઈએ, એક સંગીત, એક ધારા, એક પ્રાણ તો આ અનુભવ છે પ્રેમ. એ જ રીતે મારી અને સમસ્તની વરચે જૉ એવો અનુભવ થાય,‘હું’ વિલીન થઈ જાય, અને ‘સમસ્ત’ અને ‘હું’ એક થઈ જઈએ તો એ અનુભવ છે પરમાત્માનો.

જયાં સુધી ‘હું’ છું ત્યાં સુધી ‘બીજા’નું અસ્તિત્વ વિલીન થઈ જાય એ કેવી રીતે બને? ‘અન્ય’ નો જન્મ થયો છે મારા ‘હું’ પણાથી. જેટલી તીવ્રતાથી પુકારું ‘હું’ એટલી તીવ્રતાથી ‘અન્ય’ પેદા થાય છે. ‘અન્ય’ ‘હું’ નો પ્રતિઘ્વનિ જ છે. અહંકાર દીવાલ બનીને ભો રહે છે દ્વારાની આગળ. અને ‘હું’ છે શું? વિચાર કર્યોછે કયારેય? તમારો હાથ, તમારો પગ, તમારું મસ્તિષ્ક, તમારું હૃદય-હું છે શું? જૉ એક ક્ષણ શાંત થઈને અંદર શોધો કે શો છે ‘હું’? તો તમે ચકિત થઈ જશો, ‘હું’ તમને મળશે નહીં. જેટલું ડે શોધશો એમ એમ તમને થશે કે અંદર એક સ્તબ્ધતા છે, ત્યાં કોઈ ‘હું’ નથી, કોઈ અહમ્ નથી કે કોઈ અહંકાર નથી.

એક ભિક્ષુ નાગસેનને સમ્રાટ મિલિન્દે પોતાના દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું. તો જે રાજદૂત નાગસેનને નિમંત્રણ આપવા ગયો હતો તેને નાગસેને કહ્યું કે જરૂર આવીશ. પણ એક વાત કહી દઉં કે અહીં કોઈ ભિક્ષુ નાગસેન છે નહીં. નાગસેન એ એક નામ માત્ર છે, કામચલાઉ. રાજદૂતે જઈને સમ્રાટને વાત કરી, ‘અજબ છે આ માણસ. કહે છે આવીશ જરૂર પણ નાગસેન જેવું કોઈ છે નહીં એ એક કામચલાઉ નામ છે.’ સમ્રાટે કહ્યું, ‘અજબ છે! પણ જયારે એણે કહ્યું છે, કે આવીશ, ત્યારે એ આવશે જરૂર.’ અને તે આવ્યો પણ ખરો- રથ પર બેસીને. સમ્રાટે દ્વાર પાસે સ્વાગત કરતાં કહ્યું કે ‘ભિક્ષુ નાગસેન, અમે આપનું સ્વાગત કરીએ છીએ.’ તે હસવા લાગ્યો. તેણે કહ્યું, ‘સ્વાગતનો સ્વીકાર કરું છું, પણ યાદ રાખો, ભિક્ષુ નાગસેન જેવું કંઈ છે જ નહીં.’ સમ્રાટે કહે, ‘આપ તો કોયડા જેવી વાત કરો છો. જૉ આપ છો નહીં,તો કોણ છે, કોણ આવ્યું છે અહીં, કોણ સ્વીકારે છે સ્વાગત, કોણ જવાબ આપે છે?’ નાગસેન પાછળ ફર્યો, રથ બતાવીને કહ્યું,‘ સમ્રાટ મિલિન્દ, હું આ રથમાં બેસીને આવ્યો, ખરું?’ સમ્રાટે હા કહી.‘આ એ જ રથ છે.’ તો ભિક્ષુ નાગસેને રથથી ઘોડાને જુદા કરીને પૂછયું, ‘આ ઘોડા રથ છે?’ સમ્રાટ કહે, ‘ઘોડા રથ કેવી રીતે હોઈ શકે?’ પછી તેણે ઘોડાને બાંધવાના દાંડા અલગ કર્યા, અને પૂછયું, ‘આ રથ છે?’ ‘આ દાંડા રથ કેવી રીતે હોઈ શકે?’

પછી ચાક જુદો કરીને પૂછયું, ‘આ રથ છે?’ સમ્રાટે કહ્યું, ‘એ તો ચાક છે, એ રથ કેવી રીતે હોઈ શકે?’ ‘એમ એક એક ભાગ જુદા કરીને તે પૂછતો ગયો અને સમ્રાટ કહેતા ગયા કે ‘ના. આ રથ નથી.’ છેવટે રહ્યું શૂન્ય. રથ કયાં? ભિક્ષુ નાગસેને પૂછયું, ‘હવે રથ કયાં?’ અને જેટલી ચીજૉ મેં કાઢી તેમાંથી કોઈ રથ નથી એમ તમે જ કહ્યું, તો રથ કયાં?’

સમ્રાટ આશ્ચર્યચકિત થઈ ગયો. રથ રહ્યો નહીં, અને જે ભાગો જુદા કર્યા તે પણ રથ નહોતો. ભિક્ષુ કહેવા લાગ્યો, ‘સમજયા આપ? રથ એક જૉડ હતી. રથ એ અમુક ચીજૉની સંયુકત રચના હતી. રથનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. તેનો કોઈ અહંકાર નથી, રથ એક જૉડ છે.’ તમે તમારા ‘હું’ ને શોધશો તો જણાશે કે તે અનંત શકિતઓનો એક સમૂહ માત્ર છે. ‘હું’ કયાંય નથી. એક એક અંગને વિભિન્ન કરીને વિચારતાં અંગો સમાપ્ત થઈ જાય છે અને શૂન્ય કેવળ રહી જાય છે. એ જ શૂન્યમાંથી પ્રેમનો જન્મ થાય છે. કારણ કે તે શૂન્ય ‘તમે’ નથી, એ શૂન્ય તો પરમાત્મા છે. ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી

સંકલન : એક ઓશો સંન્યાસી

Friday, July 11, 2008

જીવનનું રહસ્ય

જીવનનું રહસ્ય

oshovani એક સવારે, સૂરજ ઉગ્યા પહેલાં એક માછીમાર નદીકિનારે ગયો. તેના પગ સાથે કંઈક અફળાયું. એણે નીચે વળીને જોયું તો પથ્થર ભરેલી એક ઝોળી પડી હતી. એણે જાળને એક બાજુ મૂકી, અને સવારનો સૂરજ ગવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. તેને હતું કે સૂરજ ગ્યે નદીના પાણીમાં જાળ ફેંકીને માછલી પકડીશ. બાજુમાં પેલી ઝોળી પડી હતી તેમાંથી પથ્થર કાઢીને શાંત નદીમાં ફેંકવા લાગ્યો. સવારની નિસ્તબ્ધતામાં પાણીમાં પથ્થર પડવાનો ‘ટપાક’ અવાજ આવતો અને તે પછી ફરીથી પથ્થર ફેંકતો.

ધીરે ધીરે સવારનો સૂરજ ગ્યો, અજવાળું પથરાયું. ત્યાં સુધીમાં તો તેણે ઝોળીમાંથી બધા જ પથ્થર ફેંકી દીધા હતા. એક છેલ્લો પથ્થર તેના હાથમાં હતો, તે તે ફેંકવા જતો હતો. સવારના અજવાળામાં તે પથ્થરને જૉતાંવેત તેનું હૃદય ધડકતું બંધ થઈ ગયું, એનો શ્વાસ થંભી ગયો. જેને પથ્થર માનીને તે ફેંકી દેતો હતો, તે તો હીરા હતા. હવે તો હાથમાં માત્ર એક જ હીરો હતો. ઝોળી તો ખાલી થઈ ગઈ હતી.

એ રોવા લાગ્યો અને કલ્પાંત કરવા લાગ્યો. અનંત જન્મો સુધી ચાલે એટલી સંપત્તિ તેને મળી હતી પરંતુ અંધકારમાં અજાણતાં એણે તમામ સંપત્તિને પથ્થર માની ફેંકી દીધી હતી. તો ય માછીમાર તો ભાગ્યશાળી હતો કારણ કે છેલ્લો પથ્થર ફેંકાય તે પહેલાં જ સૂરજ ગી ગયો હતો અને એને સમજાયું હતું કે, એના હાથમાં પથ્થર નથી, હીરો છે.

સામાન્યત: બધા માણસો આવા ભાગ્યશાળી હોતા નથી. જિંદગી વીતી જાય છે, સૂરજ ગતો નથી, સવાર થતી નથી, પ્રકાશ પ્રગટયો નથી અને જીવનભરનાં રત્નોને પથ્થર માનીને આપણે ફેંકી ચૂકયા હોઈએ છીએ. જીવન શું છે એ સમજાય એ પહેલાં તો આપણે એને ખોઈ બેઠા હોઈએ છીએ. જીવનમાં શું છુપાયું છે? શું રાઝ, શું રહસ્ય, કેવું સ્વર્ગ, કેવો આનંદ, કેવી મુકિત! આ બધાંનો અનુભવ થાય એ પહેલાં તો જીવન આપણા હાથમાંથી છૂટી જાય છે.

જે લોકો જીવનને પથ્થર માની બેઠા છે તે આંખ ખોલીને જૉઈ શકશે કે જેને તેઓ પથ્થર સમજે છે તે હીરા-માણેક છે! અને જે લોકોએ જીવનને પથ્થર માનીને ગુમાવી દીધું છે, તેમને કોઈ કહેવા જાય છે કે ‘પથ્થર માનીને તમે જે ફેંકયું તે તો હીરા-મોતી હતાં’ તો તેઓ નારાજ થઈ જશે, ક્રોધિત થઈ જશે. એટલા માટે નહીં કે જે વાત તેમને કહેવામાં આવી છે તે ખોટી છે, પણ એ વાત તેમણે ગુમાવેલી સંપત્તિની તેમને યાદ અપાવે છે માટે. પરંતુ ભલે જીવનનો ખજાનો આમ વેડફાઈ ગયો હોય, પણ જૉ જીવનની એક ક્ષણ પણ બાકી રહી હોય, તો કંઈક બચાવી શકાશે, જાણી શકાશે, પ્રાપ્ત કરી શકાશે. જીવનની શોધમાં કયારેક એટલું મોડંુ હોતું નથી, કે માનવીને નિરાશ થવું પડે. પણ આપણે તો અજ્ઞાનપણે માની જ લીધું છે કે જીવનમાં પથ્થર સિવાય કંઈ છે નહીં. જે લોકો એમ માનીને બેસી ગયા તેમણે શોધની પહેલાં જ હાર સ્વીકારી લીધી.

આ હાર, આ નિરાશા, આ માની લીધેલા પરાજયની બાબતમાં મારે સૌથી પહેલી ચેતવણી એ આપવાની છે કે જીવન એ કંઈ માટી-પથ્થર નથી. એ ઘણું બધું છે. ધૂળ અને પથ્થરની વરચે ઘણું ય છુપાયું છે. આંખો જો જૉઈ શકે તો જીવનથી પરમાત્મા સુધી પહોંચવાની સીડી તૈયાર પડી છે. જૉતાં તો માત્ર હાડ, માંસને ચામડું જણાય, એવા આ શરીરમાં ‘એ’ છુપાયો છે, જેને હાડ, માંસ અને ચામડા સાથે કશો સંબંધ નથી. આજ જન્મતા અને કાલ મરતા-નષ્ટ થતાં આ સાધારણ શરીરમાં પણ કદી ન જન્મતા ને કદી ના મરતા અમૃતનો વાસ છે. રૂપની અંદર અરૂપ છુપાયું છે, દૃશ્યની અંદર અદૃશ્યનો વાસ છે અને મૃત્યુના ધુમ્મસમાં અમૃતજયોતિ ઝળહળે છે. એવી જયોતિ કે જેનું મૃત્યુ છે નહીં. આપણે તો ધુમાડો જૉઈને પાછા ફરીએ છીએ, જયોતિની શોધ કરતા નથી. અને થોડા લોકો જે એવી હિમ્મત કરે છે તેઓ ધુમાડામાં જ ખોવાઈ જાય છે, જયોતિ સુધી પહોંચતા નથી. ધુમાડાની અંદર રહેલી જયોતિને કેવી રીતે જાણી શકાય, પ્રકૃતિમાં નિહિત પરમાત્માનાં દર્શન કેવી રીતે થાય? એ સંબંધમાં ત્રણ ચરણોમાં મારે તમને વાત કહેવાની છે. પહેલી વાત. જીવન સંબંધી આપણે એવો દૃષ્ટિકોણ કેળવ્યો છે, જીવન સંબંધી એવી ધારણાઓ ઘડી રાખી છે, કે એને જે કારણે આપણા જીવનનું સત્ય જાણી શકતા નથી, ઓળખી શકતા નથી. ઓળખ વિના, પરિચય વિના, જિજ્ઞાસા વિના આપણે જીવન વિશેની વિભાવના ઘડી કાઢી છે. એ વિભાવનાને આપણે નિશ્ચિત સ્વરૂપમાં ઢાળી દીધી છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Monday, June 30, 2008

આનંદ મેળવવા મનને વિચારમુકત કરો

આનંદ મેળવવા મનને વિચારમુકત કરો

oshovani હું તમને કહેવા માગું છું કે કામ દિવ્ય છે, પવિત્ર છે. કામની શકિત પરમાત્માની શકિત છે, ઈશ્વરની શકિત છે અને એથી તો એમાંથી ર્જા-ઓજસ પ્રગટે છે. તેની પવિત્રતા સ્વીકારો અને ધન્યતાને સ્વીકારો અને તેમાં ડે ડે શોધો. તો તમે ચકિત થશો. જેટલી પવિત્રતાથી કામને સ્વીકારશો એટલો જ કામ પવિત્ર થતો જશે અને જેટલી અપવિત્રતાથી, પાપ¼ષ્ટિથી કામનો વિરોધ કરશો, એટલો જ તે પાપરૂપ-કુરૂપ થશે.

જયારે કોઈ પોતાની પત્ની પાસે જાય તો એવી રીતે જાય જાણે કે તે મંદિરમાં જતો હોેય, જયારે કોઈ પત્ની તેના પતિની પાસે જાય તો એવી રીતે જાય જાણે કે તે પરમાત્માની પાસે જતી હોય. કારણ કે જયારે બે પ્રેમી કામથી દોરાઈને નજીક આવે છે, અને સંભોગમાંથી પસાર થાય છે, ત્યારે ખરેખર તે પરમાત્માના મંદિર પાસેથી પસાર થાય છે. એ બંનેની નિકટતા એ પરમાત્માનું જ કાર્ય છે. પરમાત્માની સૃજનશકિત ત્યાં પ્રવૃત્ત થઈ રહી છે. અને મારી પોતાની તો એ ¼ષ્ટિ છે કે મનુષ્યના ઇતિહાસમાં મનુષ્યને જૉ કયાંય સમાધિનો - ઘ્યાનનો પહેલો અનુભવ થયો હોય તો તે સંભોગની ક્ષણોમાં થયો છે, બીજે કયાંય નહીં. સંભોગની ક્ષણોમાં જ મનુષ્યને પહેલીવાર ખ્યાલ આવ્યો કે જીવનમાં આટલા આનંદની વર્ષા થઈ શકે.

જેમણે વિચાર કર્યો, જેમણે ઘ્યાન કર્યું, જેમણે કામ અને મૈથુન ઉપર ચિંતન કર્યું તેમને એ સમજાયું કે કામની ક્ષણોમાં, મૈથુનની ક્ષણોમાં, સંભોગની ક્ષણોમાં મન વિચારશૂન્ય થઈ જાય છે. એક ક્ષણને માટે મનના બધા જ વિચારો અટકી જાય છે અને તે આનંદની વર્ષાનું કારણ બને છે. ત્યારે તેમને એક રહસ્ય લાઘી ગયું કે કોઈ પણ વિધિથી જૉ મનને વિચારમુકત કરવામાં આવે તો પણ આટલો જ આનંદ મળે. એમાંથી જ પછી સમાધિ અને યોગની વ્યવસ્થાઓ વિકસી. તેમાંથી જ ઘ્યાન, સામાયિક, પ્રાર્થના વગેરે વ્યવસ્થાઓનો વિકાસ થયો. આ બધાંના મૂળમાં સંભોગનો અનુભવ રહ્યો છે.

અને વળી મનુષ્યને એ અનુભવ પણ થયો કે સંભોગ વિના પણ ચિત્ત વિચારશૂન્ય બની શકે છે. અને જે રસની અનુભૂતિ સંભોગ દ્વારા અનુભવાય છે, તે સંભોગ વગર પણ વરસી શકે. વળી, સંભોગ તો ક્ષણિક છે કારણ કે તેમાં શકિતનો, ઓજસનો વહાવ છે, નિકાસ છે. જયારે ઘ્યાન તો સતત થઈ શકે છે.

તો હું તમને કહેવા માગું છું કે એક યુગલ સંભોગની ક્ષણોમાં જે આનંદ મેળવે છે, તે જ આનંદ એક યોગી ચોવીસેય કલાક સમાધિમાં અનુભવે છે. એ બંને આનંદમાં બુનિયાદી વિરોધ નથી. માટે જ જેમણે વિષયાનંદ અને બ્રહ્માનંદને ભાઈ-ભાઈ કહ્યા છે તેમણે સત્ય જ કહ્યું છે. તે સહોદર છે. એક જ ઉદરમાંથી તે જન્મ્યા છે, એક જ અનુભવમાંથી વિકસ્યા છે. તેમણે સાચું જ કહ્યું છે. તો પહેલું સૂત્ર : જૉ તમારે પ્રેમના તત્ત્વને જાણવું હોય તો કામની પવિત્રતા, દિવ્યતા, એની ઈશ્વરીય અનુભૂતિનો સ્વીકાર કરો, એનો પ્રેમપૂર્ણ હૃદયથી અંગીકાર કરો. તમને આશ્ચર્ય થશે, જેટલા પરિપૂર્ણ હૃદયથી કામનો સ્વીકાર થશે, એટલે અંશે કામથી મુકત થવાતું જશે.

જેટલો અસ્વીકાર તેટલું બંધન - ફકીરને વસ્ત્રોનું હતું તેવું. જેટલો સ્વીકાર એટલી મુકિત. જૉ નૈસર્ગિક જીવનનો પરિપૂર્ણ સ્વીકાર થાય તો એ જ સ્વીકાર અજ્ઞાત માટેનો માર્ગ બની જશે. એ પરિપૂર્ણ સ્વીકòતિને જ હું આસ્તિકતા કહું છું. એ આસ્તિકતા જ વ્યકિતને મુકિત અપાવશે. જે જીવનની નૈસર્ગિકતા સ્વીકારતા નથી, એનો નિષેધ કરે છે, ‘આ પાપ છે, આ વિષય છે, આ ખરાબ છે,’ એવું કહીને જે છોડવાની વાત કરે છે તેને હું નાસ્તિક કહું છું. જેવા હોય તેવા જીવનનો સ્વીકાર કરો અને એની પૂર્ણતામાં જીવો. એ પરિપૂર્ણતા દિનપ્રતિદિન સોપાનો ચડતી જશે. આ સ્વીકાર મનુષ્યને ઘ્ર્વમાં લઈ જશે અને જેનું કામમાં નામોનિશાન ન હતું તેનું દર્શન એક દિવસ લાધશે. કામ જે કોલસો હતો તેમાંથી એક દિવસ પ્રેમનો હીરો ઝળહળશે. આ પ્રથમ સૂત્ર છે.

બીજું સૂત્ર આપને કહેવા માગું છું, તેને પણ આજ સુધી સંસ્કòતિ, સભ્યતા અને ધર્મોએ દબાવી રાખ્યું છે. બીજું સૂત્ર પણ સ્મરણમાં રાખવા જેવું છે કારણ કે પહેલું સૂત્ર કામની શકિતને પ્રેમમાં રૂપાંતરિત કરશે પણ બીજું સૂત્ર દીવાલ બનીને આડું ભું રહ્યું છે એ શકિતને વહેતી રોકવા માટે. એ વહી નહીં શકે.

બીજું સૂત્ર છે માનવીનો અહંકાર - ‘હું’ ભાવ, અહંકાર, ‘હું’ છું. બૂરા લોકો તો કહે છે, ‘હું’ છું. પણ સારા લોકો તો જૉરશોરથી કહે છે કે ‘હું’ છું - ‘મારે સ્વર્ગ જવું છે, મોક્ષ મેળવવો છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે.’ આ ‘હું’ તો ત્યાં ભો જ છે. અને માણસનો અહમ્ જેટલો પ્રબળ, એટલું જ અન્ય સાથે સંયુકત થવાનું સામથ્ર્ય ઓછું કારણ કે અહમ્ એક દીવાલ છે, તે ઘોષણા કરે કે ‘તું તું છો.’, ‘હું હું છું.’ બંને વરચે અંતર છે. કેટલો પ્રેમ કરું તને, મારે ગળે વળગાડું તને, છતાં આપણે બે જુદાં છીએ. ગમે તેટલાં નજીક આવીએ, છતાંયે અંતર તો રહેવાનું જ. હું હું છું - તું તું છે. આથી નિકટતમ અનુભવથી પણ નજીક આવી શકાતું નથી. શરીર પાસે હોય પણ વ્યકિત તો દૂર જ રહે છે. જયાં સુધી મનમાં ‘હું’ ભાવ છે ત્યાં સુધી પરાયાપણાનો ભાવ પણ મોજૂદ છે. સાત્રેએ આ બાબતમાં એક અદ્ભુત વચન કહ્યું છે, ‘વ્ત્ર્ફૂ ંદ્દત્ર્ફૂશ્વ iસ્ન્ ત્ર્ફૂશ્રશ્ર.’ બીજી વ્યકિત નર્ક છે. પણ સાત્રેએ એ નથી કહ્યું કે શા માટે બીજી વ્યકિત નર્ક છે. એ બીજા શા માટે? એ બીજૉ ‘બીજૉ’ છે કારણ કે હું ‘હું’ છું અને જયાં સુધી ‘હું’ છે ત્યાં સુધી જગતની દરેક વસ્તુ અન્ય છે, ભિન્ન છે. અને જયાં સુધી ભિન્નતા છે ત્યાં સુધી પ્રેમનો અનુભવ નથી. ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Wednesday, June 25, 2008

OshoVani-Online Bhagawan Osho Amrit Vani

જીવન અંધકારમય લાગે તો જીવન જીવવાની રીત ખોટી છ

હું આપને કહેવા માગું છું કે જીવનથી અતિરિકત ન કોઇ પરમાત્મા છે, ના કોઇ હોઇ શકે.

અત્યાર સુધી ધર્મના નામે જીવનનો વિરોધ જ શિખવાડાયો છે. ખરું તો એ છે કે, આજ સુધીના તમામ ધર્મ મૃત્યુવાદી છે, જીવનવાદી નથી. એ ¼ષ્ટિએ તો જીવન પછી જે છે તે જ મહત્ત્વનું છે, મૃત્યુ પહેલાં જે છે તેનું કશું મહત્ત્વ નથી. આજ સુધીના ધર્મમાં મૃત્યુની પૂજા છે. જીવનનું સન્માન નથી. જીવનનાં ફૂલોનો આદર નથી, મૃત્યુનાં કરમાયેલાં, વાસી ફૂલોની, કબરોની પ્રશંસા છે, શ્રદ્ધા છે. આજ સુધીનો ધર્મ ચિંતવે છે કે મૃત્યુ પછી શું? સ્વર્ગ, મોક્ષ! મૃત્યુ પહેલાં જે છે તેની સાથે આજ સુધીના ધર્મને જાણે કોઇ સંબંધ નથી. હું આપને એ કહેવા માગું છું કે મૃત્યુ પહેલાં જે છે તેને સંભાળવાને જૉ આપણે અસમર્થ છીએ તો મૃત્યુ પછી જે હોય તેને સંભાળવાનું સામથ્ર્ય આપણામાં કદી ન હોઇ શકે. મૃત્યુ પહેલાં જે છે તે જૉ વ્યર્થ સરકી જાય છે તો મૃત્યુ પછી સાર્થકતાની ત્રેવડ કે યોગ્યતા આપણે આપણામાં કદી ઉત્પન્ન નહીં કરી શકીએ.

મૃત્યુની તૈયારી પણ એ જીવનની આસપાસ જે હાજર છે એના દ્વારા જ કરવાની છે. મૃત્યુ પછી જૉ કોઇ લોક હોય તો એ લોકમાં પણ આપણે જીવનમાં જે અનુભવ્યું છે, નિમ્ર્યું છે એનાં જ દર્શન થશે. પરંતુ આજ સુધી તો જીવનને ભુલાવી દેવાની, જીવનનું વિસ્મરણ કરવાની જ વાતો થઇ છે. હું આપને કહેવા માગું છું કે જીવનથી અતિરિકત ન કોઇ પરમાત્મા છે, ન કોઇ હોઇ શકે. હું એ પણ કહી દેવા માગું છું કે જીવનની સાધના જ ધર્મની સાધના છે અને જીવનમાં પરમ સત્યની અનુભૂતિ કરવી એ જ મોક્ષ પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથિયું છે. એ નિશ્ચિત છે કે જે જીવન ચૂકી જશે તે બીજું બધું ચૂકી જશે. અત્યાર સુધીનું વલણ જ વિપરીત રહ્યું છે, એ વલણમાં તો જીવનને છોડવાની, જીવનનો ત્યાગ કરવાની વાત છે. જીવન જીવવાની કળા શીખવવાની કે જીવનમાં જ શોધ કરવાની વાત એ વલણમાં નથી. જીવન જીવવાની રીત પણ એ નહીં દર્શાવે. જીવન જીવવાની સાચી રીત જો જડી જાય તો એ જ જીવન આનંદવર્ષા પણ કરી શકે છે.

ધર્મને હું જીવન જીવવાની કળા કહું છું. ધર્મ એટલે જીવનનો ત્યાગ નહીં ધર્મ એટલે જીવનના ગહનમાં તરવાનું સોપાન. જીવનને પીઠ બતાવવામાં નહીં, જીવનને પૂરી રીતે આંખો ખોલીને જૉઇ લેવામાં ધર્મ છે. જીવનથી ભાગી છૂટવામાં ધર્મ નથી, જીવનને પૂર્ણતયા આલિંગવાનું બીજું નામ જ ધર્મ છે. જીવનનો સંપૂર્ણ સાક્ષાત્કાર એટલે ધર્મ. આ જ કારણથી આજ સુધી માત્ર વૃદ્ધો જ ધર્મોત્સુક રહ્યા છે. મંદિરોમાં, ચર્ચમાં, ગિરિજાઘરોમાં, ગુરુદ્વારાઓમાં માત્ર વૃદ્ધો જ દેખાય છે. ન તો યુવાનો ત્યાં દેખાય છે ન તો બાળકો. તેનું કારણ શું? એનું એક જ કારણ છે આજ સુધી આપણો ધર્મ માત્ર વૃદ્ધોનો ધર્મ રહ્યો છે. જેમનું મરણ નજીક છે, જેઓ મૃત્યુથી ભયભીત છે, જેઓ મૃત્યુપળની સ્થિતિના ચિંતનમાં છે અને મૃત્યુ પછી શું છે એ જાણવા ચાહે છે એ લોકોનો ધર્મ છે. મૃત્યુ પર આધારિત ધર્મપૂર્ણ જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકે? મૃત્યુનું ચિંતન કરનારો ધર્મ પૃથ્વીને ધાર્મિક શી રીતે બનાવે?એ નથી બનાવી શકયો. પાંચ હજાર વર્ષથી અપાતી ધાર્મિક કેળવણી છતાંય પૃથ્વી રોજ અધાર્મિકતા તરફ જ ઢળતી રહી છે. મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, પૂજારી છે, પુરોહિત છે, સંન્યાસી છે અને છતાં પૃથ્વી ધાર્મિક બની શકી નથી, અને બનીયે નહીં શકે કારણ કે ધર્મનો આધાર જ ખોટો છે. એ ધર્મનો આધાર જીવન નથી, મૃત્યુ છે. ધર્મનો આધાર વિકસતાં પુષ્પો નથી, મૃત કબરના પથ્થરો છે. જે ધર્મનો આધાર મૃત્યુ હોય એ ધર્મ જો પ્રાણોને, જીવનના પ્રાણોને સ્પંદિત કરી ન શકે તો એમાં આશ્ચર્ય શું? જવાબદારી કોની? ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી

સંકલન : એક ઓશો સંન્યાસી

Saturday, June 21, 2008

પ્રેમ સદા ઝૂકવા રાજી છે, અહંકાર નહીં

પ્રેમ સદા ઝૂકવા રાજી છે, અહંકાર નહીં

Oshovaniએક ગામમાં એક માણસે માછલીની દુકાન માંડી હતી. એ ગામમાં એવી એ પહેલી દુકાન હતી. દુકાનદારે સરસ પાટિયું લગાવ્યું. ‘તાજી માછલીઓ અહીં વેચાય છે.’

એક માણસે પૂછ્યું: ‘ માછલીઓ તો તાજી જ વેચાય. વાસી કંઈ વેચાય? તાજી કહેવાનો શો અર્થ છે?’

દુકાનદારે વાત ખરી લાગતાં એણે ‘તાજી’ શબ્દ પાટિયામાંથી કાઢી નાખ્યો.

એ જ દિવસે એક વૃદ્ધા ત્યાં આવી. પાટિયું વાંચીને તે બોલી: ‘અહીં માછલી વેચાય છે? શું બીજે પણ વેચો છો ખરા?’

દુકાનદારને ‘અહીં’ શબ્દ પણ નિરર્થક લાગ્યો ને કાઢી નાખ્યો. હવે રહ્યું માત્ર ‘માછલી વેચાય છે.’ત્રીજે દિવસે એક માણસે વળી કહ્યું: ‘માછલી વેચાય છે? શું મફત પણ આપો છો ખરા?’‘વેચાય છે.’ શબ્દ પણ દુકાનદારે કાઢી નાખ્યો.

એક વૃદ્ધ આવ્યો: ‘માછલી? એ તો આંધળાને ય ખબર પડે તેવી વાત છે. માછલીની વાસ દૂરથી આવે છે. આ પાટિયું શું જૉઈને માર્યું?’

પાટિયામાંથી ‘માછલી’ પણ ચાલી ગયો. રહી ગયું માત્ર પાટિયું.

બીજા એક માણસે આવીને કહ્યું: ‘પાટિયું શું લટકાવ્યું છે? નકામી જગ્યા રોકે છે.’

પાટિયું પણ ગયું. કશું ન રહ્યું. જેમ જેમ નિષેધ થતો ગયો તેમ તેમ પ્રકાશ પ્રગટતો ગયો, એક પછી એક શબ્દો ખસતા ગયા. પાછળ જે હતું તે શૂન્ય.

એ શૂન્યમાંથી પ્રેમનો જન્મ થાય છે કારણ કે એ શૂન્યમાં બીજાના શૂન્યમાં મળવાની ક્ષમતા છે. શૂન્યથી માત્ર શૂન્ય જ મળી શકે છે, બીજું કંઈ નહીં. બે શૂન્ય મળી શકે છે, બે વ્યકિત નહીં. બે વ્યકિત નથી મળી શકતી, બે શૂન્ય મળી શકે છે, કારણ કે વરચે કોઈ બાધા નથી હોતી. દરેક વસ્તુને દીવાલ હોય છે, શૂન્યને કોઈ દીવાલ હોતી નથી.

તો બીજી વાત એ સ્મરણમાં રાખવાની કે જયારે વ્યકિતનું વિલોપન થાય છે, ‘હું’ ભાવ ચાલ્યો જાય છે ત્યારેે પ્રેમ પ્રગટે છે. જે છે તે સમસ્ત છે. ‘હું’ નથી એવો ભાવ થતાં જ દીવાલો તૂટે છે, ગંગા વહી નીકળે છે. ગંગા શૂન્યની જ પ્રતીક્ષા કરતી હતી. આપણે જયારે કૂવો ખોદીએ છીએ ત્યારે પાણી તો અંદર છે જ.

પાણી લાવવાનું હોતું નથી. માત્ર પાણી આડે પડેલા પથ્થરોને-માટીને દૂર કરવાનાં હોય છેે. આપણે કરી કરીને શું કરીએ છીએ? એક શૂન્ય ભું કરીએ છીએ. કૂવો ખોદવાનો અર્થ જ શૂન્ય સર્જવું, જેથી પાણીને પ્રગટ થવા અવકાશ મળે. કૂવામાં પાણી તો ભર્યું જ છે.માટી-પથ્થર દૂર કરો એટલે પાણી છલકાઈ ઠશે.

માનવીની અંદર પ્રેમ ભર્યોપડયો છે. એને પ્રગટવા જગા જૉઈએ અને જયાં સુધી આપણે ‘હું’થી ભર્યા છીએ, ‘હું’ની બૂમો પાડયા કરીએ છીએ ત્યાં સુધી પ્રેમ નહીં પ્રગટે. ‘હું’ છે, ત્યાં સુધી તમે માટી-પથ્થરથી ભરેલા કૂવા છો. તમારા કૂવામાં પ્રેમનાં ઝરણાં નહીં ફૂટે, ફૂટી શકે નહીં. એક વાત સાંભળી છે એક પુરાણા વૃક્ષની. એની શાખાઓ સમ્રાટની અદાથી આકાશમાં ફેલાઈ હતી. એને પુષ્પ બેસતાં તો દૂર દૂરથી એની સુગંધ લેવા પતંગિયાં આવતાં. એને ફળ આવતાં ને પંખીઓ ડાડ કરી મૂકતાં.

એની ફેલાયેલી શાખાઓ, એની છાયા, એનું આ રૂપ આકાશમાં બહુ સુંદર પસતું. એની છાયામાં રોજ એક બાળક રમવા આવતો. આ મોટાં વૃક્ષને એ નાના બાળક સાથે પ્રેમ બંધાઈ ગયો. મોટાને જૉ મોટાઈનો ખ્યાલ ન રહે તો નાના સાથે પ્રેમ થઈ શકે છે. વૃક્ષને પોતાની મોટાઈનું ભાન ન હતું. એ ભાન તો માત્ર માનવીને જ હોય છે. અહંકાર હંમેશાં પોતાનીથી મોટા સાથે સંબંધ બાંધે છે.

પ્રેમને મન કોઈ નાનું મોટું નથી. તો વૃક્ષને બાળક સાથે પ્રીત બંધાણી પણ બાળક નાનો હતો, શાખાઓ ચી હતી. બાળક ફળ તોડી શકે માટે વૃક્ષ પોતાની શાખાને નીચી ઝુકાવતું. પ્રેમ સદા ઝૂકવા રાજી છે, અહંકાર નહીં. અહંકાર પાસે જશો તો તેના હાથ તમે અડી ન શકો માટે ચા થશે કારણ કે જેને આંબી શકાય તે માણસ નાનો, જેને આંબી ન શકાય તે દૂર, દિલ્હીના સિંહાસન પર-મોટો માણસ.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Sunday, June 8, 2008

આકર્ષણ ક્ષણિક સમાધિ માટે છે

આકર્ષણ ક્ષણિક સમાધિ માટે છે

સાગરની લહેર જો બરફનો પથ્થર બની જાય, જામીને બરફ થઈ જાય તો નીચે પડવાની કોઈ જરૂર નથી.

જે લોકો સેકસના વિરોધી છે એ તો એ અનુભવ શું છે એ સમજી નથી શકતાં. આટલી આતુરતા કોના માટે છે એનું યોગ્ય વિશ્લેષણ પણ એ લોકો કરી શકતા નથી. હું આપને કહેવા ઇરછું છું કે, સંભોગનું આટલું આકર્ષણ ક્ષણિક સમાધિ માટે છે અને જે દિવસથી આપને સંભોગ સમાધિ ઉપલબ્ધ થવી શરૂ થશે એ જ દિવસથી આપ સંભોગથી મુકત થઈ જશો. તે દિવસથી તમે સંભોગથી, સેકસથી મુકત થશો. કારણ કે માનવી હજારો રૂપિયા ખોઈને પણ થોડોક અનુભવ મેળવે છે, એને કોઈ કાળે કોઈ કહી દે કે રૂપિયા ગુમાવવાની કોઈ જરૂર નથી, આ અનુભવના તો ખજાના ભર્યા છે. આ માર્ગે તું ચાલ અને અનુભવ પ્રાપ્ત કરી લે. તો પછી હજારો રૂપિયા ગુમાવીને એ અનુભવને ખરીદવા માટે એ બજારમાં નહીં જાય.

કામ દ્વારા જે અનુભૂતિ મળે છે તે જ અનુભૂતિ કોઈ અન્ય માર્ગે મળી શકે તો મનુષ્યનું ચિત્ત સેકસ તરફ ઢળવાનું આપોઆપ બંધ કરી દેશે. એનું ચિત્ત એક નવી દિશામાં ગતિ કરશે. એટલે જ હું કહું છું કે જગતમાં મનુષ્યને સમાધિનો સૌ પ્રથમ અનુભવ સેકસના અનુભવમાંથી જ થયો છે. પરંતુ એક તો, અનુભવ ઘણો મોંઘો છે અને એક ક્ષણથી વધારે ગહન નથી. એક ક્ષણની ઝલક ને પાછા હતા ત્યાં ને ત્યાં. એક ક્ષણ માટે કોઈ લોકમાં પહોંચી જવાય છે. કોઈ ગહનતાને, કોઈ શિખરને આંબવાનું હોય છે અને એ થાય તે પહેલાં જ પતન શરૂ થઈ જાય છે. જેમ કોઈ સાગરનું મોજું આકાશ તરફ છળે અને હજી આગળ વધે, પહોંચે, હવાની સાથે ટક્કર લે તે પહેલાં જ એનું સાગરની દિશામાં પતન શરૂ થઈ જાય છે તેમ. પછી એ અનુભવ માટે, એ સુખ માટે, એ સાક્ષાત્કાર માટે વારંવાર શકિતનો સંચય કરીને એની ચેષ્ટા ફરી ફરીને કરીએ છીએ. પરંતુ હાથમાં તો આવે છે કાયમની વિફલતા. કોઈ ગહન વિશ્વમાં, કોઈ ઘ્ર્વલોકમાં એક ક્ષણ માટે આપણે હજી પ્રવેશ પણ નથી પામતાં ને તમામ લહેરો વિખરાઈ જાય છે. આપણી શકિતને ગુમાવીને આપણે પાછા હતા ત્યાં આવીને ભા રહીએ છીએ. પરંતુ સાગરની લહેર જૉ બરફનો પથ્થર બની જાય, જામીને બરફ થઈ જાય તો નીચે પડવાની કોઈ જરૂર નથી.

માનવીનું ચિત્ત જયાં સુધી સેકસની તરલતામાં વહે છે ત્યાં સુધી એ ચડે છે અને પાછું પડે છે. આખું ય જીવન આ જ કરે છે. અને જે અનુભવ માટે, અહંશૂન્યતાને અહંકારશૂન્યતા માટે આટલું તીવ્ર આકર્ષણ છે તે તો હાથમાં આવે છે ને નથી ય આવતું. હું સ્વયંને જાણી લઉં. હું મૌલિક શકિતને જાણી લઉં, જે અનંત છે, જે સમય-શૂન્ય છે, જે સમયાતીત છે, જે અનંત અનાદિ છે એને જાણી લઉં... એ જ આકર્ષણ છે ને? એ જાણવા માટે જગત આખું સેકસના કેન્દ્ર પર ઘૂમે છે... પરંતુ આપણે જો આ ઘટનાક્રમનો વિરોધ કરીએ તો શું થાય? તો સેકસ દ્વારા જે એક ઝલકની જેમ દેખાય છે તે અનુભવ મળી શકશે? ના, નહીં મળે. જૉ આપણે સેકસનો વિરોધ કરીએ છીએ તો સેકસ જ આપણી ચેતનાનું કેન્દ્ર બની જાય છે. આપણે સેકસથી મુકત થતા નથી, પણ તેનાથી બંધાઈએ છીએ. જેમ જેમ એનાથી ભાગવાના પ્રયત્નો કરીએ છીએ તેમ તેમ વધારે ને વધારે બંધાતા જઈએ છીએ.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

Wednesday, June 4, 2008

ફૂલો ઘણાં સ્વાદિષ્ટ છે

ફૂલો ઘણાં સ્વાદિષ્ટ છે

એક માણસ બીમાર હતો. દિવસ-રાત એને ભૂખ લાગતી હતી. એ જ એની બીમારી હતી. હકીકતમાં એને કોઈ બીમારી ન હતી. જીવનની બાબતમાં એણે વિરોધી પુસ્તકો વાંરયાં હતાં. એણે વાંરયુ હતું કે, ભોજન પાપ છે. ઉપવાસ પુણ્ય છે. કંઈ પણ ખાવું તે હિંસા કરવા બરાબર છે.ભોજન પાપ સમજીને એ ભૂખનું દમન કરવા લાગ્યો. જેમ ભૂખનું દમન થતું ગયું તેમ ભૂખ પ્રબળતાથી પ્રગટ થવા માંડી. પરિણામ એ આવ્યું કે તે બે- ચાર દિવસ ઉપવાસ કરે અને એક દિવસ ગાંડાની માફક જે આવે તે ખાઈ લેતો હતો. કંઈ પણ ખાઈ લે એટલે દુ:ખી થાય. કારણ કે વળી પાછી ખાવાની તકલીફ સહેવી પડતી હતી. વળી પાછો ઉપવાસ કરે ને પશ્ચાત્તાપ કરે ને વળી પાછો કંઈક ખાઈ લે. છેવટે તેણે નક્કી જ કર્યું કે ઘરમાં રહીને આ વસ્તુ ટાળી નહીં શકાય, જંગલમાં જવું જૉઈએ.

તે પહાડ પર ગયો. હિલ સ્ટેશન પર જઈને એક ઓરડામાં રહેવા લાગ્યો. ઘરના માણસો પણ મૂંઝવણમાં પડી ગયા. પહાડ પર જઈને પતિ હવે ખાવાની બીમારીથી મુકત થશે એવું માનીને પત્ની આનંદ પામી. એણે પતિને આનંદના પ્રતીકરૂપે પુષ્પો મોકલ્યાં અને કહેડાવ્યું, ‘હું બહુ રાજી થઈ છું. તમે કદાચ પહાડ પરથી સ્વસ્થ થઈને પાછા ફરશો એવી શુભકામના રૂપે આ પુષ્પો મોકલું છું.’ પેલા માણસે ઉત્તરમાં જણાવ્યું હતું, ‘ફૂલો મોકલવા બદલ આભાર. ફૂલો ઘણાં સ્વાદિષ્ટ છે.’ પહાડ પર રહીને એ ફૂલો ખાઈ ગયો... કોઈ માણસ ફૂલ ખાઈ જાય એની તો આપણને કલ્પના ય ન આવે. કારણ કે આપણે એની જેમ કાંઈ ઉપવાસની સાધના થોડી જ કરી છે?

પરંતુ જેણે ભોજનની સાથે લડાઈ શરૂ કરી હશે, તે જરૂર ફૂલો ખાશે. માનવીએ સેકસની સાથે લડાઈ શરૂ કરી તો તેણે સેકસના નામ પર શું શું ખાધું(કર્યું) તેનો હિસાબ લગાવ્યો છે? મનુષ્યને-સભ્ય મનુષ્યને બાદ કરતાં સજાતીય સંબંધ કયાંય છે? જંગલમાં આદિવાસીઓ રહે છે. એમને તો કલ્પના પણ નથી કે સજાતીય કામ હોઈ શકે. પુરુષ પુરુષની સાથે સંભોગ કરે એવું તો હોતું હશે? એ કલ્પનાની બહાર છે. હું આદિવાસીઓ સાથે રહ્યો છું અને સભ્ય લોકો આવું કરે છે એમ મેં તેમને કહ્યું ત્યારે એ કહેવા લાગ્યા કે એ તો તેમની કલ્પનામાં ય નથી આવતું.

અમેરિકામાં તો આ અંગે મોજણી થઈ છે. પાંત્રીસ ટકા લોકો હોમોસેકસ્યુઅલ છે. બેિલ્જયમ, સ્વિડન અને હોલેન્ડમાં હોમોસેકસ્યુઅલ કલબો છે, સોસાયટીઓ છે, તેનાં છાપાં નીકળે છે અને તે લોકો એવો દાવે કરે છે કે સજાતીય સંબંધ ઉપરનું કાયદાનું નિયંત્રણ દૂર થવું જૉઈએ. ચાલીસ ટકા જેટલા લોકો જેમાં માનતા હોય, જે વ્યવહાર કરતા હોય, તેને દબાવી દેવો એ લધુમતી પર આક્રમણ છે. તેઓ માને છે કે તે બરાબર છે અને તેમ કરવાનો અમને અધિકાર હોવો જૉઈએ. આ સ્થિતિ કેમ પેદા થઈ તેની કલ્પના કોઈ કરી શકતું નથી.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી … સંકલન : એક ઓશો સંન્યાસી

Friday, May 30, 2008

મનુષ્ય પદાર્થથી પરમાત્મા સુધી પહોંચે

મનુષ્ય પદાર્થથી પરમાત્મા સુધી પહોંચે

ધર્મ તો ઇરછે છે કે મનુષ્યજીવન નિમ્નતાથી ઉરચતા તરફની યાત્રા બને, પદાર્થથી પરમાત્મા સુધી પહોંચે.

મારે તમને એ કહેવું છે કે, જે લોકો સેકસની વાત કરવા મનાઇ કરે છે એ જ લોકોએ પૃથ્વીને સેકસના ખાડામાં ધકેલી દીધી છે. જે લોકો ગભરાય છે, સેકસથી આપણો કશો સંબંધ નથી એમ માને છે એ પોતે તો પાગલ છે જ, પરંતુ સમસ્ત પૃથ્વીને પાગલ બનાવવામાં પણ એમનો જ ફાળો છે. મનુષ્યના વ્યકિતત્વમાં જે છુપાયું છે તે શ્રેષ્ઠ રૂપમાં અભિવ્યકત થાય એ જ ધર્મ ઇરછે છે.

ધર્મ તો ઇરછે છે કે મનુષ્યજીવન નિમ્નતાથી ઉરચતા તરફની યાત્રા બને, પદાર્થથી પરમાત્મા સુધી પહોંચે. આ ઇરછા ત્યારે જ ફળે જયારે આપણે જયાં પહોંચવા માગીએ છીએ એ સ્થાનને સમજવું એટલું બધું ઉપયોગી નથી, જેટલું પ્રારંભ સ્થાનને સમજવું ઉપયોગી છે. સેકસ એક હકીકત છે, મનુષ્ય જીવનનું એ એક તથ્ય છે અને પરમાત્મા? એ તો હજી દૂર છે.

આપણા જીવનનું તથ્ય સેકસ છે. આ તથ્યને સમજયા પછી પરમાત્માના સત્ય સુધીની યાત્રા શકય છે પરંતુ તથ્યને સમજયા વિના તો એક તસુ પણ આગળ વધવું અશકય છે. માત્ર ઘાણીના બળદની જેમ એક જ જગ્યાએ ફરવાનું જ બની શકે. પહેલી સભામાં મેં જયારે વાત કરી ત્યારે એવું લાગ્યું કે આપણે જીવનની વાસ્તવિકતાને સમજવાની તૈયારી બતાવતા નથી. તો પછી આપણે બીજું શું કરી શકીએ? આગળ બીજું થાય પણ શું? તો પછી પરમાત્માની તમામ વાતો પોકળ સાંત્વના માત્ર છે. જીવનનું પરમ સત્ય ગમે તેટલું નગ્ન હોય તે જાણવું જ પડશે, સમજવું જ પડશે.સૌથી પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે મનુષ્યનો જન્મ સેકસમાંથી થાય છે. મનુષ્યનું સમગ્ર વ્યકિતત્વ સેકસના અણુથી ઘડાયું છે. મનુષ્યના પ્રાણ સેકસની શકિતથી ભરપૂર છે.

જીવનશકિત એ શું છે? એ આપણા જીવનને આટલી પ્રબળતાથી કેમ આંદોલિત કરે છે? આપણા જીવનને આટલું પ્રભાવિત કેમ કરે છે? આપણે ફરી ફરીને પાછા સેકસના કેન્દ્રે જ કેમ આંટાફેરા મારીએ છીએ અને ખલાસ થઇ જઇએ છીએ? એવું તે શું આકર્ષણ છે? હજારો વર્ષોથી ઋષિમુનિઓ એનો ઇનકાર કરી રહ્યા છે છતાં મનુષ્ય પર એનો કોઇ પ્રભાવ કાં ન પડે?

હજારો વર્ષથી તેઓ કહી રહ્યા છે, ‘સેકસની કલ્પના છોડો, કામના છોડો. ચિત્તમાંથી એ બધાં સપનાં કાઢી નાખો’ પરંતુ મનુષ્યના ચિત્તમાંથી એ સપનાં નીકળ્યાં નથી. આ રીતે તો નીકળી પણ ન શકે. હું તો ચકિત થઇ ગયો છું કે, હું જયારે વેશ્યાઓને મળ્યો છું ત્યારે વેશ્યાઓએ સેકસની વાત નથી કરી, એમણે આત્મા-પરમાત્માને લગતી પૂછપરછ કરી છે. એમ તો સાધુ-સંન્યાસીઓને પણ મળું છું. એ લોકો જયારે એકાંતમાં મળે છે ત્યારે સેકસ સિવાય કોઇ બાબતની પૂછપરછ નથી કરતા. હું ચકિત થઇ ગયો.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

Tuesday, May 27, 2008

સોગંદ ખાવાવાળાથી હંમેશાં સાવધાન રહો

સોગંદ ખાવાવાળાથી હંમેશાં સાવધાન રહો

oshovaniસોગંદ ચેતન મન ખાય છે અને જે અંદર બેઠું છે તેના પર અચેતન મનનું આવરણ છે.

દ્રઢ સંકલ્પ શા માટે કરવો પડે? જયારે કોઈ એમ કહે છે કે હું બ્રહ્મચર્યનું વ્રતલઉં છું. એનો અર્થ જ એ છે કે તેની અંદર કામુકતા ઉછાળા મારે છે. નહીંતર બીજું શું કારણ હોઈ શકે? જયારે કોઈ એમ કહે છે કે શ્નઆજથી હું ઓછું ખાવાનાં સોગંદ લઉં છું.’ એનો અર્થ એ છે કે એને વધુ ખાવાનું મન છે અને ઓછું ખાવું પડે છે અને ત્યારે અનિવાર્યરૂપે દ્વન્દ્વ પેદા થાય છે.

જેની સામે આપણે લડવા માંગીએ છીએ એ જ આપણી નબળાઈ છે અને ત્યારે દ્વન્દ્વ સ્વાભાવિક છે. મનની સાથે લડતો લડતો તે મિત્રના ઘરે ગયો અને ખૂબ સંભાળ રાખીને કહ્યું, શ્નઆ મારા મિત્ર છે.’ પણ જયારે તે બોલતો હતો ત્યારે તેના તરફ કોઈ જૉતું ન હતું. ઘરના લોકો તેના મિત્રને જ જૉઈ રહ્યા હતા.

ફરી પાછો તેને ખ્યાલ આવ્યો કે મારો કોટ, મારી પાઘડી. પણ તરત જ ખ્યાલ આવ્યો કે સોગંદ લીધા છે, એની વાત જ કરવાની નથી. એ કપડાં મારાં છે, કપડાં કોઈનાં હોઈ શકે. આ તો સંસાર છે. આ બધી માયા છે. પણ આ બધી વાત પોતાને સમજાવી રહ્યો હતો. મૂળ વાત તો અંદર ઉછાળા મારી રહી હતી. તેણ કહ્યું, શ્નઆ મારા મિત્ર છે, બચપણના દોસ્ત છે, બહુ મજાના માણસ છે. બાકી રહ્યાં કપડાં, કપડાં એનાં જ છે, મારાં નથી.’

ઘરના લોકોને આ પરિચય ખૂબ વિચિત્ર લાગ્યો. આજ સુધી આવા પરિચયનો તેમને અનુભવ નહોતો. બહાર નીકળીને ફકીરે મિત્રની માફી માગી, કે ભૂલ થઈ ગઈ. શું કરું? આ શું થઈ ગયું છે મને? મારી જિંદગીમાં આજ દિવસ સુધી કપડાંએ મને પકડયો નથી, કોઈએ મને પકડયો નથી. મિત્રે કહ્યું, શ્નહવે હું તમારી સાથે નહીં આવું.’ પણ ફકીર હાથ જૉડીને કહેવા લાગ્યો કે એમ ન કરો.

જીવનપર્યંત મને એ વાતનો ડંખ રહેશે કે મેં તમારી સાથે દુવ્ર્યવહાર કર્યો. હવે હું સોગંદપૂર્વક કહું છું કે કપડાંની વાત નહીં ઉરચારું. હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું.સોગંદ ખાવાવાળાથી હંમેશાં સાવધાન રહો. કારણ કે જે સોગંદ ખાય છે તેની અંદર સોગંદથી યે કંઈ મજબૂત છે કે જેના માટે તેને સોગંદ ખાવા પડે છે.

અને જે અંદર છે તે ખૂબ ઊંડું છે અને સોગંદ ઉપર અને બહારથી ખવાય છે. સોગંદ ચેતન મન ખાય છે અને જે અંદર બેઠું છે તેના પર અચેતન મનનું આવરણ છે.મનના જૉ દસ ભાગ કરવામાં આવે તો એક ભાગ સોગંદ ખાય છે અને નવ ભાગ અંદર દબાયેલા પડયા છે. એક ભાગ બ્રહ્મચર્યના સોગંદ ખાય છે અને બાકીના નવ ભાગ કામને ઝંખે છે અને તેનું જ રટણ કરે છે.

ત્રીજા મિત્રને ત્યાં ગયા. હવે તે ફકીરે શ્વાસ પર સંયમ રાખ્યો હતો. સંયમી માનવી ખૂબ જ ખતરનાક છે. કારણ કે ઉપરથી સંયમ સાઘ્યો હોય છે. પરંતુ અંદર જવાળામુખી ઊકળી રહ્યો હોય છે. યાદ રાખો કે જે વસ્તુ સાધવી પડતી હોય છે, તે સાધવામાં એટલો શ્રમ પડે છે કે સાધના સતત થઈ શકતી નથી. શિથિલ થવું પડે છે, વિશ્રામ કરવો પડે છે.

જૉ હું જૉરથી મૂઠી બાંધું તો કેટલી વાર સુધી તેને બાંધેલી રાખી શકું? ચોવીસ કલાક? જેટલી જૉરથી બાંધીશ એટલી જલદી હું થાકી જઈશ અને મૂઠી ખૂલી જશે. મૂઠી ચોવીસ કલાક ખુલ્લી રાખી શકાય છે પરંતુ બાંધી રાખી શકાતી નથી.જે કામમાં શ્રમ પડે છે તેને તમે તમારું જીવન નહીં બનાવી શકો. એ કામ કદી સહજ નહીં બને.

કારણ કે જયાં પ્રેમ છે ત્યાં વિશ્રામ તો આવવાનો જ. માટે સંત જેટલો સિદ્ધ એટલો જ ખતરનાક. કારણ કે એને વિશ્રામનો સમય તો હોય છે જ. ચોવીસ કલાકમાં એક કલાક તો તેને શિથિલ થવું જ પડે અને એ સમયે દુનિયભારનાં પાપ તેની અંદર બેઠાં થશે! નર્ક ઊભું થઈ જશે.

તો ફકીરે તેનો શ્વાસ પણ રોકી રાખ્યો અને સોગંદ લીધા કે કપડાંની વાત નહીં કરું. પણ તેની હાલત તો વિચારો. જૉ તમે થોડાગણા પણ ધાર્મિક હશો તો ફકીરની હાલત સમજી શકશો. જૉ સોગંદ લીધા હોય, સંકલ્પ કર્યોહોય તો તમને ખ્યાલમાં હશે કે અંદર શું શું થાય. અંદર ગયા. ફકીર તો પરસેવે રેબઝેબ થઈ ગયો.

એની નસો તંગ થઈ ગઈ. માંડમાંડ તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા, શ્નઆ મારા બહુ જૂના મિત્ર છે. ખૂબ સારા માણસ છે.’ આટલું બોલીને જરાક થોભ્યો. જાણે અંદરથી કોઇક ધક્કો લાગ્યો અને બધું વહી ગયું. પૂર આવ્યું ને તણાઈ ગયું અને ફકીરે કહ્યું, શ્નહવે કપડાંની વાત, એ માટે હું કશું નહીં કહું. સોગંદ લીધા છે.’

જેવું આ ફકીરનું થયું એવું જ સેકસની બાબતમાં આખી માનવજાતિનું થયું છે. સેકસને એક ઘા, એક રોગ, એક વિકૃતિ કરી મૂકવામાં આવી છે અને બધું જ વિષમય કરી મૂકયું છે.શ્નસંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Tuesday, May 20, 2008

Why do i get so sensitive?

Bhagawan Rajneesh OSHO Videos

Bhagawan Rajneesh OSHO Video

Bhagawan Rajneesh OSHO Video

Monday, May 19, 2008

Bhagwan Rajnish osho amritvani

કપડાં પહેરીને પણ આપણે દિગંબર છીએ

અમેરિકામાં હમણાં હમણાં એક નવું આંદોલન શરૂ થયું છે. એ આંદોલન ત્યાંના બહુ ધાર્મિક લોકો ચલાવે છે. આંદોલન આ પ્રકારનું છે. ગાય, ભેંસ, કૂતરાં, બિલાડી, ઘોડા, આદિને પણ રસ્તા પર વસ્ત્ર વગર નહીં કાઢવાનાં... એમને પણ કપડાં પહેરાવીને જ બહાર કાઢવાનાં. કારણ કે નગ્ન પશુઓને જોઈને બાળકો બગડી શકે છે.

ભારે મજાની વાત છે- નગ્ન પશુઓને જોઈને બાળકો બગડી શકે છે? એ માટે અમેરિકાના નીતિશાસ્ત્રીઓ પશુઓને સવસ્ત્ર બનાવવાની બાબતમાં આંદોલન કરે છે. માનવીને બચાવવા આટઆટલા પ્રયત્નો થઈ રહ્યા છે. માનવીને બચાવવાની કોશિશ કરનારા જ માનવીને નષ્ટ કરી રહ્યા છે.

પશુ પોતાની નગ્નતામાં પણ અદ્ભુત ને સુંદર હોય છે, એનો કદી વિચાર કર્યોછે? એ નગ્નતામાં પણ તેઓ નિર્દોષ છે, સરળ છે. પશુ નગ્ન છે એનો કદાચ તમને વિચાર સરખો ય નહીં આવ્યો હોય. તમારી અંદર બહુ નગ્નતા છુપાઈ ન હોય ત્યાં સુધી તમને નગ્ન નહીં દેખાય. પરંતુ જે લોકો ભયભીત છે તે લોકો જ ભયના માર્યા બધું કરી રહ્યા છે.

આજ સુધી તેઓ આવાં જ કામ કરતા રહ્યા છે, એમની તમામ પ્રવૃત્તિઓને પરિણામે માનવીની અધોગતિ જ થતી રહી છે. માણસ કોઈ દિવસ નગ્ન થઈ શકવાની, નિર્દોષ થવાની સરળતા પ્રાપ્ત કરે એની મૂળ તો જરૂર છે. જેમ મહાવીર જેવી વ્યકિત દિગંબર થઈ શકી તેમ પ્રત્યેક વ્યકિત સહજતાથી નગ્ન થઈ શકે એની જરૂર છે.

ધાર્મિક લોકો કહે છે, મહાવીરે કપડાંનો ત્યાગ કર્યો. હું કહું છું- ના, એમણે કપડાંનો ત્યાગ નથી કર્યો. એમનું ચિત્ત એટલું નિર્દોષ થઈ ગયું હશે- નાના બાળકના જેવું કે તેઓ દિગંબર બની ગયા હશે. કારણ કે ઢાંકવા જેવું જયારે કંઈ નથી રહેતું ત્યારે જ માણસ નગ્ન થઈ શકે છે. જયાં સુધી અંદર કંઈક ઢાંકવા જેવું હોય છે ત્યાં સુધી માણસ પોતાને છુપાવે છે. ઢાંકવા જેવું કંઈ ન હોય તો નગ્ન થઈ શકે.

પ્રત્યેક વ્યકિત નગ્ન થઈ શકે એવી સરળતા જયાં હોય તેવી પૃથ્વી હોવી જોઈએ. નગ્ન થવામાં અપરાધ શો છે? ભય શો છે? આજે તો કપડાં પહેરીને પણ અપરાધી લાગીએ છીએ. કપડાં પહેરીને પણ આપણે નગ્ન છીએ, અને એવી વ્યકિતઓ પણ હોય છે જે નગ્ન થઈને (કપડાં ઉતારીને) પણ નગ્ન નથી હોતી. નગ્નતા એ મનની એક વૃત્તિ છે. ચિત્ત જૉ સરળ હોય, નિર્દોષ હોય તો નગ્નતા પણ સાર્થક છે, અર્થપૂર્ણ છે, તેનું પણ એક સૌંદર્ય છે. પરંતુ આજ સુધી તો માનવીને ઝેર પાયું છે અને તેનું પરિણામ એ આવ્યું કે જીવન એક છેડાથી બીજા છેડા સુધી ઝેરીલું બની ગયું છે.

સ્ત્રીઓને આપણે કહીએ છીએ કે પતિને પરમાત્મા સમજે અને સ્ત્રીઓને બચપણથી જ શીખવવામાં આવે છે કે સેકસ પાપ છે, નરક છે. તેનાં કાલે લગ્ન થશે. તો જે વ્યકિત એને સેકસમાં લઈ જશે- નરકમાં લઈ જશે- તેને પરમાત્મા કેવી રીતે માની શકશે?

એક તરફ આપણે તેને શીખવીએ છીએ કે પતિ પરમાત્મા, અને પત્નીનો અનુભવ કહેશે કે આ પહેલો પાપી છે, જે મને નરકમાં ઘસડી જાય છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

Re-Published by - D S - Bhagwan Rajnish osho amritvani

Saturday, May 17, 2008

Osho's Past Lives

The moment the child is born, you think, is the beginning of its life.

That is not true.

The moment an old man dies, you think, is the end of his life.

It is not.

Life is far bigger than birth and death.

Birth and death are not two ends of life; many births and many deaths happen within life. Life itself has no beginning, no end: life and eternity are equivalent….

Life begins at the point of your past life's death. When you die, on the one side one chapter of life, which people think was your whole life, is closed. It was only a chapter in a book which has infinite chapters. One chapter closes, but the book is not closed. Just turn the page and another chapter begins.

The person dying starts visualizing his next life. This is a known fact, because it happens before the chapter closes….

Buddha has a word for it, he calls it tanha. Literally it means desire, but metaphorically it means the whole life of desire. All these things happened: frustrations, fulfillments, disappointments, successes, failures…but all this happened within a certain area you can call desire.

The dying man has to see the whole of it before he moves on further, just to recollect it, because the body is going: this mind is not going to be with him, this brain is not going to be with him. But the desire released from this mind will cling to his soul, and this desire will decide his future life. Whatever has remained unfulfilled, he will move towards that target.

Your life begins far back before your birth, before your mother's impregnation, further back in your past life's end. That end is the beginning of this life. One chapter closes, another chapter opens. Now, how this new life will be is ninety-nine percent determined by the last moment of your death. What you collected, what you have brought with you like a seed—that seed will become a tree, bring fruits, bring flowers, or whatever happens to it. You cannot read it in the seed, but the seed has the whole blueprint….

If a man dies fully alert, seeing the whole terrain that he has passed and seeing the whole stupidity of it, he is born with a sharpness, with an intelligence, with a courage—automatically. It is not something he does. misery09


There are six great religions in the world. They can be divided into two categories: one consists of Judaism, Christianity and Islam. They believe in only one life. You are just between birth and death, there is nothing beyond birth and death—life is all. Although they believe in heaven and hell and God, they are the earnings from one life, a single life. The other category consists of Hinduism, Jainism and Buddhism. They believe in the theory of reincarnation. One is born again and again, eternally—unless one becomes enlightened, and then the wheel stops. glimpse16


I have meditated; I have come to a point where I can see my own past lives, and that's proof enough. It is my knowing, my experiencing; it is nothing to do with Indian heritage, beliefs, or anything. I speak on my own authority. last112


I began as an intellectual—not only in this life but in many lives. My whole work in many lives has been concerned with the intellect—refining the intellect, sharpening the intellect. inzen08


I have known so many esoteric groups—in this life and before. I have been in contact with many esoteric groups, but I cannot tell you their whereabouts. I cannot tell you their names, because that is not permitted. And it is of no use really. But I can tell you that they still exist, they still try to help….gate08


I knew Bodhidharma* personally. I traveled with the man for at least three months. He loved me just as I loved him. You will be curious to know why he loved me. He loved me because I never asked him any question. He said to me, "You are the first person I have met who does not ask a question—and I only get bored with all the questions. You are the only person who does not bore me."

I said, "There is a reason."

He said, "What is that?"

I said, "I only answer. I never question. If you have any question you can ask me. If you don't have a question then keep your mouth shut."

We both laughed, because we both belonged to the same category of insanity. He asked me to continue the journey with him, but I said, "Excuse me, I have to go my own way, and from this point it separates from yours."

He could not believe it. He had never invited anyone before. This was the man who had even refused Emperor Wu—the greatest emperor of those days, with the greatest empire—as if he was a beggar. Bodhidharma could not believe his eyes, that I could refuse him.

I said, "Now you know how it feels to be refused. I wanted to give you a taste of it. Goodbye." But that was fourteen centuries ago. glimps06

*Note: Bodhidharma: the mystic who brought Buddhism from India to China


Some days ago Lama Karmapa had said something about me…* Karmapa had said that my one body from some past birth is preserved in a cave in Tibet. Ninety-nine bodies are preserved there, among them one body is mine, that was said by Karmapa.

In Tibet they have tried for thousands of years to preserve the bodies in which some extraordinary things happened. They have preserved such bodies as an experimentation. Because such events do not happen again and again, and do not happen so easily. After thousands of years, once in a while such things happen. For instance, someone's third eye opened and along with it, it broke a hole in the bone where the third eye exists. Such an event takes place sometimes once in hundreds of thousands of years. The third eye opens in so many people but this hole does not happen to everybody. When this hole happens, the reason behind it is that in that case the third eye has opened with tremendous force. Such skulls or such a body is then preserved by them.

For instance, someone's sex energy, the basic energy, arose with such force that it broke a hole in the crown of his head and merges into the cosmos. Such a thing happens only once in a while. Many people merge into the universal reality, but the energy filters through so slowly, and with such intervals, that the energy simply seeps in small measures, and a hole is not created. Once in a while, it happens with such sudden intensity that, breaking the skull, the entire energy merges into the cosmos. So they preserve that body. This way, until now they have done the greatest experiment in the history of mankind. They have preserved ninety-nine bodies. So Karmapa had said that among those ninety-nine bodies a body of mine is also preserved….

It is the ninety-seventh body, but if it is counted from the opposite side, it can be the third one. samadh12

*Note: Swami Govind Siddharth, one of Osho's disciples, reported that on 6 June 1972 Karmapa told him, "Osho is the greatest incarnation since Buddha in India, and is a living Buddha!" and "Now in this life, Osho has taken birth specially in order to help people spiritually—only for this purpose. He has taken birth fully consciously."

Karmapa was very excited and indicated a close association with Osho in past life. Osho's last birth is said to have occurred about 700 years ago. Karmapa was referring "to one birth before that". Osho was one of their great incarnations two births ago. "If you want to see one of Osho's past incarnations, you can go to Tibet and see his golden statue there which is preserved in the Hall of Incarnations." Asked of whom Osho is an incarnation, he replied, "Now, that is a secret. Unless someone is the head of one of our monasteries, we do not disclose whose incarnation he is."

"My blessings are always there, and I know that whatever we Tibetans are not going to be able to do to help others, Osho will do. "Osho is the only person able to do this, he took birth in India specially. You are very very fortunate to have him. He is the only divine incarnation living today who will be a world teacher." And "The world will know him but only a few people will realize what he actually is. He will be the only person who can guide properly, and can be a world teacher in this age, and he has taken birth only for this purpose."


You ask me: Please would you say something about your last life, and if you were born in Your present life fully realized.

My previous birth took place about seven hundred years ago….

It can be said that I was born with nearabout full knowledge. I say nearabout only because some steps have been left out deliberately, and deliberately that can be done.

In this connection, the Jaina thinking is very scientific.* They have divided knowledge into fourteen steps. Thirteen steps are in this world and the fourteenth is in the beyond….

After a certain stage of development, for example, after the attainment of twelve steps, the length of time that it takes to achieve the remaining steps can be stretched out. They can be attained either in one birth, two births or in three births. Great use can be made of postponement.

After the attainment of full realization there is no further possibility of taking birth more than one time more. Such an enlightened one is not likely to cooperate or be helpful for more than one additional birth. But after reaching twelve steps, if two can be set aside, then such a person can be useful for many births more. And the possibility is there to set them aside.

On reaching the twelfth step, the journey has nearabout come to an end. I say nearabout: that means that all walls have collapsed; only a transparent curtain remains through which everything can be seen. However the curtain is there. After lifting it, there is no difficulty in going beyond. After going beyond the curtain, whatsoever you are ordinarily able to see can be seen from the other side of the curtain also. There is no difference at all.

So this is why I say nearabout: by taking one step more, one can go beyond the curtain. But then there is a possibility of only one more birth, while if one remains on this side of the curtain one can take as many births as one wants. After crossing into the beyond, there is no way of coming back more than once to this side of the curtain….

Seven hundred years ago, in my previous life, there was a spiritual practice of twenty-one days, to be done before death. I was to give up my body after a total fast of twenty-one days. There were reasons for this, but I could not complete those twenty-one days. Three days remained. Those three days I had to complete in this life. This life is a continuation from there. The intervening period does not have any meaning in this respect. When only three days remained in that life, I was killed. Twenty-one days could not be completed because I was killed just three days before, and those three days were omitted….

The person who killed me had no enmity with me, though he was taken to be and was treated as, an enemy. That killing became valuable….

Now I can take still another birth. There is now a possibility of one more birth. But that will depend on whether I feel that it will be useful. During this whole life I shall go on striving to see whether one more birth will be of some use. Then it is worthwhile taking birth; otherwise the matter is over and it is no use making any more effort. So that killing was valuable and useful….

In the last moments of my previous life, the remaining work could have been done in only three days because time was very compact. My age was one hundred and six years. Time was moving very fast. The story of those three days continued in my childhood of this birth. In my previous life it was at its end, but to finish that work here in this life took twenty-one years.

Many a time, if the opportunity is missed, it may be necessary to spend as many as seven years for every single day. So in this life I did not come with full realization, but came with nearabout full realization…. known02

*Note: known02 and known03 explain in detail Jaina and Buddhist understanding of past lives in relation to enlightened masters. It is too complex to include here.


What little I have told you about my previous life is not because it has any value or that you may know something about me. I have told you this only because it may make you reflect about yourselves and set you in search of your past lives. The moment you know your past lives, there will be a spiritual revolution and evolution. Then you will start from where you had left off in your last life; otherwise you will get lost in endless lives and reach nowhere. There will only be a repetition.

There has to be a link, a communication, between this life and the previous one. Whatsoever you had achieved in your previous life should come to be known, and you should have the capacity to take the next step forwards….

Nowadays the difficulty is this: it is not very difficult to make you remember your previous births, but the thing called courage has been lost. It is possible to make you remember your previous births only if you have achieved the capacity to remain undisturbed in the midst of the very difficult memories of this life. Otherwise it is not possible….

When no memory of this life can be a cause of anxiety to you, only then can you be led into the memories of past lives. Otherwise those memories may become great traumas for you, and the door to such traumas cannot be opened unless you have the capacity and worthiness to face them. known02


Do you hear me? Do you see me? I stand at the door and knock, and I knock because of a promise made in another life and another age. teacup06


This was my assurance given to many friends in the previous life: that when truth is attained, I will inform them. letter03

Introduction Bhagawan Rajnish osho Source : OSHO World

Introduction Bhagawan Rajnish osho

1. The extracts in this compilation are taken from Osho's books. These books were not written by Osho, but are verbatim transcripts of his discourses; darshans (intimate talks with disciples), interviews with disciples, visitors, and journalists; letters written by Osho; and personal talks which Osho gave. The books are published over a period of thirty years, and many are translations from Hindi books.

2. Because of their diversity of origin, the style of consecutive extracts may vary.

3. Since Osho's words are recorded only since the early 1960's, the earlier part of his life is told in retrospect. After 1960, extracts are more immediate: what Osho says at the time of certain events; his teachings as he develops them; his guidance on meditation as it is given.

4. Osho tells thousands of stories about himself. The selection in this compilation is based on those stories which he most often repeats.

5. Osho's stories were told, not just to entertain, but to illustrate a point, which is also included where possible.

6. Osho requested that his words not be edited, so there is some unavoidable repetition in extracts; especially where Osho talks in one discourse about several periods in his life.

7. Osho explains that he uses very simple everyday language that everyone can understand. And wherever he uses terminology which may be unfamiliar, he explains it. A glossary is given for words which are not self-evident from the first context in which they appear.

8. Notes are given to help the reader. These are kept to a minimum and are of three kinds: Notes in the text introduce dates and events; footnotes at the bottom of page explain part of the text; notes at the end of the book are additional information. These are mostly in the present tense, as Osho requested.

9. During his life, Osho was known by several names: Raja, as a child; then Rajneesh; Acharya Rajneesh in the 1960's; Bhagwan Shree Rajneesh from 1971; from December 1988 there are four name changes; and from September 1989, he is known simply as 'Osho'. He requested that his name be changed to Osho in all new editions of his books. In this compilation the name Osho is given throughout, except for specific public references to earlier names.

Introduction Bhagawan Rajnish osho Source : OSHO World

Sunday, May 11, 2008

મનની અંદર જે સળવળતું હોય તે પ્રગટ થયા વિના રહેતું નથી

મનની અંદર જે સળવળતું હોય તે પ્રગટ થયા વિના રહેતું નથી

oshoઆ માનવજાત, જે આટલી બધી કામુક દેખાય છે, એની પાછળ કહેવાતાં ધર્મોઅને સંસ્કૃતિનો હાથ છે. એની પાછળ ખરાબ માણસોનો નહીં, સજજનોનો, સંતોનો હાથ છે. માણસજાત સજજનો અને સંતોના આ અનાચારથી જયાં સુધી મુકત નહીં થાય, ત્યાં સુધી પ્રેમના વિકાસની કોઈ સંભાવના નથી.

મને એક ઘટના યાદ આવે છે : એક ફકીર પોતાના મિત્રને મળવા જવા ઘરની બહાર નીકળ્યો, ત્યાં જ તેને એનો બચપણનો કોઈ મિત્ર ઘોડે ચડીને એની પાસે આવતો દેખાયો. ફકીરે કહ્યું : મિત્ર! તમે અહીં રોકાવ. મારે એક મિત્રને મળવા જવું છે.

મેં વચન આપ્યું છે. દુર્ભાગ્યની વાત છે કે તમારી સાથે નિરાંતે બેસીને વાતો કરવાનાં કાયમ સ્વપ્ન જૉતો હતો અને આજે જયારે તમે આવ્યા જ છો ત્યારે બીજે જવાનું છે. કંઈ નહીં, કલાકેકમાં તો પાછો આવી જઈશ. તમે ત્યાં સુધી આરામ કરો.’

મિત્ર બોલ્યો : મને એકલા ચેન નહીં પડે. હું ય તમારી સાથે આવત, પણ મારાં કપડાં મેલાં થયાં છે. તમારી પાસે કોઈ સારી જૉડ હોય તે આપો તો હું ય સાથે આવું.’

કોઈ સમ્રાટે ફકીરને મૂલ્યવાન કોટ, પાઘડી અને ધોતી આપ્યાં હતાં. ફકીરે તે સંભાળીને રાખી મૂકયાં હતાં. ફકીરે તે કપડાં ખુશીથી કાઢીને મિત્રને આપ્યાં. પરંતુ મિત્રે જયારે તે પહેયાô ત્યારે ફકીરને તેની થોડી ઇર્ષા આવી ગઈ. એ કપડાંમાં મિત્ર તો સમ્રાટ જેવો લાગતો હતો. કીમતી કોટ હતો, પાઘડી હતી, ધોતી અને શાનદાર મોજડી હતાં.

એની પાસે પોતે તો કંગાલ નોકર જેવો નોકર લાગતો હતો. ફકીરે વિચાર્યું : જેને મળવા જાઉં છું તે તો આ મિત્રને જ જૉશે. મારા પર તો એનું ઘ્યાન જ નહીં જાય. મારાં જ કપડાંને લીધે હું દીન લાગીશ. આ તો બહુ ખોટું થયું.

ફકીરે મનને તો ઘણુંય મનાવ્યું કે, ભાઈ, હું તો રહ્યો ફકીર, આત્મા-પરમાત્માની વાતો કરનારો. કોટમાં કે પાઘડીમાં શું છે? ભલેને પહેર્યોતેણે! એમાં શો ફેર પડે છે?’ પરંતુ જેમ જેમ એ મનને સમજાવે કે કોટ-પાઘડીમાં શું છે? એમ એમ તેના મનની અંદર કોટ-પાઘડી ઘૂમતાં રહ્યાં.

મિત્ર બીજી વાતો કરવા લાગ્યો પરંતુ એમાં તેનું ચિત્ત નહોતું. તેના ચિત્તમાં તો કોટ અને પાઘડી જ હતાં. રસ્તામાં જે કોઈ મળે તે તેના સામે જૉવાને બદલે મિત્રની સામે જૉતાં. ફકીરને થયું : આજે ભૂલ થઈ ગઈ! અંતે જેને ત્યાં જવું હતું ત્યાં ફકીર અને એનો મિત્ર પહોંરયા. ફકીરે પોતાના મિત્રનો પરિચય આપતાં કહ્યું, મારા બચપણના દોસ્ત છે જમાલ.

બહુ મજાના માણસ છે.’ અને પછી તે બોલી ઊઠયો, રહી ગયાં કપડાં, એ કપડાં મારાં છે.’ કારણ કે જે મિત્રને ધેર ગયા હતા તે મિત્ર પણ તે કપડાં જઈ રહ્યો હતો. અને ફકીરના મનમાં કોટ-પાઘડીનું રટણ ચાલી રહ્યું હતું અને તેમાં તેના મોંમાંથી શબ્દો સરી પડયા કે, કપડાં મારાં છે.’

મિત્ર વિચારમાં પડી ગયો. મિત્રનો પરિવાર પણ વિચારમાં પડી ગયો કે, આ તે કેવું ગાંડપણ! ફકીરને પોતાને પણ ખ્યાલ આવી ગયો કે બફાઈ ગયું! ફકીર ઘણો પસ્તાયો. એણે પછી તો મિત્રની માફી પણ માંગી. મિત્રને પણ આશ્ચર્ય તો થયું જ. ફકીરે કહ્યું : જીભ છે. ભૂલ થઈ ગઈ.’ અને હકીકતમાં ભૂલ જીભથી થતી જ નથી. મનની અંદર જે સળવળતું હોય છે તે પ્રગટ થયા વિના રહેતું નથી... પણ વાત પતી ગઈ.

ફકીર અને તેનો મિત્ર બીજા મિત્રને ત્યાં પહોંરયા. ફકીરે આ વખતે વસ્ત્ર વિશે કંઈ ન બોલાય એ માટે ભારે ચીવટ રાખી હતી. ઘરના દરવાજા પાસે જ ¼ઢ સંકલ્પ કર્યોકે શ્નકપડાં મારાં છે’ એ વાત જ કરવાની નથી. પણ એ બિચારાને ખબર નહોતી કે આ વાતનો જેટલો ¼ઢ સંકલ્પ કરે, એ ¼ઢ સંકલ્પ જ ઇંગિત કરે છે કે શ્નઆ કપડાં મારાં છે’નો ભાવ મનમાં ઘર કરી ગયો છે. (ક્રમશ:)સંભોગથી સમાધિ સુધી’ પુસ્તકમાંથી

Source: http://www.divyabhaskar.co.in/2007/08/06/oshovani_jk.html

દમનથી આકર્ષણ વધે છે

ઓશો
Saturday, May 03, 2008 08:48 [IST]

કોઈ પણ બાબતને દબાવી દેવી સહેલી છે. એનું પરિવર્તન કરવું અઘરું છે. કારણ કે પરિવર્તનમાં પરિવર્તનની વિધિ અને સાધના જરૂરી છે

આજ સુધી કોઈ એકલા માનવીએ પાપ નથી કર્યું એટલું ભીડમાં માણસોએ કર્યું છે. એકલો માણસ તો પોતે શું કરે છે એનો કંઈક વિચાર કરે છે, પોતાના લિબાસની થોડીકે ય ચિંતા કરે છે કે લોકો કયાંક જાનવર ન કહે! પરંતુ ‘ભીડમાં તો કોણ ઓળખવાનું હતું’ એવા વિચારે માણસ ભીડમાં ભળી જાય છે. એનો પરિચય વિલુપ્ત થાય છે.

હવે એ અમુક તમુક માણસ નથી, હવે એ ભીડ છે. અને ભીડ જે કરે છે તે તે પણ કરે છે. આગ લગાવે છે, બળાત્કાર કરે છે. ભીડમાં માણસને પોતાનામાં રહેલ પશુને છૂટું મૂકવાનો મોકો મળી જાય છે. એટલે જ માનવી પાંચ-દસ વર્ષમાં યુદ્ધની પ્રતીક્ષા કરવા લાગે છે, દંગલની પ્રતીક્ષા કરવા લાગે છે, હિંદુ-મુસલમાનનું બહાનું મળી જાય તો ય ચાલે, ને ન મળે તો ગુજરાતી-મરાઠીના બહાનાથી પણ કામ ચાલે.

એ બહાનું ય ન મળે તો હિંદી-અહિંદી ભાષીનું બહાનું. માણસને તો કોઈ પણ નિમિત્ત જોઈએ. પોતાના અંદરના પશુને મુકિત જોઈએ. અંદર ને અંદર પુરાઈને તો પશુ ગભરાઈ જાય છે. એ પ્રગટ થવા ચાહે છે. જયાં સુધી માણસમાં રહેલો આ પશુ ખતમ ન થઈ જાય ત્યાં સુધી પશુતાના સહજ માર્ગથી ચે મનુષ્યની ચેતના જઈ શકતી નથી. પશુતાનો સહજ માર્ગ, આપણી શકિતઓનું દ્વાર એક જ છે સેકસ. એ દ્વાર બંધ કરી દેવાથી તકલીફો ભી થાય છે.

એ દ્વાર બંધ કરતા પહેલાં જીવનચેતના નૂતન દિશામાં પ્રવાહિત થઈ શકે એ માટે નવા દ્વારનું ઉદ્ઘાટન થવું જરૂરી છે. એ થઈ શકે છે પણ એમ કરવામાં આવ્યું નથી. કારણ કે દમન સરળ લાગ્યું છે, રૂપાંતર અઘરું. કોઈ પણ બાબતને દબાવી દેવી સહેલી છે. એનું પરિવર્તન કરવું અઘરું છે. કારણ કે પરિવર્તનમાં પરિવર્તનની વિધિ અને સાધના જરૂરી છે. એટલે સરળ માર્ગ અપનાવ્યો કે કામ અંદર ને અંદર જ દબાવી દો. પરંતુ આપણે એ ભૂલી ગયા કે દબાવવાથી કોઈ વસ્તુ નષ્ટ થતી નથી. લટાની, વિશેષ પ્રબળ બને છે. અને એ પણ ભૂલી ગયા કે દમનથી આકર્ષણ વધારે ડું થાય છે.

જેનું આપણે દમન કરીએ છીએ તે ચેતનાના ડા સ્તરમાં પ્રવેશી જાય છે. આપણે દિવસે દબાવીએ છીએ તો રાત્રે સ્વપ્નું થઈને આંખોમાં ઝબકવા માંડે છે. આપણે એને જાગૃત અવસ્થામાં દબાવીએ છીએ અને તે અંદર રહ્યું રહ્યું કૂદી પડવાની-નીકળી પડવાની તકની રાહ જૉતું હોય છે. જેને આપણે દબાવીએ છીએ તેનાથી આપણે મુકત નથી થતા, આપણે વધારે ડા અર્થમાં અને ડાણમાં અચેતનમાં બંધાતા જઈએ છીએ અને અચેતનમાં એનાં મૂળ પહોંચીને આપણને જકડી લે છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી