ધર્મ તો ઇરછે છે કે મનુષ્યજીવન નિમ્નતાથી ઉરચતા તરફની યાત્રા બને, પદાર્થથી પરમાત્મા સુધી પહોંચે.
મારે તમને એ કહેવું છે કે, જે લોકો સેકસની વાત કરવા મનાઇ કરે છે એ જ લોકોએ પૃથ્વીને સેકસના ખાડામાં ધકેલી દીધી છે. જે લોકો ગભરાય છે, સેકસથી આપણો કશો સંબંધ નથી એમ માને છે એ પોતે તો પાગલ છે જ, પરંતુ સમસ્ત પૃથ્વીને પાગલ બનાવવામાં પણ એમનો જ ફાળો છે. મનુષ્યના વ્યકિતત્વમાં જે છુપાયું છે તે શ્રેષ્ઠ રૂપમાં અભિવ્યકત થાય એ જ ધર્મ ઇરછે છે.
ધર્મ તો ઇરછે છે કે મનુષ્યજીવન નિમ્નતાથી ઉરચતા તરફની યાત્રા બને, પદાર્થથી પરમાત્મા સુધી પહોંચે. આ ઇરછા ત્યારે જ ફળે જયારે આપણે જયાં પહોંચવા માગીએ છીએ એ સ્થાનને સમજવું એટલું બધું ઉપયોગી નથી, જેટલું પ્રારંભ સ્થાનને સમજવું ઉપયોગી છે. સેકસ એક હકીકત છે, મનુષ્ય જીવનનું એ એક તથ્ય છે અને પરમાત્મા? એ તો હજી દૂર છે.
આપણા જીવનનું તથ્ય સેકસ છે. આ તથ્યને સમજયા પછી પરમાત્માના સત્ય સુધીની યાત્રા શકય છે પરંતુ તથ્યને સમજયા વિના તો એક તસુ પણ આગળ વધવું અશકય છે. માત્ર ઘાણીના બળદની જેમ એક જ જગ્યાએ ફરવાનું જ બની શકે. પહેલી સભામાં મેં જયારે વાત કરી ત્યારે એવું લાગ્યું કે આપણે જીવનની વાસ્તવિકતાને સમજવાની તૈયારી બતાવતા નથી. તો પછી આપણે બીજું શું કરી શકીએ? આગળ બીજું થાય પણ શું? તો પછી પરમાત્માની તમામ વાતો પોકળ સાંત્વના માત્ર છે. જીવનનું પરમ સત્ય ગમે તેટલું નગ્ન હોય તે જાણવું જ પડશે, સમજવું જ પડશે.સૌથી પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે મનુષ્યનો જન્મ સેકસમાંથી થાય છે. મનુષ્યનું સમગ્ર વ્યકિતત્વ સેકસના અણુથી ઘડાયું છે. મનુષ્યના પ્રાણ સેકસની શકિતથી ભરપૂર છે.
જીવનશકિત એ શું છે? એ આપણા જીવનને આટલી પ્રબળતાથી કેમ આંદોલિત કરે છે? આપણા જીવનને આટલું પ્રભાવિત કેમ કરે છે? આપણે ફરી ફરીને પાછા સેકસના કેન્દ્રે જ કેમ આંટાફેરા મારીએ છીએ અને ખલાસ થઇ જઇએ છીએ? એવું તે શું આકર્ષણ છે? હજારો વર્ષોથી ઋષિમુનિઓ એનો ઇનકાર કરી રહ્યા છે છતાં મનુષ્ય પર એનો કોઇ પ્રભાવ કાં ન પડે?
હજારો વર્ષથી તેઓ કહી રહ્યા છે, ‘સેકસની કલ્પના છોડો, કામના છોડો. ચિત્તમાંથી એ બધાં સપનાં કાઢી નાખો’ પરંતુ મનુષ્યના ચિત્તમાંથી એ સપનાં નીકળ્યાં નથી. આ રીતે તો નીકળી પણ ન શકે. હું તો ચકિત થઇ ગયો છું કે, હું જયારે વેશ્યાઓને મળ્યો છું ત્યારે વેશ્યાઓએ સેકસની વાત નથી કરી, એમણે આત્મા-પરમાત્માને લગતી પૂછપરછ કરી છે. એમ તો સાધુ-સંન્યાસીઓને પણ મળું છું. એ લોકો જયારે એકાંતમાં મળે છે ત્યારે સેકસ સિવાય કોઇ બાબતની પૂછપરછ નથી કરતા. હું ચકિત થઇ ગયો.
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

No comments:
Post a Comment