પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ
બીજી વાત એ કે, બાળકોને ઘ્યાનની દીક્ષા મળવી જોઇએ. મૌન કેમ થવાય, શાંત કેમ થવાય, નિર્વિકાર કેમ થવાય એ શીખવવું જોઇએ. બાળક તો તત્ક્ષણ નિર્વિચાર થઇ શકે છે, મૌન થઇ શકે છે, શાંત થઇ શકે છે. ચોવીસ કલાકમાંથી એક કલાક ઘરમાં બાળકોને મૌનમાં લઇ જવાની વ્યવસ્થા હોવી ઘટે. પ્રત્યેક ઘરમાં એક કલાક મૌનનું હોવું અનિવાર્ય થવું જૉઇએ. એક દિવસ ખાવાનું ન મળે તો ચાલે પરંતુ એક કલાક મૌન વિના ઘર ન ચાલી શકે.
એ ઘર નથી, એ ઘરને પરિવાર કહેવો તે અસત્ય છે. એક કલાકનું આ મૌન ચૌદ વર્ષમાં તો એ દરવાજાને ખોલી નાખશે જે દરવાજાનું નામ ઘ્યાન છે. જે ઘ્યાન દ્વારા માણસને સમયહીનતાનો, અહંકારશૂન્યતાનો અનુભવ થાય છે, આત્માની ઝાંખી થાય છે, એ ઝાંખી સેકસના અનુભવ પહેલાં મળી જવી જૉઇએ. જૉ આમ થાય તો સેકસ ભણીની દોટ થંભી જાય. શકિત એ માર્ગે વહેવા લાગશે.
આ પ્રથમ ચરણ છે. બીજું ચરણ છે પ્રેમ. બાળકોને બચપણથી જ પ્રેમની દીક્ષા આપવી જોઇએ. અત્યાર સુધી આપણે એવી ભ્રમણામાં હતાં કે પ્રેમનું શિક્ષણ માનવીને સેકસ તરફ લઇ જશે. પ્રેમનું શિક્ષણ કંઇ સેકસ ભણી ન લઇ જાય. સાચી વાત તો જુદી જ છે. પ્રેમ જેટલો વિકસિત થાય છે તેટલી કામશકિત પ્રેમમાં રૂપાંતરિત થઇને વહંેચાવી શરૂ થઇ જાય છે. માણસ પ્રેમથી જેટલો ઓછો ભરેલો તેટલો વધારે કામુક, સેકસગ્રસ્ત હોવાનો.
જેના જીવનમાં પ્રેમ જેટલો ઓછો એના જીવનમાં વિદ્વેષ એટલો જ વધારે હોવાનો. જીવનમાં પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ, પ્રતિસ્પર્ધા વિશેષ. જીવનમાં પ્રેમ જેમ ઓછો તેમ ચિંતા ને દુ:ખ વિશેષ. દુ:ખ, ચિંતા, ઇર્ષા, ધૃણા, દ્વેષ, આદિથી માણસ જેમ વધારે ધેરાયેલા રહે છે તેમ એની સમગ્ર શકિત વિકòત થઇ જાય છે. એ શકિત તાણ અનુભવે છે, એની નિકાસ માટે કોઇ માર્ગ નથી રહેતો, સિવાય કે સેકસ. પ્રેમ શકિતઓની નિકાસ બને છે.‘‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી , સંકલન : એક ઓશો સંન્યાસી
Originally Posted By:- Divya Bhaskar
શાંત થવાની, નિર્વિકાર થવાની, મૌન થવાની ઘ્યાન-દીક્ષા બાળકને આપવી એ કામના રૂપાંતરનું પ્રથમ ચરણ છે. બાળક આમ તો સ્વભાવથી જ મૌન છે, શાંત છે. જો એને થોડીઘણી તાલીમ અપવામાં આવે, મૌન, શાંત રહેવાની થોડી જ કેળવણી આપવામાં આવે તો જયારે તેઓ ૧૪ વર્ષનાં થશે, કામ જયારે જાગૃત થશે, ત્યારે એમનું એક દ્વાર ખૂલી ચૂકયું હશે. શકિત એકઠી થશે અને દ્વાર ખુલ્યું થયું છે તે દ્વારથી વહેવી શરૂ થઈ જશે. એમને શાંતિનો, આનંદનો, કાલહીનતાનો, નિરહંકાર ભાવનો અનુભવ સેકસના અનુભવ કરતાં ઘણો વહેલો ઉપલબ્ધ થઈ જશે.
સમાધિ માટે ઇસુ ખિ્રસ્તે કહ્યું છે : વ્ત્ર્ફૂશ્વફૂ સ્ન્ર્ત્ર્ીશ્રશ્ર ણુફૂ દ્દiૃફૂ ઁં શ્રંઁિંફૂશ્વ. સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે. સેકસના અનુભવમાં બીજી બીના આ બને છે. ધાર્મિક અનુભૂતિ માટે સર્વાધિક તત્ત્વ છે : અહંશૂન્યતા ને સમયવિહીનતા. મનુષ્ય કામાતુર થાય છે, એનું બીજું કારણ આ છે. એ આતુરતા શરીર માટે લગીર પણ નથી. એ આતુરતા છે અહંકારશૂન્યતાની, સમયશૂન્યતાના અનુભવ માટેની. પરંતુ અહંકારશૂન્યતા ને સમયશૂન્યતા માટે આતુરતા થાય છે શા માટે? એટલા માટે કે અંહકાર શૂન્ય થતાં જ આત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. સમય નાશ પામતાં જ પરમાત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. એ ઘટના માત્ર ક્ષણભરની છે. પરંતુ એ ક્ષણ માટે મનુષ્ય ગમે તેટલી શકિત ગુમાવવા તૈયાર થાય છે. શકિતનો અપવ્યય થવા બદલ-શકિત ક્ષીણ થવા બદલ એ પસ્તાય છે. પછી એને તરત સમજાય છે કે શકિત જેટલી ક્ષીણ થાય છે મૃત્યુ એટલું નજીક આવે છે. કેટલાંક પશુમાં તો એક જ સંભોગ પછી નર મરણ પામે છે. કેટલાંક જંતુઓ તો એક જ સંભોગ કરવા પામે છે અને સંભોગ દરમિયાન ખલાસ થઇ જાય છે.
એક વાર દ્વાર ઉઘડી ગયા પછી બીજું દ્વાર ખોલવું અઘરું છે. કારણ કે સમસ્ત શકિતઓનો નિયમ એ છે કે એક વાર એ વહેવા માટે માર્ગ શોધી લે પછી એ જ માર્ગે વહેવાનું પસંદ કરશે. ગંગા સાગર તરફ વહી નીકળી. એક વાર એણે રસ્તો કરી લીધો પછી તો એ જ રસ્તે એ વહેતી જશે. રોજ નવું પાણી આવશે અને એ જ રસ્તેથી વહેતું ચાલ્યું જશે. ગંગા રોજ નવો માર્ગ નહીં શોધે. જીવનશકિત પણ એક માર્ગ શોધી લે છે પછી એ જ માર્ગે વહી જાય છે.
૧૯૩૦ ની આસપાસ ગાંધીજી શ્રીલંકા ગયા હતા. એમની સાથે કસ્તૂરબા હતાં. સંયોજકોએ માન્યું કે ગાંધીજીનાં બા સાથે આવ્યાં છે. લોકો પણ એવું જ સમજયા. સંયોજકોએ પરિચય આપતાં કહ્યું કે ગાંધીજી પધાર્યા છે અને મોટું સદભાગ્ય તો એ વાતનું છે કે એમનાં માતાજી પણ સાથે પધાર્યા છે, એમની બાજુમાં જ બિરાજયાં છે. ગાંધીજીના સેક્રેટરી ગભરાયા કે ભારે થઈ. આ તો આપણી જ ભૂલ. પહેલેથી સ્પષ્ટતા કરી લેવી જરૂરી હતી... પરંતુ હવે તો ઘણું મોડું થયું હતું. 