Wednesday, July 30, 2008

જે પ્રેમનો કૂવો હતો તે ઝેરી બની ગયો

ઓશો
Wednesday, May 14, 2008 14:59 [IST]

ભારતીય વિધાભવનમાં જયારે મેં પ્રથમ પ્રવચન કર્યું ત્યારે એક બહેને આવીને મને કહ્યું : ‘હું ઘણી ગુસ્સામાં છું. સેકસ તો ભારે ધૃણિત વસ્તુ છે, પાપ છે. તે આટલી બધી વાત શા માટે કરી? હું તો સેકસ પ્રત્યે ધૃણા કરું છું.’ એ બહેન કોઈની પત્ની છે, એને પતિ છે, બાળકો છે. એ સેકસની ધૃણા કરે છે. એને સેકસમાં ખેંચનાર પતિને એ કેવી રીતે ચાહી શકે? એ સેકસથી ઉત્પન્ન થતાં બાળકોને શી રીતે ચાહી શકે? એનો પ્રેમ ઝેરી રહેશે. એની ને એના પતિની વરચે એક બુનિયાદી દીવાલ રહેશે. કારણ કે સેકસ પ્રત્યેની ધૃણા વરચે આવી છે. એ બાળકો પાપમાંથી પેદા થયાં છે. પતિ ને એની વરચે પાપનો સંબંધ છે.

જેની સાથે પાપનો સંબંધ હોય તેવી સાથે મિત્રતા હોઈ શકે ખરી? સેકસની નિંદા કરનાર, સેકસને ગાળો ભાંડનાર લોકોએ આખી દુનિયાના ગૃહસ્થજીવનનો નાશ નોતર્યો છે અને વિનાશ કરીને દુષ્પરિણામ લાવ્યા છે, નહીં કે લોકો સેકસથી મુકત થઈ ગયા છે. જે પતિ પોતાની ને પત્નીની વરચે અંતરાય અનુભવે છે તે પત્નીથી કદી પણ તૃપ્તિનો અનુભવ કરી નથી શકતો. તે પછી આસપાસની સ્ત્રીઓ શોધે છે, વેશ્યાઓ શોધે છે. શોધવાનો જ.

પત્નીથી એણે જો તૃપ્તિ લીધી હોત તો તો કદાચ જગતભરની સ્ત્રીઓ એની મા અને બહેન થઈ રહેત, પરંતુ પત્નીથી તૃપ્તિ ન મળતાં તમામ સ્ત્રીઓ એને પોટેન્શિયલ પત્ની જેવી જણાય છે, પત્નીમાં ફેરવી શકાય તેવી લાગે છે. એ સ્વાભાવિક છે. એમ થવાનું હતું જ. કારણ કે જયાં તૃપ્તિ મળી શકત ત્યાં તો ઝેર છે, પાપ છે. તૃપ્તિ નથી... અને પછી એ ચારેકોર ભટકે છે, શોધે છે. અને શોધમાં માણસ શું નથી કરતો? કામનાં, યૌનનાં કેવાં કેવાં વિકૃત રૂપો એણે ઊભાં કર્યા છે એનો વિચાર કરશું તો ય ગભરાઈ જવાશે. માણસે બધું કર્યું છે. માત્ર વિચાર નથી કર્યો કે જે પ્રેમનો કૂવો હતો, જે કામનો કૂવો હતો તે ઝેરી બની ગયો છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Sunday, July 20, 2008

બે વ્યકિતના પ્રાણ સંયુકત થાય તેનું નામ પ્રેમ

બે વ્યકિતના પ્રાણ સંયુકત થાય તેનું નામ પ્રેમ

oshovani બે વ્યકિત વરચેની દીવાલ ખસી જાય અને બેયના પ્રાણ સંયુકત થઈ જાય એનું નામ પ્રેમ. જયારે આવો અનુભવ એક વ્યકિતનો સમૂહ સાથે થાય ત્યારે એ અનુભવને હું પરમાત્મા કહું છું. વ્યકિત વ્યકિત વરચે થાય એ પ્રેમ. મારી અને અન્ય કોઈ વ્યકિત વરચે આ અનુભવ થાય, અમારી વરચેની દીવાલ ખસી જાય, અને આંતરિક સ્તરે એક થઈ જઈએ, એક સંગીત, એક ધારા, એક પ્રાણ તો આ અનુભવ છે પ્રેમ. એ જ રીતે મારી અને સમસ્તની વરચે જૉ એવો અનુભવ થાય,‘હું’ વિલીન થઈ જાય, અને ‘સમસ્ત’ અને ‘હું’ એક થઈ જઈએ તો એ અનુભવ છે પરમાત્માનો.

જયાં સુધી ‘હું’ છું ત્યાં સુધી ‘બીજા’નું અસ્તિત્વ વિલીન થઈ જાય એ કેવી રીતે બને? ‘અન્ય’ નો જન્મ થયો છે મારા ‘હું’ પણાથી. જેટલી તીવ્રતાથી પુકારું ‘હું’ એટલી તીવ્રતાથી ‘અન્ય’ પેદા થાય છે. ‘અન્ય’ ‘હું’ નો પ્રતિઘ્વનિ જ છે. અહંકાર દીવાલ બનીને ભો રહે છે દ્વારાની આગળ. અને ‘હું’ છે શું? વિચાર કર્યોછે કયારેય? તમારો હાથ, તમારો પગ, તમારું મસ્તિષ્ક, તમારું હૃદય-હું છે શું? જૉ એક ક્ષણ શાંત થઈને અંદર શોધો કે શો છે ‘હું’? તો તમે ચકિત થઈ જશો, ‘હું’ તમને મળશે નહીં. જેટલું ડે શોધશો એમ એમ તમને થશે કે અંદર એક સ્તબ્ધતા છે, ત્યાં કોઈ ‘હું’ નથી, કોઈ અહમ્ નથી કે કોઈ અહંકાર નથી.

એક ભિક્ષુ નાગસેનને સમ્રાટ મિલિન્દે પોતાના દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું. તો જે રાજદૂત નાગસેનને નિમંત્રણ આપવા ગયો હતો તેને નાગસેને કહ્યું કે જરૂર આવીશ. પણ એક વાત કહી દઉં કે અહીં કોઈ ભિક્ષુ નાગસેન છે નહીં. નાગસેન એ એક નામ માત્ર છે, કામચલાઉ. રાજદૂતે જઈને સમ્રાટને વાત કરી, ‘અજબ છે આ માણસ. કહે છે આવીશ જરૂર પણ નાગસેન જેવું કોઈ છે નહીં એ એક કામચલાઉ નામ છે.’ સમ્રાટે કહ્યું, ‘અજબ છે! પણ જયારે એણે કહ્યું છે, કે આવીશ, ત્યારે એ આવશે જરૂર.’ અને તે આવ્યો પણ ખરો- રથ પર બેસીને. સમ્રાટે દ્વાર પાસે સ્વાગત કરતાં કહ્યું કે ‘ભિક્ષુ નાગસેન, અમે આપનું સ્વાગત કરીએ છીએ.’ તે હસવા લાગ્યો. તેણે કહ્યું, ‘સ્વાગતનો સ્વીકાર કરું છું, પણ યાદ રાખો, ભિક્ષુ નાગસેન જેવું કંઈ છે જ નહીં.’ સમ્રાટે કહે, ‘આપ તો કોયડા જેવી વાત કરો છો. જૉ આપ છો નહીં,તો કોણ છે, કોણ આવ્યું છે અહીં, કોણ સ્વીકારે છે સ્વાગત, કોણ જવાબ આપે છે?’ નાગસેન પાછળ ફર્યો, રથ બતાવીને કહ્યું,‘ સમ્રાટ મિલિન્દ, હું આ રથમાં બેસીને આવ્યો, ખરું?’ સમ્રાટે હા કહી.‘આ એ જ રથ છે.’ તો ભિક્ષુ નાગસેને રથથી ઘોડાને જુદા કરીને પૂછયું, ‘આ ઘોડા રથ છે?’ સમ્રાટ કહે, ‘ઘોડા રથ કેવી રીતે હોઈ શકે?’ પછી તેણે ઘોડાને બાંધવાના દાંડા અલગ કર્યા, અને પૂછયું, ‘આ રથ છે?’ ‘આ દાંડા રથ કેવી રીતે હોઈ શકે?’

પછી ચાક જુદો કરીને પૂછયું, ‘આ રથ છે?’ સમ્રાટે કહ્યું, ‘એ તો ચાક છે, એ રથ કેવી રીતે હોઈ શકે?’ ‘એમ એક એક ભાગ જુદા કરીને તે પૂછતો ગયો અને સમ્રાટ કહેતા ગયા કે ‘ના. આ રથ નથી.’ છેવટે રહ્યું શૂન્ય. રથ કયાં? ભિક્ષુ નાગસેને પૂછયું, ‘હવે રથ કયાં?’ અને જેટલી ચીજૉ મેં કાઢી તેમાંથી કોઈ રથ નથી એમ તમે જ કહ્યું, તો રથ કયાં?’

સમ્રાટ આશ્ચર્યચકિત થઈ ગયો. રથ રહ્યો નહીં, અને જે ભાગો જુદા કર્યા તે પણ રથ નહોતો. ભિક્ષુ કહેવા લાગ્યો, ‘સમજયા આપ? રથ એક જૉડ હતી. રથ એ અમુક ચીજૉની સંયુકત રચના હતી. રથનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. તેનો કોઈ અહંકાર નથી, રથ એક જૉડ છે.’ તમે તમારા ‘હું’ ને શોધશો તો જણાશે કે તે અનંત શકિતઓનો એક સમૂહ માત્ર છે. ‘હું’ કયાંય નથી. એક એક અંગને વિભિન્ન કરીને વિચારતાં અંગો સમાપ્ત થઈ જાય છે અને શૂન્ય કેવળ રહી જાય છે. એ જ શૂન્યમાંથી પ્રેમનો જન્મ થાય છે. કારણ કે તે શૂન્ય ‘તમે’ નથી, એ શૂન્ય તો પરમાત્મા છે. ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી

સંકલન : એક ઓશો સંન્યાસી

Friday, July 11, 2008

જીવનનું રહસ્ય

જીવનનું રહસ્ય

oshovani એક સવારે, સૂરજ ઉગ્યા પહેલાં એક માછીમાર નદીકિનારે ગયો. તેના પગ સાથે કંઈક અફળાયું. એણે નીચે વળીને જોયું તો પથ્થર ભરેલી એક ઝોળી પડી હતી. એણે જાળને એક બાજુ મૂકી, અને સવારનો સૂરજ ગવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. તેને હતું કે સૂરજ ગ્યે નદીના પાણીમાં જાળ ફેંકીને માછલી પકડીશ. બાજુમાં પેલી ઝોળી પડી હતી તેમાંથી પથ્થર કાઢીને શાંત નદીમાં ફેંકવા લાગ્યો. સવારની નિસ્તબ્ધતામાં પાણીમાં પથ્થર પડવાનો ‘ટપાક’ અવાજ આવતો અને તે પછી ફરીથી પથ્થર ફેંકતો.

ધીરે ધીરે સવારનો સૂરજ ગ્યો, અજવાળું પથરાયું. ત્યાં સુધીમાં તો તેણે ઝોળીમાંથી બધા જ પથ્થર ફેંકી દીધા હતા. એક છેલ્લો પથ્થર તેના હાથમાં હતો, તે તે ફેંકવા જતો હતો. સવારના અજવાળામાં તે પથ્થરને જૉતાંવેત તેનું હૃદય ધડકતું બંધ થઈ ગયું, એનો શ્વાસ થંભી ગયો. જેને પથ્થર માનીને તે ફેંકી દેતો હતો, તે તો હીરા હતા. હવે તો હાથમાં માત્ર એક જ હીરો હતો. ઝોળી તો ખાલી થઈ ગઈ હતી.

એ રોવા લાગ્યો અને કલ્પાંત કરવા લાગ્યો. અનંત જન્મો સુધી ચાલે એટલી સંપત્તિ તેને મળી હતી પરંતુ અંધકારમાં અજાણતાં એણે તમામ સંપત્તિને પથ્થર માની ફેંકી દીધી હતી. તો ય માછીમાર તો ભાગ્યશાળી હતો કારણ કે છેલ્લો પથ્થર ફેંકાય તે પહેલાં જ સૂરજ ગી ગયો હતો અને એને સમજાયું હતું કે, એના હાથમાં પથ્થર નથી, હીરો છે.

સામાન્યત: બધા માણસો આવા ભાગ્યશાળી હોતા નથી. જિંદગી વીતી જાય છે, સૂરજ ગતો નથી, સવાર થતી નથી, પ્રકાશ પ્રગટયો નથી અને જીવનભરનાં રત્નોને પથ્થર માનીને આપણે ફેંકી ચૂકયા હોઈએ છીએ. જીવન શું છે એ સમજાય એ પહેલાં તો આપણે એને ખોઈ બેઠા હોઈએ છીએ. જીવનમાં શું છુપાયું છે? શું રાઝ, શું રહસ્ય, કેવું સ્વર્ગ, કેવો આનંદ, કેવી મુકિત! આ બધાંનો અનુભવ થાય એ પહેલાં તો જીવન આપણા હાથમાંથી છૂટી જાય છે.

જે લોકો જીવનને પથ્થર માની બેઠા છે તે આંખ ખોલીને જૉઈ શકશે કે જેને તેઓ પથ્થર સમજે છે તે હીરા-માણેક છે! અને જે લોકોએ જીવનને પથ્થર માનીને ગુમાવી દીધું છે, તેમને કોઈ કહેવા જાય છે કે ‘પથ્થર માનીને તમે જે ફેંકયું તે તો હીરા-મોતી હતાં’ તો તેઓ નારાજ થઈ જશે, ક્રોધિત થઈ જશે. એટલા માટે નહીં કે જે વાત તેમને કહેવામાં આવી છે તે ખોટી છે, પણ એ વાત તેમણે ગુમાવેલી સંપત્તિની તેમને યાદ અપાવે છે માટે. પરંતુ ભલે જીવનનો ખજાનો આમ વેડફાઈ ગયો હોય, પણ જૉ જીવનની એક ક્ષણ પણ બાકી રહી હોય, તો કંઈક બચાવી શકાશે, જાણી શકાશે, પ્રાપ્ત કરી શકાશે. જીવનની શોધમાં કયારેક એટલું મોડંુ હોતું નથી, કે માનવીને નિરાશ થવું પડે. પણ આપણે તો અજ્ઞાનપણે માની જ લીધું છે કે જીવનમાં પથ્થર સિવાય કંઈ છે નહીં. જે લોકો એમ માનીને બેસી ગયા તેમણે શોધની પહેલાં જ હાર સ્વીકારી લીધી.

આ હાર, આ નિરાશા, આ માની લીધેલા પરાજયની બાબતમાં મારે સૌથી પહેલી ચેતવણી એ આપવાની છે કે જીવન એ કંઈ માટી-પથ્થર નથી. એ ઘણું બધું છે. ધૂળ અને પથ્થરની વરચે ઘણું ય છુપાયું છે. આંખો જો જૉઈ શકે તો જીવનથી પરમાત્મા સુધી પહોંચવાની સીડી તૈયાર પડી છે. જૉતાં તો માત્ર હાડ, માંસને ચામડું જણાય, એવા આ શરીરમાં ‘એ’ છુપાયો છે, જેને હાડ, માંસ અને ચામડા સાથે કશો સંબંધ નથી. આજ જન્મતા અને કાલ મરતા-નષ્ટ થતાં આ સાધારણ શરીરમાં પણ કદી ન જન્મતા ને કદી ના મરતા અમૃતનો વાસ છે. રૂપની અંદર અરૂપ છુપાયું છે, દૃશ્યની અંદર અદૃશ્યનો વાસ છે અને મૃત્યુના ધુમ્મસમાં અમૃતજયોતિ ઝળહળે છે. એવી જયોતિ કે જેનું મૃત્યુ છે નહીં. આપણે તો ધુમાડો જૉઈને પાછા ફરીએ છીએ, જયોતિની શોધ કરતા નથી. અને થોડા લોકો જે એવી હિમ્મત કરે છે તેઓ ધુમાડામાં જ ખોવાઈ જાય છે, જયોતિ સુધી પહોંચતા નથી. ધુમાડાની અંદર રહેલી જયોતિને કેવી રીતે જાણી શકાય, પ્રકૃતિમાં નિહિત પરમાત્માનાં દર્શન કેવી રીતે થાય? એ સંબંધમાં ત્રણ ચરણોમાં મારે તમને વાત કહેવાની છે. પહેલી વાત. જીવન સંબંધી આપણે એવો દૃષ્ટિકોણ કેળવ્યો છે, જીવન સંબંધી એવી ધારણાઓ ઘડી રાખી છે, કે એને જે કારણે આપણા જીવનનું સત્ય જાણી શકતા નથી, ઓળખી શકતા નથી. ઓળખ વિના, પરિચય વિના, જિજ્ઞાસા વિના આપણે જીવન વિશેની વિભાવના ઘડી કાઢી છે. એ વિભાવનાને આપણે નિશ્ચિત સ્વરૂપમાં ઢાળી દીધી છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Monday, June 30, 2008

આનંદ મેળવવા મનને વિચારમુકત કરો

આનંદ મેળવવા મનને વિચારમુકત કરો

oshovani હું તમને કહેવા માગું છું કે કામ દિવ્ય છે, પવિત્ર છે. કામની શકિત પરમાત્માની શકિત છે, ઈશ્વરની શકિત છે અને એથી તો એમાંથી ર્જા-ઓજસ પ્રગટે છે. તેની પવિત્રતા સ્વીકારો અને ધન્યતાને સ્વીકારો અને તેમાં ડે ડે શોધો. તો તમે ચકિત થશો. જેટલી પવિત્રતાથી કામને સ્વીકારશો એટલો જ કામ પવિત્ર થતો જશે અને જેટલી અપવિત્રતાથી, પાપ¼ષ્ટિથી કામનો વિરોધ કરશો, એટલો જ તે પાપરૂપ-કુરૂપ થશે.

જયારે કોઈ પોતાની પત્ની પાસે જાય તો એવી રીતે જાય જાણે કે તે મંદિરમાં જતો હોેય, જયારે કોઈ પત્ની તેના પતિની પાસે જાય તો એવી રીતે જાય જાણે કે તે પરમાત્માની પાસે જતી હોય. કારણ કે જયારે બે પ્રેમી કામથી દોરાઈને નજીક આવે છે, અને સંભોગમાંથી પસાર થાય છે, ત્યારે ખરેખર તે પરમાત્માના મંદિર પાસેથી પસાર થાય છે. એ બંનેની નિકટતા એ પરમાત્માનું જ કાર્ય છે. પરમાત્માની સૃજનશકિત ત્યાં પ્રવૃત્ત થઈ રહી છે. અને મારી પોતાની તો એ ¼ષ્ટિ છે કે મનુષ્યના ઇતિહાસમાં મનુષ્યને જૉ કયાંય સમાધિનો - ઘ્યાનનો પહેલો અનુભવ થયો હોય તો તે સંભોગની ક્ષણોમાં થયો છે, બીજે કયાંય નહીં. સંભોગની ક્ષણોમાં જ મનુષ્યને પહેલીવાર ખ્યાલ આવ્યો કે જીવનમાં આટલા આનંદની વર્ષા થઈ શકે.

જેમણે વિચાર કર્યો, જેમણે ઘ્યાન કર્યું, જેમણે કામ અને મૈથુન ઉપર ચિંતન કર્યું તેમને એ સમજાયું કે કામની ક્ષણોમાં, મૈથુનની ક્ષણોમાં, સંભોગની ક્ષણોમાં મન વિચારશૂન્ય થઈ જાય છે. એક ક્ષણને માટે મનના બધા જ વિચારો અટકી જાય છે અને તે આનંદની વર્ષાનું કારણ બને છે. ત્યારે તેમને એક રહસ્ય લાઘી ગયું કે કોઈ પણ વિધિથી જૉ મનને વિચારમુકત કરવામાં આવે તો પણ આટલો જ આનંદ મળે. એમાંથી જ પછી સમાધિ અને યોગની વ્યવસ્થાઓ વિકસી. તેમાંથી જ ઘ્યાન, સામાયિક, પ્રાર્થના વગેરે વ્યવસ્થાઓનો વિકાસ થયો. આ બધાંના મૂળમાં સંભોગનો અનુભવ રહ્યો છે.

અને વળી મનુષ્યને એ અનુભવ પણ થયો કે સંભોગ વિના પણ ચિત્ત વિચારશૂન્ય બની શકે છે. અને જે રસની અનુભૂતિ સંભોગ દ્વારા અનુભવાય છે, તે સંભોગ વગર પણ વરસી શકે. વળી, સંભોગ તો ક્ષણિક છે કારણ કે તેમાં શકિતનો, ઓજસનો વહાવ છે, નિકાસ છે. જયારે ઘ્યાન તો સતત થઈ શકે છે.

તો હું તમને કહેવા માગું છું કે એક યુગલ સંભોગની ક્ષણોમાં જે આનંદ મેળવે છે, તે જ આનંદ એક યોગી ચોવીસેય કલાક સમાધિમાં અનુભવે છે. એ બંને આનંદમાં બુનિયાદી વિરોધ નથી. માટે જ જેમણે વિષયાનંદ અને બ્રહ્માનંદને ભાઈ-ભાઈ કહ્યા છે તેમણે સત્ય જ કહ્યું છે. તે સહોદર છે. એક જ ઉદરમાંથી તે જન્મ્યા છે, એક જ અનુભવમાંથી વિકસ્યા છે. તેમણે સાચું જ કહ્યું છે. તો પહેલું સૂત્ર : જૉ તમારે પ્રેમના તત્ત્વને જાણવું હોય તો કામની પવિત્રતા, દિવ્યતા, એની ઈશ્વરીય અનુભૂતિનો સ્વીકાર કરો, એનો પ્રેમપૂર્ણ હૃદયથી અંગીકાર કરો. તમને આશ્ચર્ય થશે, જેટલા પરિપૂર્ણ હૃદયથી કામનો સ્વીકાર થશે, એટલે અંશે કામથી મુકત થવાતું જશે.

જેટલો અસ્વીકાર તેટલું બંધન - ફકીરને વસ્ત્રોનું હતું તેવું. જેટલો સ્વીકાર એટલી મુકિત. જૉ નૈસર્ગિક જીવનનો પરિપૂર્ણ સ્વીકાર થાય તો એ જ સ્વીકાર અજ્ઞાત માટેનો માર્ગ બની જશે. એ પરિપૂર્ણ સ્વીકòતિને જ હું આસ્તિકતા કહું છું. એ આસ્તિકતા જ વ્યકિતને મુકિત અપાવશે. જે જીવનની નૈસર્ગિકતા સ્વીકારતા નથી, એનો નિષેધ કરે છે, ‘આ પાપ છે, આ વિષય છે, આ ખરાબ છે,’ એવું કહીને જે છોડવાની વાત કરે છે તેને હું નાસ્તિક કહું છું. જેવા હોય તેવા જીવનનો સ્વીકાર કરો અને એની પૂર્ણતામાં જીવો. એ પરિપૂર્ણતા દિનપ્રતિદિન સોપાનો ચડતી જશે. આ સ્વીકાર મનુષ્યને ઘ્ર્વમાં લઈ જશે અને જેનું કામમાં નામોનિશાન ન હતું તેનું દર્શન એક દિવસ લાધશે. કામ જે કોલસો હતો તેમાંથી એક દિવસ પ્રેમનો હીરો ઝળહળશે. આ પ્રથમ સૂત્ર છે.

બીજું સૂત્ર આપને કહેવા માગું છું, તેને પણ આજ સુધી સંસ્કòતિ, સભ્યતા અને ધર્મોએ દબાવી રાખ્યું છે. બીજું સૂત્ર પણ સ્મરણમાં રાખવા જેવું છે કારણ કે પહેલું સૂત્ર કામની શકિતને પ્રેમમાં રૂપાંતરિત કરશે પણ બીજું સૂત્ર દીવાલ બનીને આડું ભું રહ્યું છે એ શકિતને વહેતી રોકવા માટે. એ વહી નહીં શકે.

બીજું સૂત્ર છે માનવીનો અહંકાર - ‘હું’ ભાવ, અહંકાર, ‘હું’ છું. બૂરા લોકો તો કહે છે, ‘હું’ છું. પણ સારા લોકો તો જૉરશોરથી કહે છે કે ‘હું’ છું - ‘મારે સ્વર્ગ જવું છે, મોક્ષ મેળવવો છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે.’ આ ‘હું’ તો ત્યાં ભો જ છે. અને માણસનો અહમ્ જેટલો પ્રબળ, એટલું જ અન્ય સાથે સંયુકત થવાનું સામથ્ર્ય ઓછું કારણ કે અહમ્ એક દીવાલ છે, તે ઘોષણા કરે કે ‘તું તું છો.’, ‘હું હું છું.’ બંને વરચે અંતર છે. કેટલો પ્રેમ કરું તને, મારે ગળે વળગાડું તને, છતાં આપણે બે જુદાં છીએ. ગમે તેટલાં નજીક આવીએ, છતાંયે અંતર તો રહેવાનું જ. હું હું છું - તું તું છે. આથી નિકટતમ અનુભવથી પણ નજીક આવી શકાતું નથી. શરીર પાસે હોય પણ વ્યકિત તો દૂર જ રહે છે. જયાં સુધી મનમાં ‘હું’ ભાવ છે ત્યાં સુધી પરાયાપણાનો ભાવ પણ મોજૂદ છે. સાત્રેએ આ બાબતમાં એક અદ્ભુત વચન કહ્યું છે, ‘વ્ત્ર્ફૂ ંદ્દત્ર્ફૂશ્વ iસ્ન્ ત્ર્ફૂશ્રશ્ર.’ બીજી વ્યકિત નર્ક છે. પણ સાત્રેએ એ નથી કહ્યું કે શા માટે બીજી વ્યકિત નર્ક છે. એ બીજા શા માટે? એ બીજૉ ‘બીજૉ’ છે કારણ કે હું ‘હું’ છું અને જયાં સુધી ‘હું’ છે ત્યાં સુધી જગતની દરેક વસ્તુ અન્ય છે, ભિન્ન છે. અને જયાં સુધી ભિન્નતા છે ત્યાં સુધી પ્રેમનો અનુભવ નથી. ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Wednesday, June 25, 2008

OshoVani-Online Bhagawan Osho Amrit Vani

જીવન અંધકારમય લાગે તો જીવન જીવવાની રીત ખોટી છ

હું આપને કહેવા માગું છું કે જીવનથી અતિરિકત ન કોઇ પરમાત્મા છે, ના કોઇ હોઇ શકે.

અત્યાર સુધી ધર્મના નામે જીવનનો વિરોધ જ શિખવાડાયો છે. ખરું તો એ છે કે, આજ સુધીના તમામ ધર્મ મૃત્યુવાદી છે, જીવનવાદી નથી. એ ¼ષ્ટિએ તો જીવન પછી જે છે તે જ મહત્ત્વનું છે, મૃત્યુ પહેલાં જે છે તેનું કશું મહત્ત્વ નથી. આજ સુધીના ધર્મમાં મૃત્યુની પૂજા છે. જીવનનું સન્માન નથી. જીવનનાં ફૂલોનો આદર નથી, મૃત્યુનાં કરમાયેલાં, વાસી ફૂલોની, કબરોની પ્રશંસા છે, શ્રદ્ધા છે. આજ સુધીનો ધર્મ ચિંતવે છે કે મૃત્યુ પછી શું? સ્વર્ગ, મોક્ષ! મૃત્યુ પહેલાં જે છે તેની સાથે આજ સુધીના ધર્મને જાણે કોઇ સંબંધ નથી. હું આપને એ કહેવા માગું છું કે મૃત્યુ પહેલાં જે છે તેને સંભાળવાને જૉ આપણે અસમર્થ છીએ તો મૃત્યુ પછી જે હોય તેને સંભાળવાનું સામથ્ર્ય આપણામાં કદી ન હોઇ શકે. મૃત્યુ પહેલાં જે છે તે જૉ વ્યર્થ સરકી જાય છે તો મૃત્યુ પછી સાર્થકતાની ત્રેવડ કે યોગ્યતા આપણે આપણામાં કદી ઉત્પન્ન નહીં કરી શકીએ.

મૃત્યુની તૈયારી પણ એ જીવનની આસપાસ જે હાજર છે એના દ્વારા જ કરવાની છે. મૃત્યુ પછી જૉ કોઇ લોક હોય તો એ લોકમાં પણ આપણે જીવનમાં જે અનુભવ્યું છે, નિમ્ર્યું છે એનાં જ દર્શન થશે. પરંતુ આજ સુધી તો જીવનને ભુલાવી દેવાની, જીવનનું વિસ્મરણ કરવાની જ વાતો થઇ છે. હું આપને કહેવા માગું છું કે જીવનથી અતિરિકત ન કોઇ પરમાત્મા છે, ન કોઇ હોઇ શકે. હું એ પણ કહી દેવા માગું છું કે જીવનની સાધના જ ધર્મની સાધના છે અને જીવનમાં પરમ સત્યની અનુભૂતિ કરવી એ જ મોક્ષ પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથિયું છે. એ નિશ્ચિત છે કે જે જીવન ચૂકી જશે તે બીજું બધું ચૂકી જશે. અત્યાર સુધીનું વલણ જ વિપરીત રહ્યું છે, એ વલણમાં તો જીવનને છોડવાની, જીવનનો ત્યાગ કરવાની વાત છે. જીવન જીવવાની કળા શીખવવાની કે જીવનમાં જ શોધ કરવાની વાત એ વલણમાં નથી. જીવન જીવવાની રીત પણ એ નહીં દર્શાવે. જીવન જીવવાની સાચી રીત જો જડી જાય તો એ જ જીવન આનંદવર્ષા પણ કરી શકે છે.

ધર્મને હું જીવન જીવવાની કળા કહું છું. ધર્મ એટલે જીવનનો ત્યાગ નહીં ધર્મ એટલે જીવનના ગહનમાં તરવાનું સોપાન. જીવનને પીઠ બતાવવામાં નહીં, જીવનને પૂરી રીતે આંખો ખોલીને જૉઇ લેવામાં ધર્મ છે. જીવનથી ભાગી છૂટવામાં ધર્મ નથી, જીવનને પૂર્ણતયા આલિંગવાનું બીજું નામ જ ધર્મ છે. જીવનનો સંપૂર્ણ સાક્ષાત્કાર એટલે ધર્મ. આ જ કારણથી આજ સુધી માત્ર વૃદ્ધો જ ધર્મોત્સુક રહ્યા છે. મંદિરોમાં, ચર્ચમાં, ગિરિજાઘરોમાં, ગુરુદ્વારાઓમાં માત્ર વૃદ્ધો જ દેખાય છે. ન તો યુવાનો ત્યાં દેખાય છે ન તો બાળકો. તેનું કારણ શું? એનું એક જ કારણ છે આજ સુધી આપણો ધર્મ માત્ર વૃદ્ધોનો ધર્મ રહ્યો છે. જેમનું મરણ નજીક છે, જેઓ મૃત્યુથી ભયભીત છે, જેઓ મૃત્યુપળની સ્થિતિના ચિંતનમાં છે અને મૃત્યુ પછી શું છે એ જાણવા ચાહે છે એ લોકોનો ધર્મ છે. મૃત્યુ પર આધારિત ધર્મપૂર્ણ જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકે? મૃત્યુનું ચિંતન કરનારો ધર્મ પૃથ્વીને ધાર્મિક શી રીતે બનાવે?એ નથી બનાવી શકયો. પાંચ હજાર વર્ષથી અપાતી ધાર્મિક કેળવણી છતાંય પૃથ્વી રોજ અધાર્મિકતા તરફ જ ઢળતી રહી છે. મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, પૂજારી છે, પુરોહિત છે, સંન્યાસી છે અને છતાં પૃથ્વી ધાર્મિક બની શકી નથી, અને બનીયે નહીં શકે કારણ કે ધર્મનો આધાર જ ખોટો છે. એ ધર્મનો આધાર જીવન નથી, મૃત્યુ છે. ધર્મનો આધાર વિકસતાં પુષ્પો નથી, મૃત કબરના પથ્થરો છે. જે ધર્મનો આધાર મૃત્યુ હોય એ ધર્મ જો પ્રાણોને, જીવનના પ્રાણોને સ્પંદિત કરી ન શકે તો એમાં આશ્ચર્ય શું? જવાબદારી કોની? ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી

સંકલન : એક ઓશો સંન્યાસી