Sunday, September 14, 2008

Kshma Magvathi Shanti Male

ક્ષમા માગવાથી શાંતિ મળે


ઓશો
Saturday, July 19, 2008 09:00 [IST]

એક ફકીરને મળવા કોઈ જર્મન યાત્રી ગયો હતો. યાત્રી કંઈક ગુસ્સામાં હશે. એણે જોડા કાઢીને જોરથી બારણા પર પટકયા, બારણાને ધક્કો મારીને તે અંદર ગયો, અને ફકીરને નમસ્કાર કર્યા.

ફકીરે કહ્યું, ‘તમે પહેલાં જોડાની ને દરવાજાની માફી માગો.’

એ માણસે કહ્યું, ‘ગાંડા થયા છો કંઈ? જોડાની ને બારણાની માફી? એમને તો કંઈ વ્યકિતત્વ છે?’

ફકીરે કહ્યું, ‘ક્રોધ કરતી વખતે એમને વ્યકિતત્વ નથી એવો વિચાર તમને નથી આવ્યો. તમે જોડા એવી રીતે કાઢયા જાણે જોડાનો કંઈ વાંક હોય, જોડામાં પ્રાણ હોય. બારણું એવી રીતે ખોલ્યું જાણે એ તમારું દુશ્મન હોય. ના ભાઈ, ક્રોધ કરતી વખતે જો તમે એમનું વ્યકિતત્વ માની લીધું તો પહેલાં જાઓ, ક્ષમા માગી આવો. પછી હું તમારી સાથે વાત કરીશ, ત્યાં સુધી વાત કરવા હું રાજી નથી.’

દૂર દૂરથી મળવા આવે ને આટલી વાત પર મુલાકાત ન થઈ શકે? લાચાર થઈને તેને દરવાજા પાસે જઈને હાથ જોડીને ક્ષમા માગવી પડી અને કહેવું પડયું, ‘ભાઈ, માફ કર. ભૂલ થઈ ગઈ. મેં તમારી સાથે ગુસ્સો કર્યો.’

એ યાત્રીએ લખ્યું છે કે, ‘જયારે હું ક્ષમા માગતો હતો ત્યારે પહેલાં તો મને હસવું આવ્યું કે આ કેવું ગાંડપણ? પણ મેં જયારે ક્ષમા માગી ત્યારે ચકિત થઈ ગયો. મને એક એવી શાંતિનો અનુભવ થયો કે જેની મેં કલ્પના સરખી કરી નહોતી કે બારણાની ને જોડાની ક્ષમા માગવાથી શાંતિ મળી શકે. હું જઈને ફકીર પાસે બેઠો. એ હસવા લાગ્યો ને બોલ્યો, હવે કંઈક વાત કરી શકાય. તમે થોડો પ્રેમ પ્રગટ કર્યો, હવે તમારી સાથે સંબંધ બાંધી શકાય. કારણ કે તમે હવે આનંદમાં છો.’

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી , સંકલન : એક ઓશો સંન્યાસી

Friday, September 5, 2008

પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ

પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ

Osho
Saturday, July 05, 2008 14:10 [IST]

oshoબીજી વાત એ કે, બાળકોને ઘ્યાનની દીક્ષા મળવી જોઇએ. મૌન કેમ થવાય, શાંત કેમ થવાય, નિર્વિકાર કેમ થવાય એ શીખવવું જોઇએ. બાળક તો તત્ક્ષણ નિર્વિચાર થઇ શકે છે, મૌન થઇ શકે છે, શાંત થઇ શકે છે. ચોવીસ કલાકમાંથી એક કલાક ઘરમાં બાળકોને મૌનમાં લઇ જવાની વ્યવસ્થા હોવી ઘટે. પ્રત્યેક ઘરમાં એક કલાક મૌનનું હોવું અનિવાર્ય થવું જૉઇએ. એક દિવસ ખાવાનું ન મળે તો ચાલે પરંતુ એક કલાક મૌન વિના ઘર ન ચાલી શકે.

એ ઘર નથી, એ ઘરને પરિવાર કહેવો તે અસત્ય છે. એક કલાકનું આ મૌન ચૌદ વર્ષમાં તો એ દરવાજાને ખોલી નાખશે જે દરવાજાનું નામ ઘ્યાન છે. જે ઘ્યાન દ્વારા માણસને સમયહીનતાનો, અહંકારશૂન્યતાનો અનુભવ થાય છે, આત્માની ઝાંખી થાય છે, એ ઝાંખી સેકસના અનુભવ પહેલાં મળી જવી જૉઇએ. જૉ આમ થાય તો સેકસ ભણીની દોટ થંભી જાય. શકિત એ માર્ગે વહેવા લાગશે.

આ પ્રથમ ચરણ છે. બીજું ચરણ છે પ્રેમ. બાળકોને બચપણથી જ પ્રેમની દીક્ષા આપવી જોઇએ. અત્યાર સુધી આપણે એવી ભ્રમણામાં હતાં કે પ્રેમનું શિક્ષણ માનવીને સેકસ તરફ લઇ જશે. પ્રેમનું શિક્ષણ કંઇ સેકસ ભણી ન લઇ જાય. સાચી વાત તો જુદી જ છે. પ્રેમ જેટલો વિકસિત થાય છે તેટલી કામશકિત પ્રેમમાં રૂપાંતરિત થઇને વહંેચાવી શરૂ થઇ જાય છે. માણસ પ્રેમથી જેટલો ઓછો ભરેલો તેટલો વધારે કામુક, સેકસગ્રસ્ત હોવાનો.

જેના જીવનમાં પ્રેમ જેટલો ઓછો એના જીવનમાં વિદ્વેષ એટલો જ વધારે હોવાનો. જીવનમાં પ્રેમ ઓછો તેમ ઇર્ષા વિશેષ, પ્રતિસ્પર્ધા વિશેષ. જીવનમાં પ્રેમ જેમ ઓછો તેમ ચિંતા ને દુ:ખ વિશેષ. દુ:ખ, ચિંતા, ઇર્ષા, ધૃણા, દ્વેષ, આદિથી માણસ જેમ વધારે ધેરાયેલા રહે છે તેમ એની સમગ્ર શકિત વિકòત થઇ જાય છે. એ શકિત તાણ અનુભવે છે, એની નિકાસ માટે કોઇ માર્ગ નથી રહેતો, સિવાય કે સેકસ. પ્રેમ શકિતઓની નિકાસ બને છે.‘‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી , સંકલન : એક ઓશો સંન્યાસી

Originally Posted By:- Divya Bhaskar


Saturday, August 30, 2008

નિર્વિકાર થવાની દીક્ષા બાળકને આપવી

ઓશો

શાંત થવાની, નિર્વિકાર થવાની, મૌન થવાની ઘ્યાન-દીક્ષા બાળકને આપવી એ કામના રૂપાંતરનું પ્રથમ ચરણ છે. બાળક આમ તો સ્વભાવથી જ મૌન છે, શાંત છે. જો એને થોડીઘણી તાલીમ અપવામાં આવે, મૌન, શાંત રહેવાની થોડી જ કેળવણી આપવામાં આવે તો જયારે તેઓ ૧૪ વર્ષનાં થશે, કામ જયારે જાગૃત થશે, ત્યારે એમનું એક દ્વાર ખૂલી ચૂકયું હશે. શકિત એકઠી થશે અને દ્વાર ખુલ્યું થયું છે તે દ્વારથી વહેવી શરૂ થઈ જશે. એમને શાંતિનો, આનંદનો, કાલહીનતાનો, નિરહંકાર ભાવનો અનુભવ સેકસના અનુભવ કરતાં ઘણો વહેલો ઉપલબ્ધ થઈ જશે.

એ અનુભવ એમની શકિતને અવળા માર્ગે જતી અટકાવી યોગ્ય માર્ગે વાળશે. પરંતુ આપણે નાનાં બાળકોને ધ્યાન તો નથી શીખવતાં, લટાનો, કામનો વિરોધ શીખવીએ છીએ. કામ પાપ છે, ગંદકી છે, કુરૂપતા છે, બૂરાઈ છે, નરક છે એ બધું આપણે શીખવીએ છીએ. એને આ બધું કહી દેવાથી કોઈ ફરક પડતો નથી, ઉલટાનું આપણા કહેવાથી જ બાળકો એ તરફ વધારે આકર્ષિત થાય છે અને નરક કેવું છે એની શોધ કરવા માંડે છે કે જેનાથી મોટા મોટા વૃદ્ધો ભયભીત છે, બેચેન છે એ વસ્તુ છે શી?

એમને અલ્પ સમયમાં જ જાણ થઈ જાય છે કે મોટેરાં જે વાતથી આપણને રોકવાના પ્રયત્નો કરે છે તેઓ પોતે જ એમાં રાત-દિવસ લીન છે. આ વાતની ખબર પડતાં જ મા-બાપમાં રહેલી એમની શ્રદ્ધા નાશ પામે છે. મા-બાપ તરફની શ્રદ્ધાનું વિનાશક કારણ નવી તાલીમ નથી, પણ મા-બાપ પોતે જ છે. તમે બાળકોને જે વસ્તુ ગંદી હોવાનું કહો છે તે જ વસ્તુમાં તમે સારી પેઠે ડૂબ્યા છો એની એમને જાણ થઈ જાય છે. તમારી દિવસની જિંદગી જુદી છે ને રાતની જુદી છે. તમે કહો છો કંઈક ને કરો છો કંઈક.

નાનાં બાળકો ભારે સૂક્ષ્મ નિરીક્ષક હોય છે. ઘરમાં શું થાય છે એનું તેઓ બારીક નિરીક્ષણ કરે છે. તેઓ જુઓ છે કે જે વાતને મા ગંદી કહે છે, બાપ ગંદી કહે છે એ જ વાત ઘરમાં રાત-દિવસ ચાલે છે. એનું જ્ઞાન એમને ઘણી જલદીથી થઈ જાય છે. એમની તમામ શ્રદ્ધા તૂટી પડે છે. એમને લાગે છે કે આ મા-બાપ પાખંડી છે, દગાબાજ છે, દંભી છે. તેઓ વાત કંઈક કરે છે પણ વર્તન એમનું જુદું જ છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

Monday, August 25, 2008

અહંકારશૂન્ય આત્મા પરમાત્માની ઝલક પામે

સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે.

સમાધિ માટે ઇસુ ખિ્રસ્તે કહ્યું છે : વ્ત્ર્ફૂશ્વફૂ સ્ન્ર્ત્ર્ીશ્રશ્ર ણુફૂ દ્દiૃફૂ ઁં શ્રંઁિંફૂશ્વ. સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે. સેકસના અનુભવમાં બીજી બીના આ બને છે. ધાર્મિક અનુભૂતિ માટે સર્વાધિક તત્ત્વ છે : અહંશૂન્યતા ને સમયવિહીનતા. મનુષ્ય કામાતુર થાય છે, એનું બીજું કારણ આ છે. એ આતુરતા શરીર માટે લગીર પણ નથી. એ આતુરતા છે અહંકારશૂન્યતાની, સમયશૂન્યતાના અનુભવ માટેની. પરંતુ અહંકારશૂન્યતા ને સમયશૂન્યતા માટે આતુરતા થાય છે શા માટે? એટલા માટે કે અંહકાર શૂન્ય થતાં જ આત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. સમય નાશ પામતાં જ પરમાત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. એ ઘટના માત્ર ક્ષણભરની છે. પરંતુ એ ક્ષણ માટે મનુષ્ય ગમે તેટલી શકિત ગુમાવવા તૈયાર થાય છે. શકિતનો અપવ્યય થવા બદલ-શકિત ક્ષીણ થવા બદલ એ પસ્તાય છે. પછી એને તરત સમજાય છે કે શકિત જેટલી ક્ષીણ થાય છે મૃત્યુ એટલું નજીક આવે છે. કેટલાંક પશુમાં તો એક જ સંભોગ પછી નર મરણ પામે છે. કેટલાંક જંતુઓ તો એક જ સંભોગ કરવા પામે છે અને સંભોગ દરમિયાન ખલાસ થઇ જાય છે.

આફ્રિકામાં એક કરોળિયો થાય છે. એ એક જ સંભોગ કરી શકે છે અને સંભોગ દરમિયાન જ મૃત્યુ પામે છે એટલી શકિત ક્ષીણ થઇ જાય છે. મનુષ્યના અનુભવમાં આ વાત બહુ વહેલી આવી ગઇ છે કે સેકસનો અનુભવ શકિતને ક્ષીણ કરે છે અને ધીરે ધીરે મૃત્યુ નજીક આવે છે. માણસ ઘણો પસ્તાય છે, પરંતુ પસ્તાયા પછી થોડી ક્ષણો વીતતાં જ આતુરતા પાછી સંભવે છે. એ આતુરતામાં નક્કી કોઇ અર્થ હોવો જોઇએ અને એ સમજી લેવો જરૂરી છે. સેકસની આતુરતામાં કોઇ ધાર્મિક અનુભવ છે, કોઇ આત્મિક અનુભવ. એ અનુભવને જો આપણે નિહાળી શકીએ તો સેકસથી પર થઇ શકીએ. જો એમ ન થયું તો આપણે સેકસમાં જીવવાના અને મરવાના પણ સેકસમાં જ. એ અનુભવને પિછાણી શકીએ. રાત અંધારી છે અને વીજળી ચમકે છે. વીજળીની ચમક જો આપણને દેખાઇ જાય અને તેને બરાબર સમજી લઇએ કે રાતને કારણે વીજળી ચમકે છે, તો રાતને વધુ અંધારી કરવાની કોશિશ કરીશું, કે જેથી વીજળી ચમકે.એ અનુભૂતિ કામમાં ચળકે છે પરંતુ એ અનુભૂતિ સ્વયં કામ નથી. એ અનુભૂતિ તો કામાતીત છે. પરંતુ એ કામ દ્વારા ઉપલબ્ધ થાય છે. એટલે કામની સાથે એનું સાહચર્ય, સહયોગ થયો છે. એની ભિન્નતા અને સ્વરૂપભેદ સમજી લીધા પછી એને એના અસલ સ્વરૂપમાં શોધી શકાય છે. તે સેકસની પારથી આવે છે. એ પારના અનુભવને આપણે ગ્રહણ કરી શકીએ તો આપણે સેકસથી પર થઇ શકીએ, અન્યથા નહીં.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી (સંકલન : એક ઓશો સંન્યાસી)

Tuesday, August 12, 2008

ગંગા રોજ નવો માર્ગ નહીં શોધે

Oshovani
Saturday, June 07, 2008 09:40 [IST]


એક વાર દ્વાર ઉઘડી ગયા પછી બીજું દ્વાર ખોલવું અઘરું છે. કારણ કે સમસ્ત શકિતઓનો નિયમ એ છે કે એક વાર એ વહેવા માટે માર્ગ શોધી લે પછી એ જ માર્ગે વહેવાનું પસંદ કરશે. ગંગા સાગર તરફ વહી નીકળી. એક વાર એણે રસ્તો કરી લીધો પછી તો એ જ રસ્તે એ વહેતી જશે. રોજ નવું પાણી આવશે અને એ જ રસ્તેથી વહેતું ચાલ્યું જશે. ગંગા રોજ નવો માર્ગ નહીં શોધે. જીવનશકિત પણ એક માર્ગ શોધી લે છે પછી એ જ માર્ગે વહી જાય છે.

જીવનને જો કામુકતાથી મુકત કરવું હોય તો કામુકતાનો માર્ગ ખૂલે તે પહેલાં એ નવો માર્ગ, ઘ્યાનનો માર્ગ ખોલી લેવો જરૂરી છે. એકેએક નાના બાળકને ઘ્યાનનું અનિવાર્ય શિક્ષણ અને દીક્ષા મળવાં જૉઈએ. પરંતુ આપણે તો કામના વિરોધની દીક્ષા આપીએ છીએ, જે અત્યંત મૂર્ખતાપૂર્ણ છે. કામના વિરોધની દીક્ષા આપવાની નથી. શિક્ષણ તો આપવાનું છે ઘ્યાનનું વિધેયાત્મક-કે તે કેવી રીતે ઘ્યાનમાં તરે. અને બાળકો સહેલાઈથી ઘ્યાનમાં ઉતરી શકે છે. કારણ કે તેની ર્જાનું કોઈ દ્વાર ખૂલ્યું નથી. હજુ દ્વાર બંધ છે. હજુ ઉર્જા સુરક્ષિત છે. અત્યારે નવા દ્વાર પર કોઈ જગ્યાએ ધક્કો મારીને દ્વાર ખોલી શકાય છે. પછી તો એ વૃદ્ધ થઈ જશે અને ઘ્યાનમાં તરવું તેને માટે અત્યંત દુષ્કર થઈ જશે.

જેમ એક નવો છોડ ઉગે ત્યારે એની શાખાઓને જેમ નમાવવી હોય તેમ નમાવી શકાશે. પછી તે છોડ વૃક્ષ થાય છે-વૃદ્ધ થાય છે, ત્યારે તેની ડાળીઓ તૂટી જશે પણ નમશે નહીં. દુનિયામાં વૃદ્ધ લોકો ઘ્યાનની ચેષ્ટા કરે છે, પણ તે બિલકુલ ખોટા છે.

ઘ્યાનના તમામ પ્રયત્નો નાનાં બાળકો પર કરવા જોઈએ, પરંતુ મરણોન્મુખ માણસ ઘ્યાનોત્સુક થાય છે. એ ઉત્સુક બને છે કે ઘ્યાન શું છે? શાંત કેમ થવાય? જીવનની તમામ શકિત જયારે ખલાસ થઈ જાય, જયારે ઝૂકવાનું કે બદલવાનું મુશ્કેલ થઈ જાય ત્યારે તે ‘પોતે કેમ બદલાય’ એની પૂછપરછ કરે છે.

એક પગ કબરમાં ને બીજો બહાર રાખીને માણસ પૂછે છે, ઘ્યાનનો કોઈ માર્ગ છે? કેવી અજબ વાત છે! તદ્દન ગાંડપણભરી વાત છે. ઘ્યાનનો સંબંધ એક જ દિવસના જન્મેલ બાળક સાથે જયાં સુધી જોડાશે નહીં ત્યાં સુધી પૃથ્વી કદી શાંત નહીં થાય. ઘ્યાનસ્થ નહીં થાય. અંતિમ દિવસ સુધી પહોંચેલા વૃદ્ધથી એ સંબંધ બાંધી નહીં શકાય. કદાચ બાંધી શકાય તો નિરર્થક અતિ શ્રમ વ્યય કરવો પડે છે. ઉત્તરાવસ્થામાં શાંત થવા માટે પૂર્વાવસ્થામાં એ એકદમ થવો શકય હતો.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

Source From:- Divya Bhaskar