ક્ષમા માગવાથી શાંતિ મળે
એક ફકીરને મળવા કોઈ જર્મન યાત્રી ગયો હતો. યાત્રી કંઈક ગુસ્સામાં હશે. એણે જોડા કાઢીને જોરથી બારણા પર પટકયા, બારણાને ધક્કો મારીને તે અંદર ગયો, અને ફકીરને નમસ્કાર કર્યા.
ફકીરે કહ્યું, ‘તમે પહેલાં જોડાની ને દરવાજાની માફી માગો.’
એ માણસે કહ્યું, ‘ગાંડા થયા છો કંઈ? જોડાની ને બારણાની માફી? એમને તો કંઈ વ્યકિતત્વ છે?’
ફકીરે કહ્યું, ‘ક્રોધ કરતી વખતે એમને વ્યકિતત્વ નથી એવો વિચાર તમને નથી આવ્યો. તમે જોડા એવી રીતે કાઢયા જાણે જોડાનો કંઈ વાંક હોય, જોડામાં પ્રાણ હોય. બારણું એવી રીતે ખોલ્યું જાણે એ તમારું દુશ્મન હોય. ના ભાઈ, ક્રોધ કરતી વખતે જો તમે એમનું વ્યકિતત્વ માની લીધું તો પહેલાં જાઓ, ક્ષમા માગી આવો. પછી હું તમારી સાથે વાત કરીશ, ત્યાં સુધી વાત કરવા હું રાજી નથી.’
દૂર દૂરથી મળવા આવે ને આટલી વાત પર મુલાકાત ન થઈ શકે? લાચાર થઈને તેને દરવાજા પાસે જઈને હાથ જોડીને ક્ષમા માગવી પડી અને કહેવું પડયું, ‘ભાઈ, માફ કર. ભૂલ થઈ ગઈ. મેં તમારી સાથે ગુસ્સો કર્યો.’
એ યાત્રીએ લખ્યું છે કે, ‘જયારે હું ક્ષમા માગતો હતો ત્યારે પહેલાં તો મને હસવું આવ્યું કે આ કેવું ગાંડપણ? પણ મેં જયારે ક્ષમા માગી ત્યારે ચકિત થઈ ગયો. મને એક એવી શાંતિનો અનુભવ થયો કે જેની મેં કલ્પના સરખી કરી નહોતી કે બારણાની ને જોડાની ક્ષમા માગવાથી શાંતિ મળી શકે. હું જઈને ફકીર પાસે બેઠો. એ હસવા લાગ્યો ને બોલ્યો, હવે કંઈક વાત કરી શકાય. તમે થોડો પ્રેમ પ્રગટ કર્યો, હવે તમારી સાથે સંબંધ બાંધી શકાય. કારણ કે તમે હવે આનંદમાં છો.’
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી , સંકલન : એક ઓશો સંન્યાસી
બીજી વાત એ કે, બાળકોને ઘ્યાનની દીક્ષા મળવી જોઇએ. મૌન કેમ થવાય, શાંત કેમ થવાય, નિર્વિકાર કેમ થવાય એ શીખવવું જોઇએ. બાળક તો તત્ક્ષણ નિર્વિચાર થઇ શકે છે, મૌન થઇ શકે છે, શાંત થઇ શકે છે. ચોવીસ કલાકમાંથી એક કલાક ઘરમાં બાળકોને મૌનમાં લઇ જવાની વ્યવસ્થા હોવી ઘટે. પ્રત્યેક ઘરમાં એક કલાક મૌનનું હોવું અનિવાર્ય થવું જૉઇએ. એક દિવસ ખાવાનું ન મળે તો ચાલે પરંતુ એક કલાક મૌન વિના ઘર ન ચાલી શકે.
શાંત થવાની, નિર્વિકાર થવાની, મૌન થવાની ઘ્યાન-દીક્ષા બાળકને આપવી એ કામના રૂપાંતરનું પ્રથમ ચરણ છે. બાળક આમ તો સ્વભાવથી જ મૌન છે, શાંત છે. જો એને થોડીઘણી તાલીમ અપવામાં આવે, મૌન, શાંત રહેવાની થોડી જ કેળવણી આપવામાં આવે તો જયારે તેઓ ૧૪ વર્ષનાં થશે, કામ જયારે જાગૃત થશે, ત્યારે એમનું એક દ્વાર ખૂલી ચૂકયું હશે. શકિત એકઠી થશે અને દ્વાર ખુલ્યું થયું છે તે દ્વારથી વહેવી શરૂ થઈ જશે. એમને શાંતિનો, આનંદનો, કાલહીનતાનો, નિરહંકાર ભાવનો અનુભવ સેકસના અનુભવ કરતાં ઘણો વહેલો ઉપલબ્ધ થઈ જશે.
સમાધિ માટે ઇસુ ખિ્રસ્તે કહ્યું છે : વ્ત્ર્ફૂશ્વફૂ સ્ન્ર્ત્ર્ીશ્રશ્ર ણુફૂ દ્દiૃફૂ ઁં શ્રંઁિંફૂશ્વ. સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે. સેકસના અનુભવમાં બીજી બીના આ બને છે. ધાર્મિક અનુભૂતિ માટે સર્વાધિક તત્ત્વ છે : અહંશૂન્યતા ને સમયવિહીનતા. મનુષ્ય કામાતુર થાય છે, એનું બીજું કારણ આ છે. એ આતુરતા શરીર માટે લગીર પણ નથી. એ આતુરતા છે અહંકારશૂન્યતાની, સમયશૂન્યતાના અનુભવ માટેની. પરંતુ અહંકારશૂન્યતા ને સમયશૂન્યતા માટે આતુરતા થાય છે શા માટે? એટલા માટે કે અંહકાર શૂન્ય થતાં જ આત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. સમય નાશ પામતાં જ પરમાત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. એ ઘટના માત્ર ક્ષણભરની છે. પરંતુ એ ક્ષણ માટે મનુષ્ય ગમે તેટલી શકિત ગુમાવવા તૈયાર થાય છે. શકિતનો અપવ્યય થવા બદલ-શકિત ક્ષીણ થવા બદલ એ પસ્તાય છે. પછી એને તરત સમજાય છે કે શકિત જેટલી ક્ષીણ થાય છે મૃત્યુ એટલું નજીક આવે છે. કેટલાંક પશુમાં તો એક જ સંભોગ પછી નર મરણ પામે છે. કેટલાંક જંતુઓ તો એક જ સંભોગ કરવા પામે છે અને સંભોગ દરમિયાન ખલાસ થઇ જાય છે.
એક વાર દ્વાર ઉઘડી ગયા પછી બીજું દ્વાર ખોલવું અઘરું છે. કારણ કે સમસ્ત શકિતઓનો નિયમ એ છે કે એક વાર એ વહેવા માટે માર્ગ શોધી લે પછી એ જ માર્ગે વહેવાનું પસંદ કરશે. ગંગા સાગર તરફ વહી નીકળી. એક વાર એણે રસ્તો કરી લીધો પછી તો એ જ રસ્તે એ વહેતી જશે. રોજ નવું પાણી આવશે અને એ જ રસ્તેથી વહેતું ચાલ્યું જશે. ગંગા રોજ નવો માર્ગ નહીં શોધે. જીવનશકિત પણ એક માર્ગ શોધી લે છે પછી એ જ માર્ગે વહી જાય છે.