Saturday, August 30, 2008

નિર્વિકાર થવાની દીક્ષા બાળકને આપવી

ઓશો

શાંત થવાની, નિર્વિકાર થવાની, મૌન થવાની ઘ્યાન-દીક્ષા બાળકને આપવી એ કામના રૂપાંતરનું પ્રથમ ચરણ છે. બાળક આમ તો સ્વભાવથી જ મૌન છે, શાંત છે. જો એને થોડીઘણી તાલીમ અપવામાં આવે, મૌન, શાંત રહેવાની થોડી જ કેળવણી આપવામાં આવે તો જયારે તેઓ ૧૪ વર્ષનાં થશે, કામ જયારે જાગૃત થશે, ત્યારે એમનું એક દ્વાર ખૂલી ચૂકયું હશે. શકિત એકઠી થશે અને દ્વાર ખુલ્યું થયું છે તે દ્વારથી વહેવી શરૂ થઈ જશે. એમને શાંતિનો, આનંદનો, કાલહીનતાનો, નિરહંકાર ભાવનો અનુભવ સેકસના અનુભવ કરતાં ઘણો વહેલો ઉપલબ્ધ થઈ જશે.

એ અનુભવ એમની શકિતને અવળા માર્ગે જતી અટકાવી યોગ્ય માર્ગે વાળશે. પરંતુ આપણે નાનાં બાળકોને ધ્યાન તો નથી શીખવતાં, લટાનો, કામનો વિરોધ શીખવીએ છીએ. કામ પાપ છે, ગંદકી છે, કુરૂપતા છે, બૂરાઈ છે, નરક છે એ બધું આપણે શીખવીએ છીએ. એને આ બધું કહી દેવાથી કોઈ ફરક પડતો નથી, ઉલટાનું આપણા કહેવાથી જ બાળકો એ તરફ વધારે આકર્ષિત થાય છે અને નરક કેવું છે એની શોધ કરવા માંડે છે કે જેનાથી મોટા મોટા વૃદ્ધો ભયભીત છે, બેચેન છે એ વસ્તુ છે શી?

એમને અલ્પ સમયમાં જ જાણ થઈ જાય છે કે મોટેરાં જે વાતથી આપણને રોકવાના પ્રયત્નો કરે છે તેઓ પોતે જ એમાં રાત-દિવસ લીન છે. આ વાતની ખબર પડતાં જ મા-બાપમાં રહેલી એમની શ્રદ્ધા નાશ પામે છે. મા-બાપ તરફની શ્રદ્ધાનું વિનાશક કારણ નવી તાલીમ નથી, પણ મા-બાપ પોતે જ છે. તમે બાળકોને જે વસ્તુ ગંદી હોવાનું કહો છે તે જ વસ્તુમાં તમે સારી પેઠે ડૂબ્યા છો એની એમને જાણ થઈ જાય છે. તમારી દિવસની જિંદગી જુદી છે ને રાતની જુદી છે. તમે કહો છો કંઈક ને કરો છો કંઈક.

નાનાં બાળકો ભારે સૂક્ષ્મ નિરીક્ષક હોય છે. ઘરમાં શું થાય છે એનું તેઓ બારીક નિરીક્ષણ કરે છે. તેઓ જુઓ છે કે જે વાતને મા ગંદી કહે છે, બાપ ગંદી કહે છે એ જ વાત ઘરમાં રાત-દિવસ ચાલે છે. એનું જ્ઞાન એમને ઘણી જલદીથી થઈ જાય છે. એમની તમામ શ્રદ્ધા તૂટી પડે છે. એમને લાગે છે કે આ મા-બાપ પાખંડી છે, દગાબાજ છે, દંભી છે. તેઓ વાત કંઈક કરે છે પણ વર્તન એમનું જુદું જ છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

Monday, August 25, 2008

અહંકારશૂન્ય આત્મા પરમાત્માની ઝલક પામે

સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે.

સમાધિ માટે ઇસુ ખિ્રસ્તે કહ્યું છે : વ્ત્ર્ફૂશ્વફૂ સ્ન્ર્ત્ર્ીશ્રશ્ર ણુફૂ દ્દiૃફૂ ઁં શ્રંઁિંફૂશ્વ. સમાધિના અનુભવમાં સમયનું અસ્તિત્વ રહેતું નથી. એ કાલાતીત છે. સમય વિલીન થાય છે. એ વખતે નથી અતીત, નથી ભવિષ્ય, શુદ્ધ વર્તમાન માત્ર હોય છે. સેકસના અનુભવમાં બીજી બીના આ બને છે. ધાર્મિક અનુભૂતિ માટે સર્વાધિક તત્ત્વ છે : અહંશૂન્યતા ને સમયવિહીનતા. મનુષ્ય કામાતુર થાય છે, એનું બીજું કારણ આ છે. એ આતુરતા શરીર માટે લગીર પણ નથી. એ આતુરતા છે અહંકારશૂન્યતાની, સમયશૂન્યતાના અનુભવ માટેની. પરંતુ અહંકારશૂન્યતા ને સમયશૂન્યતા માટે આતુરતા થાય છે શા માટે? એટલા માટે કે અંહકાર શૂન્ય થતાં જ આત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. સમય નાશ પામતાં જ પરમાત્માની ઝલક ઉપલબ્ધ થાય છે. એ ઘટના માત્ર ક્ષણભરની છે. પરંતુ એ ક્ષણ માટે મનુષ્ય ગમે તેટલી શકિત ગુમાવવા તૈયાર થાય છે. શકિતનો અપવ્યય થવા બદલ-શકિત ક્ષીણ થવા બદલ એ પસ્તાય છે. પછી એને તરત સમજાય છે કે શકિત જેટલી ક્ષીણ થાય છે મૃત્યુ એટલું નજીક આવે છે. કેટલાંક પશુમાં તો એક જ સંભોગ પછી નર મરણ પામે છે. કેટલાંક જંતુઓ તો એક જ સંભોગ કરવા પામે છે અને સંભોગ દરમિયાન ખલાસ થઇ જાય છે.

આફ્રિકામાં એક કરોળિયો થાય છે. એ એક જ સંભોગ કરી શકે છે અને સંભોગ દરમિયાન જ મૃત્યુ પામે છે એટલી શકિત ક્ષીણ થઇ જાય છે. મનુષ્યના અનુભવમાં આ વાત બહુ વહેલી આવી ગઇ છે કે સેકસનો અનુભવ શકિતને ક્ષીણ કરે છે અને ધીરે ધીરે મૃત્યુ નજીક આવે છે. માણસ ઘણો પસ્તાય છે, પરંતુ પસ્તાયા પછી થોડી ક્ષણો વીતતાં જ આતુરતા પાછી સંભવે છે. એ આતુરતામાં નક્કી કોઇ અર્થ હોવો જોઇએ અને એ સમજી લેવો જરૂરી છે. સેકસની આતુરતામાં કોઇ ધાર્મિક અનુભવ છે, કોઇ આત્મિક અનુભવ. એ અનુભવને જો આપણે નિહાળી શકીએ તો સેકસથી પર થઇ શકીએ. જો એમ ન થયું તો આપણે સેકસમાં જીવવાના અને મરવાના પણ સેકસમાં જ. એ અનુભવને પિછાણી શકીએ. રાત અંધારી છે અને વીજળી ચમકે છે. વીજળીની ચમક જો આપણને દેખાઇ જાય અને તેને બરાબર સમજી લઇએ કે રાતને કારણે વીજળી ચમકે છે, તો રાતને વધુ અંધારી કરવાની કોશિશ કરીશું, કે જેથી વીજળી ચમકે.એ અનુભૂતિ કામમાં ચળકે છે પરંતુ એ અનુભૂતિ સ્વયં કામ નથી. એ અનુભૂતિ તો કામાતીત છે. પરંતુ એ કામ દ્વારા ઉપલબ્ધ થાય છે. એટલે કામની સાથે એનું સાહચર્ય, સહયોગ થયો છે. એની ભિન્નતા અને સ્વરૂપભેદ સમજી લીધા પછી એને એના અસલ સ્વરૂપમાં શોધી શકાય છે. તે સેકસની પારથી આવે છે. એ પારના અનુભવને આપણે ગ્રહણ કરી શકીએ તો આપણે સેકસથી પર થઇ શકીએ, અન્યથા નહીં.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી (સંકલન : એક ઓશો સંન્યાસી)

Tuesday, August 12, 2008

ગંગા રોજ નવો માર્ગ નહીં શોધે

Oshovani
Saturday, June 07, 2008 09:40 [IST]


એક વાર દ્વાર ઉઘડી ગયા પછી બીજું દ્વાર ખોલવું અઘરું છે. કારણ કે સમસ્ત શકિતઓનો નિયમ એ છે કે એક વાર એ વહેવા માટે માર્ગ શોધી લે પછી એ જ માર્ગે વહેવાનું પસંદ કરશે. ગંગા સાગર તરફ વહી નીકળી. એક વાર એણે રસ્તો કરી લીધો પછી તો એ જ રસ્તે એ વહેતી જશે. રોજ નવું પાણી આવશે અને એ જ રસ્તેથી વહેતું ચાલ્યું જશે. ગંગા રોજ નવો માર્ગ નહીં શોધે. જીવનશકિત પણ એક માર્ગ શોધી લે છે પછી એ જ માર્ગે વહી જાય છે.

જીવનને જો કામુકતાથી મુકત કરવું હોય તો કામુકતાનો માર્ગ ખૂલે તે પહેલાં એ નવો માર્ગ, ઘ્યાનનો માર્ગ ખોલી લેવો જરૂરી છે. એકેએક નાના બાળકને ઘ્યાનનું અનિવાર્ય શિક્ષણ અને દીક્ષા મળવાં જૉઈએ. પરંતુ આપણે તો કામના વિરોધની દીક્ષા આપીએ છીએ, જે અત્યંત મૂર્ખતાપૂર્ણ છે. કામના વિરોધની દીક્ષા આપવાની નથી. શિક્ષણ તો આપવાનું છે ઘ્યાનનું વિધેયાત્મક-કે તે કેવી રીતે ઘ્યાનમાં તરે. અને બાળકો સહેલાઈથી ઘ્યાનમાં ઉતરી શકે છે. કારણ કે તેની ર્જાનું કોઈ દ્વાર ખૂલ્યું નથી. હજુ દ્વાર બંધ છે. હજુ ઉર્જા સુરક્ષિત છે. અત્યારે નવા દ્વાર પર કોઈ જગ્યાએ ધક્કો મારીને દ્વાર ખોલી શકાય છે. પછી તો એ વૃદ્ધ થઈ જશે અને ઘ્યાનમાં તરવું તેને માટે અત્યંત દુષ્કર થઈ જશે.

જેમ એક નવો છોડ ઉગે ત્યારે એની શાખાઓને જેમ નમાવવી હોય તેમ નમાવી શકાશે. પછી તે છોડ વૃક્ષ થાય છે-વૃદ્ધ થાય છે, ત્યારે તેની ડાળીઓ તૂટી જશે પણ નમશે નહીં. દુનિયામાં વૃદ્ધ લોકો ઘ્યાનની ચેષ્ટા કરે છે, પણ તે બિલકુલ ખોટા છે.

ઘ્યાનના તમામ પ્રયત્નો નાનાં બાળકો પર કરવા જોઈએ, પરંતુ મરણોન્મુખ માણસ ઘ્યાનોત્સુક થાય છે. એ ઉત્સુક બને છે કે ઘ્યાન શું છે? શાંત કેમ થવાય? જીવનની તમામ શકિત જયારે ખલાસ થઈ જાય, જયારે ઝૂકવાનું કે બદલવાનું મુશ્કેલ થઈ જાય ત્યારે તે ‘પોતે કેમ બદલાય’ એની પૂછપરછ કરે છે.

એક પગ કબરમાં ને બીજો બહાર રાખીને માણસ પૂછે છે, ઘ્યાનનો કોઈ માર્ગ છે? કેવી અજબ વાત છે! તદ્દન ગાંડપણભરી વાત છે. ઘ્યાનનો સંબંધ એક જ દિવસના જન્મેલ બાળક સાથે જયાં સુધી જોડાશે નહીં ત્યાં સુધી પૃથ્વી કદી શાંત નહીં થાય. ઘ્યાનસ્થ નહીં થાય. અંતિમ દિવસ સુધી પહોંચેલા વૃદ્ધથી એ સંબંધ બાંધી નહીં શકાય. કદાચ બાંધી શકાય તો નિરર્થક અતિ શ્રમ વ્યય કરવો પડે છે. ઉત્તરાવસ્થામાં શાંત થવા માટે પૂર્વાવસ્થામાં એ એકદમ થવો શકય હતો.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

Source From:- Divya Bhaskar


Wednesday, August 6, 2008

Bhagawan Rajneesh Osho-મારે કોલસાને હીરો બનાવવો છે

ઓશો
Saturday, May 31, 2008 08:44 [IST]

૧૯૩૦ ની આસપાસ ગાંધીજી શ્રીલંકા ગયા હતા. એમની સાથે કસ્તૂરબા હતાં. સંયોજકોએ માન્યું કે ગાંધીજીનાં બા સાથે આવ્યાં છે. લોકો પણ એવું જ સમજયા. સંયોજકોએ પરિચય આપતાં કહ્યું કે ગાંધીજી પધાર્યા છે અને મોટું સદભાગ્ય તો એ વાતનું છે કે એમનાં માતાજી પણ સાથે પધાર્યા છે, એમની બાજુમાં જ બિરાજયાં છે. ગાંધીજીના સેક્રેટરી ગભરાયા કે ભારે થઈ. આ તો આપણી જ ભૂલ. પહેલેથી સ્પષ્ટતા કરી લેવી જરૂરી હતી... પરંતુ હવે તો ઘણું મોડું થયું હતું.

ગાંધીજી તો મંચ પર બેસી ગયા હતા ને એમણે બોલાવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી પાછળથી શું કહેશે એનો સેક્રેટરીને ભય હતો. ગાંધીજી નારાજ નહીં થાય, એની તો એમને કલ્પનાય નહોતી કારણ કે પત્નીને માતા બનાવવા સમર્થ થાય એવા પુરુષ બહુ ઓછા હોય છે. ગાંધીજીએ કહ્યું, ‘સૌભાગ્યની વાત છે કે જે મિત્રે મારો પરિચય આપ્યો એમણે ભૂલમાં એક સત્ય કહી નાખ્યું છે. કસ્તૂરબા કેટલાંક વર્ષોથી મારી મા થઈ રહી છે. એક વાર એ મારી પત્ની હતી પરંતુ હવે એ મારી મા છે.’

પતિપત્ની કામને-સંભોગને સમજવાનો પ્રયત્ન કરે તો એકબીજાંના મિત્ર બનવાની, એકબીજાંના કામનું રૂપાંતર કરવામાં સહયોગી બનવાની, સાથી બનવાની સંભાવના છે. જયારે કોઈ પતિપત્ની પોતાના સંભોગ સંબંધોને રૂપાંતરિત કરવામાં સફળ થાય છે ત્યારે એમના જીવનમાં પહેલી વાર એકબીજાં માટે અનુગ્રહની ભાવના જન્મ છે, એ પહેલાં નહીં. એ પહેલાં તો તેઓ એકબીજાં તરફ ક્રોધથી ભરાયેલ રહે છે, બુનિયાદી શત્રુ બની રહે છે. એમની વરચે સંઘર્ષ હોય છે, મૈત્રી નહીં.

મૈત્રી ત્યારે જ શરૂ થાય છે, જયારે બંને એકબીજાંનાં સાથી બને અને તેમની કામર્જાના રૂપાંતરનું માઘ્યમ બને. તે દિવસે પુરુષ સ્ત્રી પ્રત્યે આદરથી ભરાઈ જાય છે. કારણ કે કામવાસનામાંથી મુકત થવામાં સ્ત્રીએ સહાય કરી છે. તે દિવસે સ્ત્રી પુરુષ પ્રત્યે અનુગ્રહિત બને છે, કે પતિએ કામવાસનામાં મુકિત અપાવવામાં સાથ આપ્યો, એ દિવસથી સાચી મૈત્રી બંધાય છે. જે મૈત્રી કામની નથી પ્રેમની છે. તે દિવસથી તેમનું જીવન સાચી દિશા ભણી જાય છે.

એનો અર્થ નથી કે હું કામને ગાળો દઉં, એની નિંદા કરું. કામ સાથેની મારી દુશ્મનાવટનો અર્થ એટલો કે કામને રૂપાંતરિત કરવાની બાબતમાં હું દિશાસૂચન કરું, એ રૂપાંતર કેમ થાય તે હું તમને કહું. હું કોલસાનો દુશ્મન છું. કારણ કે મારે કોલસાને હીરો બનાવવો છે. સેકસનું રૂપાંતર કરવા હું ચાહું છું. કેવી રીતે? મેં તમને કહ્યું છે - એક નવું દ્વાર ખોલવું જરૂરી છે. બાળક જન્મતાં જ એના જીવનમાં સેકસનો પ્રવેશ નથી થતો. શકિત એકત્રિત થશે અને જે દ્વાર ૧૪ વર્ષ સુધી બંધ રહ્યું તે એ શકિતના એક જ ધક્કાથી ખૂલી જશે અને સેકસની દુનિયા શરૂ થઈ જશે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી