Monday, June 30, 2008

આનંદ મેળવવા મનને વિચારમુકત કરો

આનંદ મેળવવા મનને વિચારમુકત કરો

oshovani હું તમને કહેવા માગું છું કે કામ દિવ્ય છે, પવિત્ર છે. કામની શકિત પરમાત્માની શકિત છે, ઈશ્વરની શકિત છે અને એથી તો એમાંથી ર્જા-ઓજસ પ્રગટે છે. તેની પવિત્રતા સ્વીકારો અને ધન્યતાને સ્વીકારો અને તેમાં ડે ડે શોધો. તો તમે ચકિત થશો. જેટલી પવિત્રતાથી કામને સ્વીકારશો એટલો જ કામ પવિત્ર થતો જશે અને જેટલી અપવિત્રતાથી, પાપ¼ષ્ટિથી કામનો વિરોધ કરશો, એટલો જ તે પાપરૂપ-કુરૂપ થશે.

જયારે કોઈ પોતાની પત્ની પાસે જાય તો એવી રીતે જાય જાણે કે તે મંદિરમાં જતો હોેય, જયારે કોઈ પત્ની તેના પતિની પાસે જાય તો એવી રીતે જાય જાણે કે તે પરમાત્માની પાસે જતી હોય. કારણ કે જયારે બે પ્રેમી કામથી દોરાઈને નજીક આવે છે, અને સંભોગમાંથી પસાર થાય છે, ત્યારે ખરેખર તે પરમાત્માના મંદિર પાસેથી પસાર થાય છે. એ બંનેની નિકટતા એ પરમાત્માનું જ કાર્ય છે. પરમાત્માની સૃજનશકિત ત્યાં પ્રવૃત્ત થઈ રહી છે. અને મારી પોતાની તો એ ¼ષ્ટિ છે કે મનુષ્યના ઇતિહાસમાં મનુષ્યને જૉ કયાંય સમાધિનો - ઘ્યાનનો પહેલો અનુભવ થયો હોય તો તે સંભોગની ક્ષણોમાં થયો છે, બીજે કયાંય નહીં. સંભોગની ક્ષણોમાં જ મનુષ્યને પહેલીવાર ખ્યાલ આવ્યો કે જીવનમાં આટલા આનંદની વર્ષા થઈ શકે.

જેમણે વિચાર કર્યો, જેમણે ઘ્યાન કર્યું, જેમણે કામ અને મૈથુન ઉપર ચિંતન કર્યું તેમને એ સમજાયું કે કામની ક્ષણોમાં, મૈથુનની ક્ષણોમાં, સંભોગની ક્ષણોમાં મન વિચારશૂન્ય થઈ જાય છે. એક ક્ષણને માટે મનના બધા જ વિચારો અટકી જાય છે અને તે આનંદની વર્ષાનું કારણ બને છે. ત્યારે તેમને એક રહસ્ય લાઘી ગયું કે કોઈ પણ વિધિથી જૉ મનને વિચારમુકત કરવામાં આવે તો પણ આટલો જ આનંદ મળે. એમાંથી જ પછી સમાધિ અને યોગની વ્યવસ્થાઓ વિકસી. તેમાંથી જ ઘ્યાન, સામાયિક, પ્રાર્થના વગેરે વ્યવસ્થાઓનો વિકાસ થયો. આ બધાંના મૂળમાં સંભોગનો અનુભવ રહ્યો છે.

અને વળી મનુષ્યને એ અનુભવ પણ થયો કે સંભોગ વિના પણ ચિત્ત વિચારશૂન્ય બની શકે છે. અને જે રસની અનુભૂતિ સંભોગ દ્વારા અનુભવાય છે, તે સંભોગ વગર પણ વરસી શકે. વળી, સંભોગ તો ક્ષણિક છે કારણ કે તેમાં શકિતનો, ઓજસનો વહાવ છે, નિકાસ છે. જયારે ઘ્યાન તો સતત થઈ શકે છે.

તો હું તમને કહેવા માગું છું કે એક યુગલ સંભોગની ક્ષણોમાં જે આનંદ મેળવે છે, તે જ આનંદ એક યોગી ચોવીસેય કલાક સમાધિમાં અનુભવે છે. એ બંને આનંદમાં બુનિયાદી વિરોધ નથી. માટે જ જેમણે વિષયાનંદ અને બ્રહ્માનંદને ભાઈ-ભાઈ કહ્યા છે તેમણે સત્ય જ કહ્યું છે. તે સહોદર છે. એક જ ઉદરમાંથી તે જન્મ્યા છે, એક જ અનુભવમાંથી વિકસ્યા છે. તેમણે સાચું જ કહ્યું છે. તો પહેલું સૂત્ર : જૉ તમારે પ્રેમના તત્ત્વને જાણવું હોય તો કામની પવિત્રતા, દિવ્યતા, એની ઈશ્વરીય અનુભૂતિનો સ્વીકાર કરો, એનો પ્રેમપૂર્ણ હૃદયથી અંગીકાર કરો. તમને આશ્ચર્ય થશે, જેટલા પરિપૂર્ણ હૃદયથી કામનો સ્વીકાર થશે, એટલે અંશે કામથી મુકત થવાતું જશે.

જેટલો અસ્વીકાર તેટલું બંધન - ફકીરને વસ્ત્રોનું હતું તેવું. જેટલો સ્વીકાર એટલી મુકિત. જૉ નૈસર્ગિક જીવનનો પરિપૂર્ણ સ્વીકાર થાય તો એ જ સ્વીકાર અજ્ઞાત માટેનો માર્ગ બની જશે. એ પરિપૂર્ણ સ્વીકòતિને જ હું આસ્તિકતા કહું છું. એ આસ્તિકતા જ વ્યકિતને મુકિત અપાવશે. જે જીવનની નૈસર્ગિકતા સ્વીકારતા નથી, એનો નિષેધ કરે છે, ‘આ પાપ છે, આ વિષય છે, આ ખરાબ છે,’ એવું કહીને જે છોડવાની વાત કરે છે તેને હું નાસ્તિક કહું છું. જેવા હોય તેવા જીવનનો સ્વીકાર કરો અને એની પૂર્ણતામાં જીવો. એ પરિપૂર્ણતા દિનપ્રતિદિન સોપાનો ચડતી જશે. આ સ્વીકાર મનુષ્યને ઘ્ર્વમાં લઈ જશે અને જેનું કામમાં નામોનિશાન ન હતું તેનું દર્શન એક દિવસ લાધશે. કામ જે કોલસો હતો તેમાંથી એક દિવસ પ્રેમનો હીરો ઝળહળશે. આ પ્રથમ સૂત્ર છે.

બીજું સૂત્ર આપને કહેવા માગું છું, તેને પણ આજ સુધી સંસ્કòતિ, સભ્યતા અને ધર્મોએ દબાવી રાખ્યું છે. બીજું સૂત્ર પણ સ્મરણમાં રાખવા જેવું છે કારણ કે પહેલું સૂત્ર કામની શકિતને પ્રેમમાં રૂપાંતરિત કરશે પણ બીજું સૂત્ર દીવાલ બનીને આડું ભું રહ્યું છે એ શકિતને વહેતી રોકવા માટે. એ વહી નહીં શકે.

બીજું સૂત્ર છે માનવીનો અહંકાર - ‘હું’ ભાવ, અહંકાર, ‘હું’ છું. બૂરા લોકો તો કહે છે, ‘હું’ છું. પણ સારા લોકો તો જૉરશોરથી કહે છે કે ‘હું’ છું - ‘મારે સ્વર્ગ જવું છે, મોક્ષ મેળવવો છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે.’ આ ‘હું’ તો ત્યાં ભો જ છે. અને માણસનો અહમ્ જેટલો પ્રબળ, એટલું જ અન્ય સાથે સંયુકત થવાનું સામથ્ર્ય ઓછું કારણ કે અહમ્ એક દીવાલ છે, તે ઘોષણા કરે કે ‘તું તું છો.’, ‘હું હું છું.’ બંને વરચે અંતર છે. કેટલો પ્રેમ કરું તને, મારે ગળે વળગાડું તને, છતાં આપણે બે જુદાં છીએ. ગમે તેટલાં નજીક આવીએ, છતાંયે અંતર તો રહેવાનું જ. હું હું છું - તું તું છે. આથી નિકટતમ અનુભવથી પણ નજીક આવી શકાતું નથી. શરીર પાસે હોય પણ વ્યકિત તો દૂર જ રહે છે. જયાં સુધી મનમાં ‘હું’ ભાવ છે ત્યાં સુધી પરાયાપણાનો ભાવ પણ મોજૂદ છે. સાત્રેએ આ બાબતમાં એક અદ્ભુત વચન કહ્યું છે, ‘વ્ત્ર્ફૂ ંદ્દત્ર્ફૂશ્વ iસ્ન્ ત્ર્ફૂશ્રશ્ર.’ બીજી વ્યકિત નર્ક છે. પણ સાત્રેએ એ નથી કહ્યું કે શા માટે બીજી વ્યકિત નર્ક છે. એ બીજા શા માટે? એ બીજૉ ‘બીજૉ’ છે કારણ કે હું ‘હું’ છું અને જયાં સુધી ‘હું’ છે ત્યાં સુધી જગતની દરેક વસ્તુ અન્ય છે, ભિન્ન છે. અને જયાં સુધી ભિન્નતા છે ત્યાં સુધી પ્રેમનો અનુભવ નથી. ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Wednesday, June 25, 2008

OshoVani-Online Bhagawan Osho Amrit Vani

જીવન અંધકારમય લાગે તો જીવન જીવવાની રીત ખોટી છ

હું આપને કહેવા માગું છું કે જીવનથી અતિરિકત ન કોઇ પરમાત્મા છે, ના કોઇ હોઇ શકે.

અત્યાર સુધી ધર્મના નામે જીવનનો વિરોધ જ શિખવાડાયો છે. ખરું તો એ છે કે, આજ સુધીના તમામ ધર્મ મૃત્યુવાદી છે, જીવનવાદી નથી. એ ¼ષ્ટિએ તો જીવન પછી જે છે તે જ મહત્ત્વનું છે, મૃત્યુ પહેલાં જે છે તેનું કશું મહત્ત્વ નથી. આજ સુધીના ધર્મમાં મૃત્યુની પૂજા છે. જીવનનું સન્માન નથી. જીવનનાં ફૂલોનો આદર નથી, મૃત્યુનાં કરમાયેલાં, વાસી ફૂલોની, કબરોની પ્રશંસા છે, શ્રદ્ધા છે. આજ સુધીનો ધર્મ ચિંતવે છે કે મૃત્યુ પછી શું? સ્વર્ગ, મોક્ષ! મૃત્યુ પહેલાં જે છે તેની સાથે આજ સુધીના ધર્મને જાણે કોઇ સંબંધ નથી. હું આપને એ કહેવા માગું છું કે મૃત્યુ પહેલાં જે છે તેને સંભાળવાને જૉ આપણે અસમર્થ છીએ તો મૃત્યુ પછી જે હોય તેને સંભાળવાનું સામથ્ર્ય આપણામાં કદી ન હોઇ શકે. મૃત્યુ પહેલાં જે છે તે જૉ વ્યર્થ સરકી જાય છે તો મૃત્યુ પછી સાર્થકતાની ત્રેવડ કે યોગ્યતા આપણે આપણામાં કદી ઉત્પન્ન નહીં કરી શકીએ.

મૃત્યુની તૈયારી પણ એ જીવનની આસપાસ જે હાજર છે એના દ્વારા જ કરવાની છે. મૃત્યુ પછી જૉ કોઇ લોક હોય તો એ લોકમાં પણ આપણે જીવનમાં જે અનુભવ્યું છે, નિમ્ર્યું છે એનાં જ દર્શન થશે. પરંતુ આજ સુધી તો જીવનને ભુલાવી દેવાની, જીવનનું વિસ્મરણ કરવાની જ વાતો થઇ છે. હું આપને કહેવા માગું છું કે જીવનથી અતિરિકત ન કોઇ પરમાત્મા છે, ન કોઇ હોઇ શકે. હું એ પણ કહી દેવા માગું છું કે જીવનની સાધના જ ધર્મની સાધના છે અને જીવનમાં પરમ સત્યની અનુભૂતિ કરવી એ જ મોક્ષ પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથિયું છે. એ નિશ્ચિત છે કે જે જીવન ચૂકી જશે તે બીજું બધું ચૂકી જશે. અત્યાર સુધીનું વલણ જ વિપરીત રહ્યું છે, એ વલણમાં તો જીવનને છોડવાની, જીવનનો ત્યાગ કરવાની વાત છે. જીવન જીવવાની કળા શીખવવાની કે જીવનમાં જ શોધ કરવાની વાત એ વલણમાં નથી. જીવન જીવવાની રીત પણ એ નહીં દર્શાવે. જીવન જીવવાની સાચી રીત જો જડી જાય તો એ જ જીવન આનંદવર્ષા પણ કરી શકે છે.

ધર્મને હું જીવન જીવવાની કળા કહું છું. ધર્મ એટલે જીવનનો ત્યાગ નહીં ધર્મ એટલે જીવનના ગહનમાં તરવાનું સોપાન. જીવનને પીઠ બતાવવામાં નહીં, જીવનને પૂરી રીતે આંખો ખોલીને જૉઇ લેવામાં ધર્મ છે. જીવનથી ભાગી છૂટવામાં ધર્મ નથી, જીવનને પૂર્ણતયા આલિંગવાનું બીજું નામ જ ધર્મ છે. જીવનનો સંપૂર્ણ સાક્ષાત્કાર એટલે ધર્મ. આ જ કારણથી આજ સુધી માત્ર વૃદ્ધો જ ધર્મોત્સુક રહ્યા છે. મંદિરોમાં, ચર્ચમાં, ગિરિજાઘરોમાં, ગુરુદ્વારાઓમાં માત્ર વૃદ્ધો જ દેખાય છે. ન તો યુવાનો ત્યાં દેખાય છે ન તો બાળકો. તેનું કારણ શું? એનું એક જ કારણ છે આજ સુધી આપણો ધર્મ માત્ર વૃદ્ધોનો ધર્મ રહ્યો છે. જેમનું મરણ નજીક છે, જેઓ મૃત્યુથી ભયભીત છે, જેઓ મૃત્યુપળની સ્થિતિના ચિંતનમાં છે અને મૃત્યુ પછી શું છે એ જાણવા ચાહે છે એ લોકોનો ધર્મ છે. મૃત્યુ પર આધારિત ધર્મપૂર્ણ જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકે? મૃત્યુનું ચિંતન કરનારો ધર્મ પૃથ્વીને ધાર્મિક શી રીતે બનાવે?એ નથી બનાવી શકયો. પાંચ હજાર વર્ષથી અપાતી ધાર્મિક કેળવણી છતાંય પૃથ્વી રોજ અધાર્મિકતા તરફ જ ઢળતી રહી છે. મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, પૂજારી છે, પુરોહિત છે, સંન્યાસી છે અને છતાં પૃથ્વી ધાર્મિક બની શકી નથી, અને બનીયે નહીં શકે કારણ કે ધર્મનો આધાર જ ખોટો છે. એ ધર્મનો આધાર જીવન નથી, મૃત્યુ છે. ધર્મનો આધાર વિકસતાં પુષ્પો નથી, મૃત કબરના પથ્થરો છે. જે ધર્મનો આધાર મૃત્યુ હોય એ ધર્મ જો પ્રાણોને, જીવનના પ્રાણોને સ્પંદિત કરી ન શકે તો એમાં આશ્ચર્ય શું? જવાબદારી કોની? ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી

સંકલન : એક ઓશો સંન્યાસી

Saturday, June 21, 2008

પ્રેમ સદા ઝૂકવા રાજી છે, અહંકાર નહીં

પ્રેમ સદા ઝૂકવા રાજી છે, અહંકાર નહીં

Oshovaniએક ગામમાં એક માણસે માછલીની દુકાન માંડી હતી. એ ગામમાં એવી એ પહેલી દુકાન હતી. દુકાનદારે સરસ પાટિયું લગાવ્યું. ‘તાજી માછલીઓ અહીં વેચાય છે.’

એક માણસે પૂછ્યું: ‘ માછલીઓ તો તાજી જ વેચાય. વાસી કંઈ વેચાય? તાજી કહેવાનો શો અર્થ છે?’

દુકાનદારે વાત ખરી લાગતાં એણે ‘તાજી’ શબ્દ પાટિયામાંથી કાઢી નાખ્યો.

એ જ દિવસે એક વૃદ્ધા ત્યાં આવી. પાટિયું વાંચીને તે બોલી: ‘અહીં માછલી વેચાય છે? શું બીજે પણ વેચો છો ખરા?’

દુકાનદારને ‘અહીં’ શબ્દ પણ નિરર્થક લાગ્યો ને કાઢી નાખ્યો. હવે રહ્યું માત્ર ‘માછલી વેચાય છે.’ત્રીજે દિવસે એક માણસે વળી કહ્યું: ‘માછલી વેચાય છે? શું મફત પણ આપો છો ખરા?’‘વેચાય છે.’ શબ્દ પણ દુકાનદારે કાઢી નાખ્યો.

એક વૃદ્ધ આવ્યો: ‘માછલી? એ તો આંધળાને ય ખબર પડે તેવી વાત છે. માછલીની વાસ દૂરથી આવે છે. આ પાટિયું શું જૉઈને માર્યું?’

પાટિયામાંથી ‘માછલી’ પણ ચાલી ગયો. રહી ગયું માત્ર પાટિયું.

બીજા એક માણસે આવીને કહ્યું: ‘પાટિયું શું લટકાવ્યું છે? નકામી જગ્યા રોકે છે.’

પાટિયું પણ ગયું. કશું ન રહ્યું. જેમ જેમ નિષેધ થતો ગયો તેમ તેમ પ્રકાશ પ્રગટતો ગયો, એક પછી એક શબ્દો ખસતા ગયા. પાછળ જે હતું તે શૂન્ય.

એ શૂન્યમાંથી પ્રેમનો જન્મ થાય છે કારણ કે એ શૂન્યમાં બીજાના શૂન્યમાં મળવાની ક્ષમતા છે. શૂન્યથી માત્ર શૂન્ય જ મળી શકે છે, બીજું કંઈ નહીં. બે શૂન્ય મળી શકે છે, બે વ્યકિત નહીં. બે વ્યકિત નથી મળી શકતી, બે શૂન્ય મળી શકે છે, કારણ કે વરચે કોઈ બાધા નથી હોતી. દરેક વસ્તુને દીવાલ હોય છે, શૂન્યને કોઈ દીવાલ હોતી નથી.

તો બીજી વાત એ સ્મરણમાં રાખવાની કે જયારે વ્યકિતનું વિલોપન થાય છે, ‘હું’ ભાવ ચાલ્યો જાય છે ત્યારેે પ્રેમ પ્રગટે છે. જે છે તે સમસ્ત છે. ‘હું’ નથી એવો ભાવ થતાં જ દીવાલો તૂટે છે, ગંગા વહી નીકળે છે. ગંગા શૂન્યની જ પ્રતીક્ષા કરતી હતી. આપણે જયારે કૂવો ખોદીએ છીએ ત્યારે પાણી તો અંદર છે જ.

પાણી લાવવાનું હોતું નથી. માત્ર પાણી આડે પડેલા પથ્થરોને-માટીને દૂર કરવાનાં હોય છેે. આપણે કરી કરીને શું કરીએ છીએ? એક શૂન્ય ભું કરીએ છીએ. કૂવો ખોદવાનો અર્થ જ શૂન્ય સર્જવું, જેથી પાણીને પ્રગટ થવા અવકાશ મળે. કૂવામાં પાણી તો ભર્યું જ છે.માટી-પથ્થર દૂર કરો એટલે પાણી છલકાઈ ઠશે.

માનવીની અંદર પ્રેમ ભર્યોપડયો છે. એને પ્રગટવા જગા જૉઈએ અને જયાં સુધી આપણે ‘હું’થી ભર્યા છીએ, ‘હું’ની બૂમો પાડયા કરીએ છીએ ત્યાં સુધી પ્રેમ નહીં પ્રગટે. ‘હું’ છે, ત્યાં સુધી તમે માટી-પથ્થરથી ભરેલા કૂવા છો. તમારા કૂવામાં પ્રેમનાં ઝરણાં નહીં ફૂટે, ફૂટી શકે નહીં. એક વાત સાંભળી છે એક પુરાણા વૃક્ષની. એની શાખાઓ સમ્રાટની અદાથી આકાશમાં ફેલાઈ હતી. એને પુષ્પ બેસતાં તો દૂર દૂરથી એની સુગંધ લેવા પતંગિયાં આવતાં. એને ફળ આવતાં ને પંખીઓ ડાડ કરી મૂકતાં.

એની ફેલાયેલી શાખાઓ, એની છાયા, એનું આ રૂપ આકાશમાં બહુ સુંદર પસતું. એની છાયામાં રોજ એક બાળક રમવા આવતો. આ મોટાં વૃક્ષને એ નાના બાળક સાથે પ્રેમ બંધાઈ ગયો. મોટાને જૉ મોટાઈનો ખ્યાલ ન રહે તો નાના સાથે પ્રેમ થઈ શકે છે. વૃક્ષને પોતાની મોટાઈનું ભાન ન હતું. એ ભાન તો માત્ર માનવીને જ હોય છે. અહંકાર હંમેશાં પોતાનીથી મોટા સાથે સંબંધ બાંધે છે.

પ્રેમને મન કોઈ નાનું મોટું નથી. તો વૃક્ષને બાળક સાથે પ્રીત બંધાણી પણ બાળક નાનો હતો, શાખાઓ ચી હતી. બાળક ફળ તોડી શકે માટે વૃક્ષ પોતાની શાખાને નીચી ઝુકાવતું. પ્રેમ સદા ઝૂકવા રાજી છે, અહંકાર નહીં. અહંકાર પાસે જશો તો તેના હાથ તમે અડી ન શકો માટે ચા થશે કારણ કે જેને આંબી શકાય તે માણસ નાનો, જેને આંબી ન શકાય તે દૂર, દિલ્હીના સિંહાસન પર-મોટો માણસ.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી

Sunday, June 8, 2008

આકર્ષણ ક્ષણિક સમાધિ માટે છે

આકર્ષણ ક્ષણિક સમાધિ માટે છે

સાગરની લહેર જો બરફનો પથ્થર બની જાય, જામીને બરફ થઈ જાય તો નીચે પડવાની કોઈ જરૂર નથી.

જે લોકો સેકસના વિરોધી છે એ તો એ અનુભવ શું છે એ સમજી નથી શકતાં. આટલી આતુરતા કોના માટે છે એનું યોગ્ય વિશ્લેષણ પણ એ લોકો કરી શકતા નથી. હું આપને કહેવા ઇરછું છું કે, સંભોગનું આટલું આકર્ષણ ક્ષણિક સમાધિ માટે છે અને જે દિવસથી આપને સંભોગ સમાધિ ઉપલબ્ધ થવી શરૂ થશે એ જ દિવસથી આપ સંભોગથી મુકત થઈ જશો. તે દિવસથી તમે સંભોગથી, સેકસથી મુકત થશો. કારણ કે માનવી હજારો રૂપિયા ખોઈને પણ થોડોક અનુભવ મેળવે છે, એને કોઈ કાળે કોઈ કહી દે કે રૂપિયા ગુમાવવાની કોઈ જરૂર નથી, આ અનુભવના તો ખજાના ભર્યા છે. આ માર્ગે તું ચાલ અને અનુભવ પ્રાપ્ત કરી લે. તો પછી હજારો રૂપિયા ગુમાવીને એ અનુભવને ખરીદવા માટે એ બજારમાં નહીં જાય.

કામ દ્વારા જે અનુભૂતિ મળે છે તે જ અનુભૂતિ કોઈ અન્ય માર્ગે મળી શકે તો મનુષ્યનું ચિત્ત સેકસ તરફ ઢળવાનું આપોઆપ બંધ કરી દેશે. એનું ચિત્ત એક નવી દિશામાં ગતિ કરશે. એટલે જ હું કહું છું કે જગતમાં મનુષ્યને સમાધિનો સૌ પ્રથમ અનુભવ સેકસના અનુભવમાંથી જ થયો છે. પરંતુ એક તો, અનુભવ ઘણો મોંઘો છે અને એક ક્ષણથી વધારે ગહન નથી. એક ક્ષણની ઝલક ને પાછા હતા ત્યાં ને ત્યાં. એક ક્ષણ માટે કોઈ લોકમાં પહોંચી જવાય છે. કોઈ ગહનતાને, કોઈ શિખરને આંબવાનું હોય છે અને એ થાય તે પહેલાં જ પતન શરૂ થઈ જાય છે. જેમ કોઈ સાગરનું મોજું આકાશ તરફ છળે અને હજી આગળ વધે, પહોંચે, હવાની સાથે ટક્કર લે તે પહેલાં જ એનું સાગરની દિશામાં પતન શરૂ થઈ જાય છે તેમ. પછી એ અનુભવ માટે, એ સુખ માટે, એ સાક્ષાત્કાર માટે વારંવાર શકિતનો સંચય કરીને એની ચેષ્ટા ફરી ફરીને કરીએ છીએ. પરંતુ હાથમાં તો આવે છે કાયમની વિફલતા. કોઈ ગહન વિશ્વમાં, કોઈ ઘ્ર્વલોકમાં એક ક્ષણ માટે આપણે હજી પ્રવેશ પણ નથી પામતાં ને તમામ લહેરો વિખરાઈ જાય છે. આપણી શકિતને ગુમાવીને આપણે પાછા હતા ત્યાં આવીને ભા રહીએ છીએ. પરંતુ સાગરની લહેર જૉ બરફનો પથ્થર બની જાય, જામીને બરફ થઈ જાય તો નીચે પડવાની કોઈ જરૂર નથી.

માનવીનું ચિત્ત જયાં સુધી સેકસની તરલતામાં વહે છે ત્યાં સુધી એ ચડે છે અને પાછું પડે છે. આખું ય જીવન આ જ કરે છે. અને જે અનુભવ માટે, અહંશૂન્યતાને અહંકારશૂન્યતા માટે આટલું તીવ્ર આકર્ષણ છે તે તો હાથમાં આવે છે ને નથી ય આવતું. હું સ્વયંને જાણી લઉં. હું મૌલિક શકિતને જાણી લઉં, જે અનંત છે, જે સમય-શૂન્ય છે, જે સમયાતીત છે, જે અનંત અનાદિ છે એને જાણી લઉં... એ જ આકર્ષણ છે ને? એ જાણવા માટે જગત આખું સેકસના કેન્દ્ર પર ઘૂમે છે... પરંતુ આપણે જો આ ઘટનાક્રમનો વિરોધ કરીએ તો શું થાય? તો સેકસ દ્વારા જે એક ઝલકની જેમ દેખાય છે તે અનુભવ મળી શકશે? ના, નહીં મળે. જૉ આપણે સેકસનો વિરોધ કરીએ છીએ તો સેકસ જ આપણી ચેતનાનું કેન્દ્ર બની જાય છે. આપણે સેકસથી મુકત થતા નથી, પણ તેનાથી બંધાઈએ છીએ. જેમ જેમ એનાથી ભાગવાના પ્રયત્નો કરીએ છીએ તેમ તેમ વધારે ને વધારે બંધાતા જઈએ છીએ.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

Wednesday, June 4, 2008

ફૂલો ઘણાં સ્વાદિષ્ટ છે

ફૂલો ઘણાં સ્વાદિષ્ટ છે

એક માણસ બીમાર હતો. દિવસ-રાત એને ભૂખ લાગતી હતી. એ જ એની બીમારી હતી. હકીકતમાં એને કોઈ બીમારી ન હતી. જીવનની બાબતમાં એણે વિરોધી પુસ્તકો વાંરયાં હતાં. એણે વાંરયુ હતું કે, ભોજન પાપ છે. ઉપવાસ પુણ્ય છે. કંઈ પણ ખાવું તે હિંસા કરવા બરાબર છે.ભોજન પાપ સમજીને એ ભૂખનું દમન કરવા લાગ્યો. જેમ ભૂખનું દમન થતું ગયું તેમ ભૂખ પ્રબળતાથી પ્રગટ થવા માંડી. પરિણામ એ આવ્યું કે તે બે- ચાર દિવસ ઉપવાસ કરે અને એક દિવસ ગાંડાની માફક જે આવે તે ખાઈ લેતો હતો. કંઈ પણ ખાઈ લે એટલે દુ:ખી થાય. કારણ કે વળી પાછી ખાવાની તકલીફ સહેવી પડતી હતી. વળી પાછો ઉપવાસ કરે ને પશ્ચાત્તાપ કરે ને વળી પાછો કંઈક ખાઈ લે. છેવટે તેણે નક્કી જ કર્યું કે ઘરમાં રહીને આ વસ્તુ ટાળી નહીં શકાય, જંગલમાં જવું જૉઈએ.

તે પહાડ પર ગયો. હિલ સ્ટેશન પર જઈને એક ઓરડામાં રહેવા લાગ્યો. ઘરના માણસો પણ મૂંઝવણમાં પડી ગયા. પહાડ પર જઈને પતિ હવે ખાવાની બીમારીથી મુકત થશે એવું માનીને પત્ની આનંદ પામી. એણે પતિને આનંદના પ્રતીકરૂપે પુષ્પો મોકલ્યાં અને કહેડાવ્યું, ‘હું બહુ રાજી થઈ છું. તમે કદાચ પહાડ પરથી સ્વસ્થ થઈને પાછા ફરશો એવી શુભકામના રૂપે આ પુષ્પો મોકલું છું.’ પેલા માણસે ઉત્તરમાં જણાવ્યું હતું, ‘ફૂલો મોકલવા બદલ આભાર. ફૂલો ઘણાં સ્વાદિષ્ટ છે.’ પહાડ પર રહીને એ ફૂલો ખાઈ ગયો... કોઈ માણસ ફૂલ ખાઈ જાય એની તો આપણને કલ્પના ય ન આવે. કારણ કે આપણે એની જેમ કાંઈ ઉપવાસની સાધના થોડી જ કરી છે?

પરંતુ જેણે ભોજનની સાથે લડાઈ શરૂ કરી હશે, તે જરૂર ફૂલો ખાશે. માનવીએ સેકસની સાથે લડાઈ શરૂ કરી તો તેણે સેકસના નામ પર શું શું ખાધું(કર્યું) તેનો હિસાબ લગાવ્યો છે? મનુષ્યને-સભ્ય મનુષ્યને બાદ કરતાં સજાતીય સંબંધ કયાંય છે? જંગલમાં આદિવાસીઓ રહે છે. એમને તો કલ્પના પણ નથી કે સજાતીય કામ હોઈ શકે. પુરુષ પુરુષની સાથે સંભોગ કરે એવું તો હોતું હશે? એ કલ્પનાની બહાર છે. હું આદિવાસીઓ સાથે રહ્યો છું અને સભ્ય લોકો આવું કરે છે એમ મેં તેમને કહ્યું ત્યારે એ કહેવા લાગ્યા કે એ તો તેમની કલ્પનામાં ય નથી આવતું.

અમેરિકામાં તો આ અંગે મોજણી થઈ છે. પાંત્રીસ ટકા લોકો હોમોસેકસ્યુઅલ છે. બેિલ્જયમ, સ્વિડન અને હોલેન્ડમાં હોમોસેકસ્યુઅલ કલબો છે, સોસાયટીઓ છે, તેનાં છાપાં નીકળે છે અને તે લોકો એવો દાવે કરે છે કે સજાતીય સંબંધ ઉપરનું કાયદાનું નિયંત્રણ દૂર થવું જૉઈએ. ચાલીસ ટકા જેટલા લોકો જેમાં માનતા હોય, જે વ્યવહાર કરતા હોય, તેને દબાવી દેવો એ લધુમતી પર આક્રમણ છે. તેઓ માને છે કે તે બરાબર છે અને તેમ કરવાનો અમને અધિકાર હોવો જૉઈએ. આ સ્થિતિ કેમ પેદા થઈ તેની કલ્પના કોઈ કરી શકતું નથી.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી … સંકલન : એક ઓશો સંન્યાસી