જીવનનું રહસ્ય ઓશોવાણી
Monday, October 29, 2007 14:22 [IST]
એક સવારે, સૂરજ ઉગ્યા પહેલાં એક માછીમાર નદીકિનારે ગયો. તેના પગ સાથે કંઈક અફળાયું. એણે નીચે વળીને જોયું તો પથ્થર ભરેલી એક ઝોળી પડી હતી. એણે જાળને એક બાજુ મૂકી, અને સવારનો સૂરજ ગવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. તેને હતું કે સૂરજ ગ્યે નદીના પાણીમાં જાળ ફેંકીને માછલી પકડીશ. બાજુમાં પેલી ઝોળી પડી હતી તેમાંથી પથ્થર કાઢીને શાંત નદીમાં ફેંકવા લાગ્યો. સવારની નિસ્તબ્ધતામાં પાણીમાં પથ્થર પડવાનો ‘ટપાક’ અવાજ આવતો અને તે પછી ફરીથી પથ્થર ફેંકતો.
ધીરે ધીરે સવારનો સૂરજ ગ્યો, અજવાળું પથરાયું. ત્યાં સુધીમાં તો તેણે ઝોળીમાંથી બધા જ પથ્થર ફેંકી દીધા હતા. એક છેલ્લો પથ્થર તેના હાથમાં હતો, તે તે ફેંકવા જતો હતો. સવારના અજવાળામાં તે પથ્થરને જૉતાંવેત તેનું હૃદય ધડકતું બંધ થઈ ગયું, એનો શ્વાસ થંભી ગયો. જેને પથ્થર માનીને તે ફેંકી દેતો હતો, તે તો હીરા હતા. હવે તો હાથમાં માત્ર એક જ હીરો હતો. ઝોળી તો ખાલી થઈ ગઈ હતી.
એ રોવા લાગ્યો અને કલ્પાંત કરવા લાગ્યો. અનંત જન્મો સુધી ચાલે એટલી સંપત્તિ તેને મળી હતી પરંતુ અંધકારમાં અજાણતાં એણે તમામ સંપત્તિને પથ્થર માની ફેંકી દીધી હતી. તો ય માછીમાર તો ભાગ્યશાળી હતો કારણ કે છેલ્લો પથ્થર ફેંકાય તે પહેલાં જ સૂરજ ગી ગયો હતો અને એને સમજાયું હતું કે, એના હાથમાં પથ્થર નથી, હીરો છે.
સામાન્યત: બધા માણસો આવા ભાગ્યશાળી હોતા નથી. જિંદગી વીતી જાય છે, સૂરજ ગતો નથી, સવાર થતી નથી, પ્રકાશ પ્રગટયો નથી અને જીવનભરનાં રત્નોને પથ્થર માનીને આપણે ફેંકી ચૂકયા હોઈએ છીએ. જીવન શું છે એ સમજાય એ પહેલાં તો આપણે એને ખોઈ બેઠા હોઈએ છીએ. જીવનમાં શું છુપાયું છે? શું રાઝ, શું રહસ્ય, કેવું સ્વર્ગ, કેવો આનંદ, કેવી મુકિત! આ બધાંનો અનુભવ થાય એ પહેલાં તો જીવન આપણા હાથમાંથી છૂટી જાય છે.
જે લોકો જીવનને પથ્થર માની બેઠા છે તે આંખ ખોલીને જૉઈ શકશે કે જેને તેઓ પથ્થર સમજે છે તે હીરા-માણેક છે! અને જે લોકોએ જીવનને પથ્થર માનીને ગુમાવી દીધું છે, તેમને કોઈ કહેવા જાય છે કે ‘પથ્થર માનીને તમે જે ફેંકયું તે તો હીરા-મોતી હતાં’ તો તેઓ નારાજ થઈ જશે, ક્રોધિત થઈ જશે. એટલા માટે નહીં કે જે વાત તેમને કહેવામાં આવી છે તે ખોટી છે, પણ એ વાત તેમણે ગુમાવેલી સંપત્તિની તેમને યાદ અપાવે છે માટે. પરંતુ ભલે જીવનનો ખજાનો આમ વેડફાઈ ગયો હોય, પણ જૉ જીવનની એક ક્ષણ પણ બાકી રહી હોય, તો કંઈક બચાવી શકાશે, જાણી શકાશે, પ્રાપ્ત કરી શકાશે. જીવનની શોધમાં કયારેક એટલું મોડંુ હોતું નથી, કે માનવીને નિરાશ થવું પડે. પણ આપણે તો અજ્ઞાનપણે માની જ લીધું છે કે જીવનમાં પથ્થર સિવાય કંઈ છે નહીં. જે લોકો એમ માનીને બેસી ગયા તેમણે શોધની પહેલાં જ હાર સ્વીકારી લીધી.
આ હાર, આ નિરાશા, આ માની લીધેલા પરાજયની બાબતમાં મારે સૌથી પહેલી ચેતવણી એ આપવાની છે કે જીવન એ કંઈ માટી-પથ્થર નથી. એ ઘણું બધું છે. ધૂળ અને પથ્થરની વરચે ઘણું ય છુપાયું છે. આંખો જો જૉઈ શકે તો જીવનથી પરમાત્મા સુધી પહોંચવાની સીડી તૈયાર પડી છે. જૉતાં તો માત્ર હાડ, માંસને ચામડું જણાય, એવા આ શરીરમાં ‘એ’ છુપાયો છે, જેને હાડ, માંસ અને ચામડા સાથે કશો સંબંધ નથી. આજ જન્મતા અને કાલ મરતા-નષ્ટ થતાં આ સાધારણ શરીરમાં પણ કદી ન જન્મતા ને કદી ના મરતા અમૃતનો વાસ છે. રૂપની અંદર અરૂપ છુપાયું છે, દૃશ્યની અંદર અદૃશ્યનો વાસ છે અને મૃત્યુના ધુમ્મસમાં અમૃતજયોતિ ઝળહળે છે. એવી જયોતિ કે જેનું મૃત્યુ છે નહીં. આપણે તો ધુમાડો જૉઈને પાછા ફરીએ છીએ, જયોતિની શોધ કરતા નથી. અને થોડા લોકો જે એવી હિમ્મત કરે છે તેઓ ધુમાડામાં જ ખોવાઈ જાય છે, જયોતિ સુધી પહોંચતા નથી. ધુમાડાની અંદર રહેલી જયોતિને કેવી રીતે જાણી શકાય, પ્રકૃતિમાં નિહિત પરમાત્માનાં દર્શન કેવી રીતે થાય? એ સંબંધમાં ત્રણ ચરણોમાં મારે તમને વાત કહેવાની છે. પહેલી વાત. જીવન સંબંધી આપણે એવો દૃષ્ટિકોણ કેળવ્યો છે, જીવન સંબંધી એવી ધારણાઓ ઘડી રાખી છે, કે એને જે કારણે આપણા જીવનનું સત્ય જાણી શકતા નથી, ઓળખી શકતા નથી. ઓળખ વિના, પરિચય વિના, જિજ્ઞાસા વિના આપણે જીવન વિશેની વિભાવના ઘડી કાઢી છે. એ વિભાવનાને આપણે નિશ્ચિત સ્વરૂપમાં ઢાળી દીધી છે.
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન : એક ઓશો સંન્યાસી